Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NCPસાથે ગઠબંધન કરતા કોંગ્રેસમાં ભડકો, અનેક નેતાઓએ રાજીનામાં આપી 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

Gujarat Assembly Elections 2022: NCP સાથેનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતું જાય છે. અનેક કાર્યકરોએ વિરોધ કરી રાજીનામાં ધરી દીધા છે. ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની (Congress)તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ ઉપરાંત તેમણે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્à
ncpસાથે ગઠબંધન કરતા કોંગ્રેસમાં ભડકો  અનેક નેતાઓએ રાજીનામાં આપી 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું
Advertisement

Gujarat Assembly Elections 2022: NCP સાથેનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતું જાય છે. અનેક કાર્યકરોએ વિરોધ કરી રાજીનામાં ધરી દીધા છે. ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની (Congress)તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ ઉપરાંત તેમણે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

તો બીજી તરફ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવશે તેવી માહિતી સામે આવી રહી છે. NCPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.  યાદીમાં શરદ પવારના નામનો પણ ઉલ્લેખ છે. પ્રફુલ પટેલ પણ ગુજરાતમાં પ્રચાર કરશે.  પ્રફુલ પટેલ સાંસદ અને જનરલ સેક્રેટરી છે. NCPના રાષ્ટ્રીય નેતાઓ, સાંસદ અને ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરશે.

કોંગ્રેસે 42 ધૂરંધરોને ઉતાર્યા ચૂંટણી માટે

ગુજરાત ચૂંટણીને લઈ ઑબ્ઝર્વરની નિમણૂંક કરી છે. તમામ કેન્દ્રીય નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. સાઉથ ઝોનની જવાબદારી મુક્લ વાસનિક, સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી મોહન પ્રકાશ સેન્ટ્રલ ઝોનની પૃથ્વીરાડ ચવ્હાણ અને નોર્થ ઝોનની જવાબદારી બી કે હરિપ્રસાદને સોંપાઈ છે.

Advertisement

Advertisement

     ઝોનલ ઓબ્ઝર્વર

  • સાઉથ ઝોન(હેડ ક્વાર્ટર સુરત) મુક્લ વાસનિક
  • સૌરાષ્ટ્ર ઝોન(હેડ ક્વાર્ટર રાજકોટ) મોહન પ્રકાશ
  • સેન્ટ્રલ ઝોન (હેડ ક્વાર્ટર બરોડા) પૃથ્વીરાજ ચવાણ
  • નોર્થ ઝોન ((હેડ કવાર્ટર અમદાવાદ) બી કે હરિપ્રસાદ
  • કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું

એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આ પણ વાંચો - સુરત પોલીસની સફળતા, 2.17 કરોડનું ડ્રગ્સ પકડાયું

Tags :
Advertisement

.

×