Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાતચીત

PM Modi-Zelenskyy Talk : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી (PM Modi-Zelenskyy Talk) સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન મોદીને સવિસ્તારથી માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય મુજબ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર...
pm મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાતચીત
Advertisement

PM Modi-Zelenskyy Talk : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી (PM Modi-Zelenskyy Talk) સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન મોદીને સવિસ્તારથી માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલય મુજબ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન કરવા અને સ્થિતિ કાબૂમાં આવે તેને લઈને ભારતના દૃઢ વલણ દાખવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન જરૂરી સહયોગ આપવાનો ઉલ્લેખ કર્યો.

PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધા મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.'

Advertisement

Advertisement

આ પણ  વાંચો -પશ્ચિમ આફ્રિકામાં મોટી દુર્ઘટના: પ્રવાસીઓ સવાર બોટ પલટતા 70 લોકોના મોત!

ઝેલેન્સ્કીએ શું કહ્યું?

જ્યારે ઝેલેન્સ્કીએ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'મે ભારતના પીએમ મોદી સાથે વાત કરી. મે વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે યુરોપીય નેતાઓની ભાગીદારી વાળી વાતચીતની જાણકારી આપી. યુક્રેને રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે માટે પોતાની તૈયારીનો બતાવી છે. લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે અને આ સમય દરમિયાન જ્યારે રશિયાએ રાજદ્વારી તૈયારીઓ કરવી જોઈતી હતી, ત્યારે મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેતો આપ્યા નથી. તેણે ફક્ત નાગરિક ઠેકાણાઓ પર નિંદનીય હુમલાઓ કર્યા છે અને આપણા ડઝનબંધ લોકો માર્યા ગયા છે. પીડિતોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે વ્યક્ત કરેલી સંવેદના બદલ હું વડાપ્રધાનનો આભાર માનું છું. અમે શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા અમારી સ્થિતિનું સંકલન કર્યું. ભારત સમિટની બાજુમાં બેઠકો દરમિયાન રશિયા અને અન્ય નેતાઓને યોગ્ય સંકેત મોકલવા માટે તૈયાર છે. ભવિષ્યમાં વડાપ્રધાનને મળવામાં મને ખુશી થશે.'

આ પણ  વાંચો -PM Modi China Visit : જાપાન બાદ PM મોદી ચીન પહોંચ્યા, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ

શાંતિ વિશે અર્થપૂર્ણ વાત કરવી અશક્ય

ઝેલેન્સકીએ કહ્યું, "શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ પહેલા, અમે અમારા વલણ પર સંમત થયા હતા. આ યુદ્ધ તાત્કાલિક યુદ્ધવિરામ અને જરૂરી શાંતિ સાથે સમાપ્ત થવું જોઈએ. દરેક વ્યક્તિ આ વલણને સમજે છે અને તેનું સમર્થન કરે છે. જ્યારે આપણા શહેરો અને સમુદાયો સતત ગોળીબાર હેઠળ હોય ત્યારે શાંતિ વિશે અર્થપૂર્ણ વાત કરવી અશક્ય છે. ભારત જરૂરી પ્રયાસો કરવા અને સમિટની બાજુમાં બેઠકો દરમિયાન રશિયા અને અન્ય નેતાઓને યોગ્ય સંકેતો મોકલવા માટે તૈયાર છે.

Tags :
Advertisement

.

×