Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh માં ભયાનક હિંસા, 70-80 હુમલાખોરો શેખ હસીના પક્ષના નેતાના ઘરમાં ઘૂસી ગયા

સ્થાનિક સાક્ષીઓએ જણાવ્યું કે બુધવારે, બાઇક પર સવાર 70-80 વિદ્યાર્થી પાંખના સભ્યોનું એક જૂથ આંદોલન સ્વરૂપે સિલ્હેટ શહેરના હાઉસિંગ એસ્ટેટ વિસ્તારમાં નાડેલના નિવાસસ્થાને પહોંચ્યું.
bangladesh માં ભયાનક હિંસા  70 80 હુમલાખોરો શેખ હસીના પક્ષના નેતાના ઘરમાં ઘૂસી ગયા
Advertisement
  • બાંગ્લાદેશમાં ભયાનક હિંસા, વિદ્યાર્થી પાંખનુ આંદોલન
  • અવામી લીગ ફરી નિશાના પર આવ્યુ
  • ટોળાનો ભૂતપૂર્વ મેયર અને ભૂતપૂર્વ સાંસદના ઘરો પર હુમલો

Violence in Bangladesh: બાંગ્લાદેશમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફરી એકવાર નિશાના પર આવી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) વિદ્યાર્થી પાંખના બેનર હેઠળ કથિત રીતે એક ટોળા દ્વારા ભૂતપૂર્વ મેયર અનવરુઝમાન ચૌધરી અને ભૂતપૂર્વ સાંસદ શફીઉલ આલમ ચૌધરી નાદેલના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી.

નાદેલના નિવાસસ્થાન પર હુમલો

સિલ્હટ એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ (OC) સૈયદ અનિસુર રહેમાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને નાગરિકોના હિંસક ટોળાએ નાદેલના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો, જેના કારણે ઘણુ નુકસાન થયું છે.

Advertisement

ટોળું ઘરમાં ઘૂસી ગયુ અને નુકસાન કર્યુ

સ્થાનિક સાક્ષીઓએ જણાવ્યું કે બુધવારે, બાઇક પર સવાર 70-80 વિદ્યાર્થી પાંખના સભ્યોનું એક જૂથ સિલ્હેટ શહેરના હાઉસિંગ એસ્ટેટ વિસ્તારમાં નાડેલના નિવાસસ્થાને પહોંચ્યું. તેઓ ઘરમાં ઘૂસી ગયા અને CCTV કેમેરા અને લેપટોપને નુકસાન પહોંચાડ્યું.બીજી એક ઘટનામાં, સિલ્હેટના પઠાણુલા વિસ્તારમાં અનવરુઝમાન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ફર્નિચર અને અન્ય ઘરવખરીની વસ્તુઓ તોડી નાખી હતી.

Advertisement

પોલીસ સ્ટેશનના વડાએ કહ્યું

જલાલાબાદ પોલીસ સ્ટેશનના વડા હારુનુર રશીદે જણાવ્યું હતું કે, "રિપોર્ટ મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. અમને ખબર પડી કે આ હુમલો વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો દ્વારા કરવામાં આવ્યો હતો." આ હુમલામાં ટોળાએ ઘરમાંથી કિંમતી સામાન પણ ચોરી લીધો હતો. ઘટના સમયે અનવરુઝમાનના કોઈ સંબંધી ઘરમાં નહોતા. બે કેરટેકર ઘરની સંભાળ રાખી રહ્યા હતા અને હુમલાખોરોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ છે.

આ પણ વાંચો : તુર્કીમાં ફસાયેલા ભારતીય મુસાફરો! ટેક્નિકલ ખામી બન્યું મોટું કારણ

બાંગ્લાદેશમાં રાજકીય હિંસા ચાલુ

ગયા વર્ષે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં રાજકીય હિંસા ચાલુ છે. તે જ સમયે, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર હિંસક ઘટનાઓને રોકવામાં નિષ્ફળ ગઈ છે.

અવામી લીગ નેતાઓની હત્યા

શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી, ઘણા અવામી લીગ નેતાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો અને તેમની હત્યા કરવામાં આવી. બાંગ્લાદેશના અગ્રણી દૈનિક 'ધ ઢાકા ટ્રિબ્યુન'ના એક અહેવાલ મુજબ, ઓગસ્ટ 2024માં દેશભરમાં ઓછામાં ઓછા 20 અવામી લીગ નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.

'તાજેતરના સમયમાં, ઘણા અવામી લીગ નેતાઓ અને સમર્થકોએ ગંભીર હુમલાઓ અને ટોળાની હિંસાનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :  Thailand ના પીએમ શિનાવાત્રાએ PM મોદીને 108 વોલ્યુમ 'ધ વર્લ્ડ ત્રિપિટક' ભેટમાં આપી

Tags :
Advertisement

.

×