Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને જીત માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 70મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતી હૈદરાબાદની ટીમે પંજાબ સામે જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો છે. SRH માટે અભિષેક શર્માએ સૌથી વધુ 43 રન બનાવ્યા જ્યારે શેફર્ડે 26 અને સુંદરે 25 રન બનાવ્યા. હૈદરાબાદનો સ્કોર 16 ઓવર સુધી 99 રન હતો, છેલ્લી ચાર ઓવરમાં આ બંને બેટ્સમેનોએ કુલ 58 રન ઉમેàª
સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને જીત માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો
Advertisement

IPL 2022 ની 70મી મેચ
સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી
છે.આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતી હૈદરાબાદની ટીમે પંજાબ
સામે જીતવા માટે
158 રનનો ટાર્ગેટ
આપ્યો છે.
SRH માટે અભિષેક શર્માએ સૌથી વધુ 43 રન બનાવ્યા જ્યારે શેફર્ડે 26 અને સુંદરે 25 રન બનાવ્યા.
હૈદરાબાદનો સ્કોર
16 ઓવર સુધી 99 રન હતો, છેલ્લી ચાર
ઓવરમાં આ બંને બેટ્સમેનોએ કુલ
58 રન ઉમેર્યા
હતા. પંજાબ તરફથી નાથન એલિસ અને હરપ્રીત બ્રારે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.


આ લીગ
તબક્કાની છેલ્લી મેચ છે. આ મેચ પ્લેઓફ પર અસર કરશે નહીં કારણ કે ગુજરાત ટાઇટન્સ
, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર
જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલાથી જ નોકઆઉટમાં પહોંચી ચૂક્યા છે.
હૈદરાબાદ અને પંજાબ
13માંથી 6-6 મેચ જીતીને
લીગ સ્ટેજમાં
7મા અને 8મા ક્રમે છે, આ મેચ દ્વારા બંને ટીમો પોઈન્ટ ટેબલમાં સુધારો
કરવા પર નજર રાખશે. હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર સ્વદેશ પરત ફરી
રહ્યો છે
. આજે ભુવનેશ્વર કુમારને કુમારના હાથમાં કમાન સોંપવામાં આવી છે. 

Advertisement
Tags :
Advertisement

.

×