Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંગ્રેજો સામે ભારત-પાકિસ્તાન સાથે મળીને લડ્યા છતાં બંને દેશનો આઝાદીનો દિવસ અલગ કેમ?

India-Pakistan Independence Day : બ્રિટિશ શાસન સામે લગભગ બે સદીઓ સુધી ચાલેલા સંઘર્ષ અને ત્યાગના અંતે, ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી, જે એક તરફ તો આનંદની ઘડી હતી, પરંતુ તે જ સમયે દેશના વિભાજનનું દુઃખદ પરિણામ પણ સાથે લાવ્યું.
અંગ્રેજો સામે ભારત પાકિસ્તાન સાથે મળીને લડ્યા છતાં બંને દેશનો આઝાદીનો દિવસ અલગ કેમ
Advertisement
  • શા માટે પાકિસ્તાન 14 ઓગસ્ટે ઉજવે છે Independence Day ?
  • ભારત-પાકિસ્તાનની આઝાદી પાછળનો ઇતિહાસ
  • ભારત–પાકિસ્તાનની આઝાદી પાછળની કહાની
  • વિભાજનથી અલગ તારીખ સુધીનો ઇતિહાસ

India-Pakistan Independence Day : બ્રિટિશ શાસન સામે લગભગ બે સદીઓ સુધી ચાલેલા સંઘર્ષ અને ત્યાગના અંતે, ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી, જે એક તરફ તો આનંદની ઘડી હતી, પરંતુ તે જ સમયે દેશના વિભાજનનું દુઃખદ પરિણામ પણ સાથે લાવ્યું. આ વિભાજનના કારણે ધાર્મિક આધાર પર એક નવું રાષ્ટ્ર પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, જે પણ તે જ વર્ષે સ્વતંત્ર બન્યું.

India-Pakistan Independence Day

Advertisement

આ દિવસ અતીતના સંઘર્ષની અપાવે છે યાદ

જોકે, ભારત 15 ઓગસ્ટે તેનો સ્વતંત્રતા દિવસ મનાવે છે તો પાકિસ્તાન આને 14 ઓગસ્ટે ઉજવે છે. આ તારીખોના તફાવતને સમજવા માટે ઇતિહાસના પાના ઉથલાવીએ તો સ્પષ્ટ થાય છે કે આમાં રાજકીય, વહીવટી અને સમયના અંતર જેવા અનેક પરિબળો જવાબદાર છે. આ આઝાદીની ક્ષણોમાં અનેક કડવી મીઠી યાદો સમાયેલી છે, જે આજે પણ બંને દેશોના લોકોને પ્રેરણા આપે છે અને તેમને તેમના અતીતના સંઘર્ષની યાદ અપાવે છે.

Advertisement

India-Pakistan Partition

પાકિસ્તાનના Independence Day ની તારીખના કારણો

ઇતિહાસકારોના મતે, પાકિસ્તાનને 14 ઓગસ્ટે એક અલગ અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આધિકારિક માન્યતા મળી હતી, જે આ તારીખને વિશેષ બનાવે છે. તે સમયના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનની વ્યક્તિગત યોજના પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી, કારણ કે તેઓ 15 ઓગસ્ટે દિલ્હીમાં ભારતના સ્વતંત્રતા કાર્યક્રમમાં હાજર રહેવા માગતા હતા, તેથી તેમણે 14 ઓગસ્ટે કરાચીમાં પાકિસ્તાનને સત્તા હસ્તાંતરિત કરી. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેના માનક સમયના તફાવતને પણ અવગણી ન શકાય. ભારત પાકિસ્તાન કરતાં અડધા કલાક આગળ છે, તેથી જ્યારે ભારતમાં સ્વતંત્રતાનો નવો દિન 15 ઓગસ્ટના રાત્રે 12 વાગ્યે શરૂ થયો, ત્યારે પાકિસ્તાનમાં તે જ ક્ષણે 14 ઓગસ્ટની રાત્રે 11:30 વાગ્યાનો સમય હતો. આ સમયના અંતરને કારણે પણ તારીખોમાં તફાવત આવ્યો, જે આજે પણ બંને દેશોની ઉજવણીઓને અલગ તારીખો પર લઈ જાય છે.

Pakistan Independence Day

પાકિસ્તાન 14 ઑગસ્ટે કેમ ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ?

ભારત અને પાકિસ્તાન બંનેને 15 ઑગસ્ટ 1947ના રોજ અંગ્રેજી શાસનથી આઝાદી મળી હતી. છતાં આજે જ્યાં ભારત દર વર્ષે 15 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, ત્યાં પાકિસ્તાન એક દિવસ પહેલાં એટલે કે 14 ઑગસ્ટે આ દિવસને મનાવે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે એવું કેમ? જણાવી દઇએ કે, પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાહે પોતાના પ્રથમ રેડિયો સંબોધનમાં જાહેર કર્યું હતું કે 15 ઑગસ્ટ 1947 એ પાકિસ્તાનનો જન્મદિન છે. તે સમયે સત્તાવાર દસ્તાવેજોમાં પણ 15 ઑગસ્ટને જ સ્વતંત્રતા દિવસ ગણવામાં આવ્યો હતો. એટલે કે શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન બંનેએ એક જ તારીખે ઉજવણી કરી હતી. મહત્વની વાત એ છે કે, 1947માં કરાચી પાકિસ્તાનની રાજધાની હતી. 14 ઑગસ્ટના રોજ ત્યાં સત્તા હસ્તાંતરણનો સમારોહ યોજાયો હતો, જેમાં લોર્ડ માઉન્ટબેટન હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી ગયા હતા, જ્યાં ભારત માટે મધરાત્રેનો વિશાળ સમારોહ 15 ઑગસ્ટે યોજાયો હતો. આથી પાકિસ્તાન માટે 14 ઑગસ્ટ ખાસ બની ગયો.

