Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vienna PM Narendra Modi: વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રિયામાં ભારતીયો સાથે કરી વાત

Vienna PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં Austria ના પ્રવાસે છે. PM Modi એ Vienna માં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતે યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા હતાં. ભારતને વિશ્વ ભાઈચારાના સભ્ય તરીકે...
vienna pm narendra modi  વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રિયામાં ભારતીયો સાથે કરી વાત
Advertisement

Vienna PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં Austria ના પ્રવાસે છે. PM Modi એ Vienna માં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતે યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા હતાં. ભારતને વિશ્વ ભાઈચારાના સભ્ય તરીકે જોવામાં આવે છે. ભારતે હંમેશા શાંતિ અને સમૃદ્ધિ આપી છે. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. ભારત તેની ભૂમિકાને વધુ મજબૂત કરશે.

  • Austria માં થોડા મહિનાઓ પછી ચૂંટણી યોજાવા જઈ રહી

  • મોટાભાગના દેશમાં સરકારો માટે ટકી રહેવું સરળ નથી

  • Austria ની તેમની પ્રથમ મુલાકાત ઘણી સાર્થક રહી

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. દેશને 1947માં આઝાદી મળી અને 2047 માં દેશ તેની શતાબ્દી ઉજવશે. પરંતુ ભારત 2047 માં વિકાસિત થશે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન Austria આવ્યા છે. તેમણે કહ્યું કે બંને દેશ બહુભાષી અને બહુસાંસ્કૃતિક છે. લોકશાહી ભારત અને Austria ને જોડે છે. વિવિધતાની ઉજવણી કરવી બંને દેશની આદત છે. આ મૂલ્યોને પ્રતિબિંબિત કરવા માટે ચૂંટણી એ મુખ્ય માધ્યમ છે. Austria માં થોડા મહિનાઓ પછી ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યારે ભારતમાં આપણે લોકશાહીનો તહેવાર જ ઉજવ્યો છે.

Advertisement

મોટાભાગના દેશમાં સરકારો માટે ટકી રહેવું સરળ નથી

Vienna માં PM Modi એ કહ્યું કે 60 વર્ષ પછી ભારતને સતત ત્રીજી વખત સરકાર બનવાની તક મળી છે. કોવિડ પછીના યુગમાં આપણે સમગ્ર વિશ્વમાં રાજકીય અસ્થિરતા જોઈ છે. મોટાભાગના દેશમાં સરકારો માટે ટકી રહેવું સરળ નથી. ફરીથી ચૂંટવું એ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં ભારતના લોકોએ મારા પર, મારી પાર્ટી પર અને NDA પર વિશ્વાસ કર્યો. આ પરિણામો એ વાતનો પુરાવો છે કે ભારત સ્થિરતા ઈચ્છે છે.

Austria ની તેમની પ્રથમ મુલાકાત ઘણી સાર્થક રહી

Vienna માં વડાપ્રધાને કહ્યું કે દરેક 10 મો યુનિકોર્ન ભારતનો છે. ભારતના અભૂતપૂર્વ વિકાસથી Austria ને પણ ફાયદો થયો છે. ભારત આજે 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ઓસ્ટ્રિયન કંપનીઓ અને રોકાણકારો ભારતમાં વધુને વધુ વિસ્તરણ કરશે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રિયન સમાજમાં ભારતીયોનું યોગદાન પ્રશંસનીય છે. PM Modi એ કહ્યું કે Austria ની તેમની પ્રથમ મુલાકાત ઘણી સાર્થક રહી છે.

આ પણ વાંચો: પુતિન-મોદીની મુલાકાત પર ગુસ્સે થયા યુક્રેનના રાષ્ટ્રપતિ Zelenskyy, આપ્યું આ મોટું નિવેદન…

Tags :
Advertisement

.

×