Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ભારતના હઠીલા વલણને કારણે ટ્રમ્પ ટેરિફ વધારશે' હવે USના મોટા અધિકારીની ચેતવણી

રશિયા સાથેના તેલ વેપારને કારણે અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ લાદ્યો. અમેરિકન અધિકારીએ ભારતને 'જિદ્દી' ગણાવ્યું.
 ભારતના હઠીલા વલણને કારણે ટ્રમ્પ ટેરિફ વધારશે  હવે usના મોટા અધિકારીની ચેતવણી
Advertisement
  • વ્હાઈટ હાઉસના સલાહકાર કેવિન હેસેટનું નિવેદન (kevin hassett statement)
  • ટેરિફ મુદ્દે ઘેરાયેલા અમેરિકાની વણમાગી સલાહ
  • ભારત પીછેહઠ નહીં કરે તો કોઈ રાહત નહીંઃ US
  • ભારત પર હઠીલું વલણ અપનાવવાનો કર્યો આરોપ
  • અમેરિકન ઉત્પાદનો માટે ભારત બજાર ખોલેઃ હેસેટ
  • પ્રમુખ ટ્રમ્પ પોતાનું વલણ કડક કરી શકે છેઃ હેસેટ

kevin hassett statement : અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે, જેની સીધી અસર બંને દેશો વચ્ચેના વેપાર પર પડવાની શક્યતા છે. ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા તેલ વેપારને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નિર્ણય પછી, યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે એક નિવેદનમાં ભારતને 'જિદ્દી' ગણાવ્યું અને કહ્યું કે તે રશિયા સાથે વેપાર કરવાના પોતાના નિર્ણય પર અડગ છે, જ્યારે અમેરિકા શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે.

ભારત પર ટેરિફ અંગે અમેરિકન અધિકારીઓના ઘણા નિવેદનો બહાર આવ્યા છે. કેવિન હેસેટે કહ્યું કે જ્યારે અમેરિકા રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ભારત અમેરિકન માલ માટે તેના બજારો ખોલવાને બદલે 'જિદ્દી વલણ' અપનાવી રહ્યું છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને 'જટિલ' પણ ગણાવ્યા.

Advertisement

વ્હાઈટ હાઉસ ખાતે આપ્યુ નિવેદન (kevin hassett statement )

હેસેટે 27 ઓગસ્ટના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે 50% ટેરિફના નિર્ણયને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાના પ્રયાસ તરીકે યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો ભારત આ દબાણ છતાં પોતાના વલણ પર અડગ રહેશે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ વધુ કડક પગલાં લઈ શકે છે.

Advertisement

ભારતીય વેપારીઓમાં ચિંતાનું મોજુ

અમેરિકાના આ પગલાની ચારે બાજુથી ટીકા પણ થઈ રહી છે. આ મહિને ભારત પર 25% ના બે હપ્તામાં કુલ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ નવા ટેરિફની ઘણા ભારતીય વ્યવસાયો પર નકારાત્મક અસર થવાની ધારણા છે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોનું ભવિષ્ય હવે અનિશ્ચિત લાગે છે, કારણ કે અમેરિકા તેના નિર્ણય પર અડગ છે અને ભારત પણ તેની વિદેશ નીતિમાં લવચીકતા બતાવવા તૈયાર નથી. આ ઘટનાક્રમ વૈશ્વિક ભૂરાજનીતિમાં તણાવ પણ વધારી શકે છે.

આ પણ વાંચો :  America AI Challange: ટ્રમ્પની પત્નીનો AI ચેલેન્જ, વિજેતાને મળશે 8.78 લાખ રૂપિયા, જાણો શું કરવું પડશે?

Tags :
Advertisement

.

×