500 ભારતીયો સહિત 1200 કેદીઓને ઈદની ભેટ, UAEના વડા પ્રધાને આપ્યો મુક્તિનો આદેશ
- ઈદના અવસર પર UAE 1200 કેદીઓને મુક્ત કરશે
- મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકો
- આ ભારતીયો તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકશે
UAE to release prisoners on Eid : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં, ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતા તેમને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ આની જાહેરાત કરી હતી. હવે આ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે.
1,295 કેદીઓને મુક્ત કરવાનો આદેશ
UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં તેમણે રમઝાન પહેલા મોટા પાયે કેદીઓને મુક્ત કરવાની વાત કરી હતી. હવે રમઝાનના અંતમાં 1,295 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1,518 કેદીઓને માફ કરવાની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ચીનમાં કપલને મસ્તી મોંઘી પડી! પ્રેમિકાનો હાથ પ્રેમીના મોંઢામાં ફસાઈ ગયો અને પછી..! જુઓ Video
500 ભારતીય નાગરિકો પણ સામેલ
દેશ અને દુનિયાભરમાં ઈદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. રમઝાનના આ પવિત્ર મહિનામાં, સંયુક્ત આરબ અમીરાતે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે. ઈદને ધ્યાનમાં રાખીને, યુએઈની જેલોમાં બંધ કેદીઓને જીવન જીવવાનો બીજો મોકો આપવામાં આવી રહ્યો છે. આની જાહેરાત ફેબ્રુઆરીના અંતમાં કરવામાં આવી હતી. વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે કુલ 1,518 કેદીઓને માફીની જાહેરાત કરી. જેલમાંથી મુક્ત થવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. યુએઈના આદેશને અનુસરીને, આ વર્ષે આ ભારતીયો તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકશે.
રમઝાન મહિનો પૂરો થવાનો છે. સાઉદી અરેબિયામાં ઈદની રજાઓની જાહેરાત થઈ ચુકી છે. સાઉદી અરેબિયામાં, જાહેર ક્ષેત્રની રજાઓ 24 રોઝા (22 માર્ચ) થી શરૂ થઈ ગઈ છે, કારણ કે ત્યાં 1446 હિજરી મુજબ ઉપવાસ એક દિવસ વહેલા શરૂ થાય છે. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્ર અને બિન-લાભકારી ક્ષેત્ર માટે રજાઓ 29 રોઝા (એટલે કે 27 માર્ચ) થી શરૂ થશે.
આ પણ વાંચો : Egypt માં મોટી દુર્ઘટના,Tourist Submarine ડૂબી,6 ના મોત