UN માં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ Prabowo Subianto એ કહ્યું 'ઓમ શાંતિ ઓમ'
- UN માં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ Prabowo Subianto એ કહ્યું 'ઓમ શાંતિ ઓમ'
- ગાઝામાં શાંતિ માટે 20,000 સૈનિકો મોકલવા તૈયાર થયું ઇન્ડોનેશિયા
- ગાઝા યુદ્ધ વચ્ચે શાંતિનો સંદેશ! ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના ભાષણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું
- ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું ઐતિહાસિક ભાષણ, UNમાં ગુંજ્યું 'ઓમ શાંતિ ઓમ'
- વૈશ્વિક મંચ પર ભારતનો પડઘો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ શાંત
Indonesia President Prabowo Subianto : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્રમાં, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અને પેલેસ્ટાઇન-ઇઝરાયલ મુદ્દા પર વિશ્વભરના નેતાઓ એકઠા થયા હતા. આ ચર્ચાઓ વચ્ચે, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો (Indonesia President Prabowo Subianto) નું ભાષણ ખાસ ધ્યાન ખેંચી ગયું. તેમણે વૈશ્વિક શાંતિ, ન્યાય અને સહિયારી માનવતા પર ભાર મૂક્યો એટલું જ નહીં, પરંતુ પોતાના ભાષણનો અંત "ઓમ શાંતિ ઓમ" જેવા ભારતીય આધ્યાત્મિક શબ્દો સાથે કર્યો. આ ભાષણે વિશ્વના મંચ પર ઇન્ડોનેશિયાની શાંતિપ્રિય નીતિ અને ભારત સાથેના સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કર્યા.
ગાઝા માટે ઇન્ડોનેશિયાનો શાંતિનો પ્રસ્તાવ
રાષ્ટ્રપતિ પ્રબોવોએ તેમના ભાષણમાં ગાઝામાં ચાલી રહેલી હિંસા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે (Prabowo Subianto) કહ્યું કે, માનવ મૂર્ખાઈ, જે ભય, જાતિવાદ અને ધિક્કારથી પ્રેરિત છે, તે આપણા સહિયારા ભવિષ્ય માટે મોટો ખતરો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે હાકલ કરી. સૌથી મહત્વની જાહેરાત એ હતી કે ઇન્ડોનેશિયા ગાઝામાં શાંતિ સ્થાપવા માટે 20,000 સૈનિકો મોકલવા તૈયાર છે. પ્રબોવોએ ભારપૂર્વક કહ્યું કે, "ઇન્ડોનેશિયા આજે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ દળમાં સૌથી મોટા યોગદાન આપનારા દેશોમાંનો એક છે. અમે એવા વિસ્તારોમાં સેવા આપવાનું ચાલુ રાખીશું જ્યાં શાંતિને માત્ર શબ્દોની નહીં, પરંતુ સૈનિકો સાથેના વાસ્તવિક રક્ષકોની જરૂર છે." આ નિવેદન દર્શાવે છે કે ઇન્ડોનેશિયા માત્ર બોલીને નહીં, પરંતુ વાસ્તવિક કાર્યવાહી કરીને વૈશ્વિક શાંતિ માટે પ્રતિબદ્ધ છે.
VIDEO | New York: Indonesian President Prabowo Subianto concluded his speech at the UN by saying, "Wassalamu'alaikum warahmatullahi wabarakatuh, Shalom, Om Shanti Shanti Shanti Om. Namo Budhaya. Thank you very much."#UNGA80
(Source: Third Party)
(Full video available on PTI… pic.twitter.com/LiNTWX70O3
— Press Trust of India (@PTI_News) September 24, 2025
હિંસા કોઈ જવાબ નથી : Prabowo Subianto
પ્રબોવો સુબિયાન્ટો (Prabowo Subianto) એ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષનો એકમાત્ર કાયમી ઉકેલ દ્વિ-રાજ્ય ઉકેલ (two-state solution) માં રહેલો હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, "પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંને સ્વતંત્ર અને સુરક્ષિત, ધમકીઓ અને આતંકવાદથી મુક્ત હોવા જોઈએ." આ નિવેદન બંને પક્ષોને સમાન રીતે સુરક્ષા અને સ્વતંત્રતા આપવાની વાત કરે છે, જે એક સંતુલિત અને સમજદાર અભિગમ દર્શાવે છે. તેમણે એક મહત્વપૂર્ણ સિદ્ધાંત પર ભાર મૂક્યો: "કોઈપણ રાજકીય સંઘર્ષનો જવાબ હિંસાથી આપી શકાતો નથી, કારણ કે હિંસા ફક્ત વધુ હિંસાને જન્મ આપે છે."
વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક એકતાનો સંદેશ
પ્રબોવો સુબિયાન્ટોએ તેમના 19 મિનિટના ભાષણનું સમાપન બહુ-સાંસ્કૃતિક અને ધાર્મિક સદભાવનાના સંદેશ સાથે કર્યું. તેમણે "ઓમ શાંતિ શાંતિ શાંતિ ઓમ"" ઉપરાંત "નમો બુદ્ધાય" અને "શાલોમ શાલોમ" જેવા શબ્દો પણ ઉચ્ચાર્યા. આ શબ્દો અનુક્રમે હિન્દુ, બૌદ્ધ અને યહૂદી ધર્મના પવિત્ર મંત્રો છે. આ મંત્રોનો ઉપયોગ કરીને, તેમણે વિવિધ ધર્મો વચ્ચે એકતા અને સદભાવનાનો સંદેશ આપ્યો. આંતરરાષ્ટ્રીય મંચ પર આ પ્રકારની ધાર્મિક અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે, જેણે પ્રબોવોના ભાષણને અસામાન્ય અને યાદગાર બનાવ્યું.
આ પણ વાંચો : ભારતે UNHRC માં પડોશી દેશને અરીસો બતાવ્યો! પોતાના જ લોકો પર બોમ્બ વરસાવી રહ્યું છે પાકિસ્તાન


