ભારતના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરનો આખો પરિવાર ખતમ, કમાન્ડરે કરી કબૂલાત
- ભારતના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરનો પરિવાર ખતમ (Masood Azhar family killed)
- Jaish-e-Mohammed ના કમાન્ડરે ઘટનાની કરી કબૂલી વાત
- ભારતે આંતકવાદીઓના ઠેકાણા પર કર્યા હતા ભયંકર હુમલા
- ભારતના આ હુમલામાં નવ ઠેકાણા સંપૂર્ણ નાશ પામ્યા હતા
Masood Azhar family killed : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, 6-7 મેની રાત્રે, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભીષણ હુમલા કર્યા હતા. હવે જૈશ-એ-મોહમ્મદ (JeM) ના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ પોતે સ્વીકાર્યું છે કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો હતો.
આતંકવાદી ઠેકાણાઓનો નાશ
ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા આતંકવાદી ઠેકાણાઓમાં પાકિસ્તાનના કુખ્યાત ગઢ બહાવલપુર, કોટલી અને મુરીદકેનો સમાવેશ થાય છે. આ ઠેકાણાઓને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા (LeT) જેવા આતંકવાદી સંગઠનોના કેન્દ્ર માનવામાં આવે છે. પાકિસ્તાને પણ સ્વીકાર્યું છે કે આ હુમલાઓમાં નવ ઠેકાણા સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક પણ સામેલ છે.
🚨 #Exclusive 🇵🇰👺
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
બહાવલપુર મુખ્ય મથક નિશાન બન્યું (Masood Azhar family killed)
પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનું ગઢ માનવામાં આવે છે. અહીંની જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને 'ઉસ્માન-ઓ-અલી કેમ્પસ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જૈશનું કાર્યકારી મુખ્યાલય છે. આ સ્થાન પરથી મસૂદ અઝહર ભારતમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડતો હતો. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આ મસ્જિદ સંપૂર્ણપણે નાશ પામી હતી. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના સભ્યો પણ મૃત્યુ પામ્યા હતા.
UNએ આતંકવાદી સંગઠન કર્યું છે જાહેર (Masood Azhar family killed)
મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ એક વીડિયોમાં કહ્યું છે કે ભારતીય સેનાએ બહાવલપુરમાં મસૂદ અઝહરના ઠેકાણા પર હુમલો કરીને તેના પરિવારને "તોડી નાખ્યો" હતો. તેમનું નિવેદન એ પણ સાબિત કરે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે, જેના પુરાવા ભારત હંમેશા પૂરા પાડતું રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદની સ્થાપના 2000 ના દાયકામાં થઈ હતી અને બાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર પોપ્યુલર પાકિસ્તાનીએ પોતાની જ ટીમના ઉડાવ્યા ધજાગરા! Video Viral


