Tonga Earthquake: મ્યાનમાર બાદ હવે ટોંગામાં ધરા ધ્રુજી, 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
- મ્યાનમાર બાદ ટોંગામાં ધરા ધ્રુજી
- ટોંગામાં 7.1 ની તીવ્રતા ભૂકંપ
Tonga Earthquake: મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત છે. એવામાં હવે પેસિફિક દ્વીપના વધુ એક દેશમાં શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. ટોંગામાં આજે ભૂકંપના (Tonga Earthquake)આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. અધિક તીવ્રતાના કારણે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ભૂકંપના કેન્દ્રથી 300 કિમી દૂર
US જિયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોંગાની નજીક હતું. ભૂકંપના કેન્દ્રથી 300 કિમી દૂર સુધી દરિયામાં ઊંચા ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે ટોંગા એક એવો દેશ જે 171 ટાપુઓથી બન્યો છે અને તેની વસતિ આશરે એક લાખ છે. આ દેશ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટથી 3500 કિમી દૂર સ્થિત છે.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી જારી કરી હતી કે ખતરનાક મોજા ભૂકંપના કેન્દ્રના 300 કિલોમીટર (185 માઇલ)ની અંદર દરિયાકાંઠે અથડાઈ શકે છે, જોકે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. ટોંગા એ પોલિનેશિયામાં સ્થિત એક દેશ છે, જે 171 ટાપુઓથી બનેલો છે, જેની વસ્તી માત્ર 100,000 થી વધુ છે, જેમાંથી મોટાભાગના લોકો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે 3,500 કિલોમીટર (2,000 માઇલ)થી વધુ દૂર ટોંગાટાપુના મુખ્ય ટાપુ પર રહે છે.
આ પણ વાંચો -Bangkok Earthquake: થાઈલેન્ડની 33 માળની ઈમારત ધરાશાયી થતા જ ઉતરી ગયું ચીનનું અભિમાન
મ્યાનમાર અને ભૂટાનમાં ભૂકંપમાં 150 લોકોના મોત થયા છે
આ શક્તિશાળી ધરતીકંપ આ પ્રદેશમાં તાજેતરની ધરતીકંપની પ્રવૃત્તિઓની શ્રેણીને અનુસરે છે, જે દક્ષિણ પેસિફિક પ્રદેશની વર્તમાન ભૂસ્તરશાસ્ત્રીય અસ્થિરતાને પ્રકાશિત કરે છે.
આ પણ વાંચો -Vladimir Putin : પુતિનની કારમાં વિસ્ફોટ, રશિયામાં અરાજકતા, શું હત્યાનું કાવતરું હતું?
મ્યાનમારમાં પણ આજે આંચકો આવ્યો
મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,700 લોકો માર્યા ગયા છે અને 3,400 લોકો ઘાયલ થયા છે, ત્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું હતું કે, મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે આજે રવિવારે (30 માર્ચ, 2025) 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગત શુક્રવારે દેશમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ એક પછી એક આંચકા અનુભવાય છે. મ્યાનમારની ધરા 72 કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. આજે રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે બચાવ કામગીરી યથાવત છે.