Earthquake : જાપાનની ધરા ધ્રુજી, ક્યૂશૂમાં 6ની તીવ્રતાનો આવ્યો આંચકો
- જાપાનના ક્યુશુ ટાપુ જોરદાર ભૂકંપના આંચકા
- 6ની તીવ્રતાનો આવ્યો આંચકો
- ઈમારતોમાંથી બહાર નીકળવા લાગ્યા
Earthquake: જાપાનના ક્યુશુ ટાપુ પર મંગળવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા (Earthquake)અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે. ભૂકંપ 2 એપ્રિલના રોજ ભારતીય સમય મુજબ સાંજે 7.34 વાગ્યે આવ્યો છે. અચાનક આવેલા આ ભૂકંપને કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરો અને ઈમારતોમાંથી બહાર નીકળવા લાગ્યા. જોકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.
સ્થાનિક લોકોમાં ભય, લોકો ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા
ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણી પ્રદેશ ક્યુશુમાં હતું, જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા ઘણી સેકન્ડો સુધી ચાલુ રહ્યા, જેનાથી સ્થાનિક રહેવાસીઓ ડરી ગયા. તમને જણાવી દઈએ કે જાપાનમાં ભૂકંપ સામાન્ય છે, પરંતુ 6.0ની તીવ્રતાનો ભૂકંપ ગંભીર માનવામાં આવે છે. ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓમાં આશરો લીધો. સ્થાનિક વહીવટીતંત્રએ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.
An earthquake with a magnitude of 6.0 on the Richter Scale hit Kyushu, Japan at 7.34 PM (IST) on April 2: National Center for Seismology pic.twitter.com/ZaYzcGXtdg
— ANI (@ANI) April 2, 2025
આ પણ વાંચો - US Trump Tariff : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકથી દુનિયાભરમાં ડરનો માહોલ
સુનામીનો કોઈ ખતરો નથી
જાપાનના હવામાન વિભાગે સ્પષ્ટતા કરી કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ભય નથી. જોકે, અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. જાપાન સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે કટોકટી સેવાઓને તૈયાર રહેવા સૂચના આપી છે, જેથી કોઈપણ અણધારી પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરી શકાય.
આ પણ વાંચો - Earthquake: મ્યાનમારમાં ફરી ધરા ધ્રુજી, પાકિસ્તાન પણ ધ્રુજી ઉઠ્યું, જાણો તીવ્રતા
કેમ જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે?
જાપાન 'પેસિફિક રિંગ ઓફ ફાયર' નામના ભૂકંપ-સંભવિત ક્ષેત્રમાં આવેલું છે. પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની અથડામણને કારણે આ વિસ્તારને ઉચ્ચ ભૂકંપ પ્રવૃત્તિનો વિસ્તાર માનવામાં આવે છે. ક્યુશુ સહિત જાપાનમાં દર વર્ષે સેંકડો નાના-મોટા ભૂકંપ આવે છે. સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રે ભૂકંપનો સામનો કરવા માટે અદ્યતન આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલીઓ વિકસાવી છે, જેથી નુકસાન ઓછામાં ઓછું કરી શકાય.