Pakistan Independence Day

ધાર્મિક કારણ પણ મહત્વનું

એક મહત્વપૂર્ણ કારણ ધાર્મિક પણ હતું. 14 ઑગસ્ટ 1947ના રોજ ઇસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાનનો 27મો દિવસ હતો, જેને ઇસ્લામમાં પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગને ધ્યાનમાં રાખીને પણ આ તારીખને ખાસ માન્યતા અપાઈ. વળી જો સૂત્રોની માનીએ તો, 1948માં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાનના મંત્રીમંડળે નક્કી કર્યું કે ભારતથી એક દિવસ પહેલાં પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવવો. આ નિર્ણયને જિન્નાહની મંજૂરી મળી અને ત્યારથી સત્તાવાર રીતે 14 ઑગસ્ટને જ સ્વતંત્રતા દિવસ જાહેર કરવામાં આવ્યો.

14 August 1947

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પરંપરાઓ

પાકિસ્તાનમાં 14 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની શરૂઆત અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણમાં થાય છે, જ્યાં મસ્જિદો અને અન્ય પવિત્ર સ્થળોએ વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે દુઆઓ કરવામાં આવે છે. આ દિવસને સમગ્ર દેશમાં જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે, જેથી લોકો પૂરા ઉત્સાહ સાથે તેમાં ભાગ લઈ શકે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ પાકિસ્તાનના બજારોમાં રાષ્ટ્રીય ધ્વજ, બેનરો, પોસ્ટરો અને બેજ જેવી વસ્તુઓનું વેચાણ તેજી પકડે છે. લોકો તેમના ઘરો, વસાહતો, સરકારી કચેરીઓ અને ખાનગી ઇમારતોને ધ્વજો, મીણબત્તીઓ અને રંગબેરંગી લાઇટોથી સજાવે છે, જેથી આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાઈ જાય. ખાસ કરીને લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન અને કરાચીમાં મઝાર-એ-કાયદ જેવા ઐતિહાસિક સ્થળોને વિશેષ લાઇટિંગથી શોભાયમાન કરવામાં આવે છે.

Pakistan Independence Day

મુખ્ય કાર્યક્રમો અને રાષ્ટ્રીય ઉત્સાહ

સ્વતંત્રતા દિવસ (Independence Day) ના મુખ્ય કાર્યક્રમોનું કેન્દ્ર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હોય છે, જ્યાં રાષ્ટ્રીય ધ્વજને વંદન કરવાનો મુખ્ય સમારોહ યોજાય છે અને 31 તોપોની સલામી આપીને તેને મહત્વ આપવામાં આવે છે. પ્રાંતીય રાજધાનીઓમાં પણ આવા જ કાર્યક્રમોમાં 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ દિવસે સેના, વાયુસેના અને નૌકાદળની પરેડોનું આયોજન કરીને રાષ્ટ્રીય શક્તિનું પ્રદર્શન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન દેશવાસીઓને સંબોધિત કરે છે, જેનું લાઇવ પ્રસારણ ટેલિવિઝન અને અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવે છે. આ સમયે સરકારી ઇમારતોને વિશેષ રંગીન લાઇટોથી સજાવીને તેમને આકર્ષક બનાવવામાં આવે છે. અર્ધલશ્કરી બળો આંતરરાષ્ટ્રીય સરહદો પર પડોશી દેશો સાથે મીઠાઈઓ વહેંચીને સદ્ભાવના વ્યક્ત કરે છે. લોકો તેમની દેશપ્રેમી ભાવના દર્શાવવા માટે લીલા અને સફેદ રંગના વસ્ત્રો પહેરે છે, જે પાકિસ્તાની ધ્વજના રંગોનું પ્રતીક છે. 2017થી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે તેમની સ્થાનિક ઉડાનોમાં રાષ્ટ્રીય ગીતો વગાડવાની પરંપરા શરૂ કરી છે.

India-Pakistan Independence Day

ભારત અને પાકિસ્તાનની ઉજવણીઓ વચ્ચેના તફાવતો

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લશ્કરી પરેડ, તોપોની સલામી અને નેતાઓના ભાષણો જેવા તત્વો હોય છે, જે ભારતના પ્રજાસત્તાક દિવસની યાદ અપાવે છે. જોકે, ભારતમાં સ્વતંત્રતા દિવસને 15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી વડા પ્રધાનના ભાષણ અને ધ્વજારોહણ સાથે મનાવવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનમાં આ કાર્યક્રમો 14 ઓગસ્ટે ઇસ્લામાબાદમાં કેન્દ્રિત હોય છે. આ તફાવતો છતાં, બંને દેશોની ઉજવણીઓમાં દેશભક્તિ અને ઐતિહાસિક યાદોનો સમાન ઉત્સાહ જોવા મળે છે, જે તેમને તેમના સામાન્ય અતીત સાથે જોડે છે.

આ પણ વાંચો :   Pakistan Independence Day : સ્વતંત્રતા દિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, કરાચીમાં ગોળીબાર થતા 3ના મોત

Tags :
Advertisement

.

×