ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : હવે તો હદ થઇ ગઇ! ઓશવાળ આયુષ હોસ્પિટલમાં 35 જેટલાં દર્દીના જરૂર વિના ઓપરેશન કરાયા

જામનગરમાં ઓશવાળ આયુષ હોસ્પિટલનો ચોંકાવનારો કૌભાંડ બહાર આવતા તબીબી ક્ષેત્રમાં હંગામો મચ્યો છે. હોસ્પિટલ પર PMJAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને 35 દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. આર્થિક લાભ માટે દર્દીઓના જીવ સાથે રમત થતા રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલ પર કડક પગલાં લેવામાં આવ્યા છે.
10:20 AM Dec 06, 2025 IST | Hardik Shah
જામનગરમાં ઓશવાળ આયુષ હોસ્પિટલનો ચોંકાવનારો કૌભાંડ બહાર આવતા તબીબી ક્ષેત્રમાં હંગામો મચ્યો છે. હોસ્પિટલ પર PMJAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને 35 દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. આર્થિક લાભ માટે દર્દીઓના જીવ સાથે રમત થતા રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલ પર કડક પગલાં લેવામાં આવ્યા છે.
Oshwal_Ayush_Hospital_scam_in_Jamnagar_Gujarat_First

Jamnagar Hospital Scam : ગુજરાતના તબીબી જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના જામનગર (Jamnagar) માંથી સામે આવી છે. હજુ થોડા સમય પહેલા જ જામનગરની જે.સી.સી. (JCC) હોસ્પિટલનું કૌભાંડ શાંત થયું નથી, ત્યાં હવે ઓશવાળ આયુષ હોસ્પિટલનું એક મોટું કારસ્તાન પકડાયું છે. સરકારની લોકકલ્યાણકારી યોજના PMJAY (આયુષ્માન ભારત યોજના) નો ગેરલાભ ઉઠાવીને હોસ્પિટલે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જે ચેડાં કર્યા છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. આ માત્ર આર્થિક કૌભાંડ નથી, પરંતુ માનવતા નેવે મૂકીને કરાયેલું કૃત્ય છે.

શું છે સમગ્ર મામલો? લાલચમાં દર્દીઓના જીવ જોખમમાં

આયુષ્માન ભારત યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે, જેથી તેઓ મોંઘી સારવાર મફતમાં મેળવી શકે. પરંતુ જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલે આ યોજનાને કમાણીનું સાધન બનાવી દીધું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ ભેગા મળીને PMJAY યોજનામાંથી રૂપિયા ખંખેરવા માટે એક વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. ચોંકાવનારી વિગત એ છે કે, હોસ્પિટલમાં આવેલા 35 જેટલા દર્દીઓને ખરેખર હૃદયના ઓપરેશનની કે સ્ટેન્ડ મુકવાની કોઈ જરૂર જ નહોતી. તેમ છતાં, ડોક્ટરોએ આ દર્દીઓને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને તેમની એન્જીયોપ્લાસ્ટી કરી નાખી અને સ્ટેન્ડ બેસાડી દીધા. આ બિનજરૂરી ઓપરેશનો માત્ર એટલા માટે કરવામાં આવ્યા જેથી સરકાર પાસેથી સારવારના પૈસા ક્લેમ કરી શકાય.

42 લાખ મેળવવા મોટું જોખમ ખેડ્યું (Jamnagar Hospital Scam)

હોસ્પિટલનો ઈરાદો સ્પષ્ટ હતો - સરકારી તિજોરીમાંથી નાણાં સેરવવા. આ 35 દર્દીઓના ઓપરેશન કરીને હોસ્પિટલે PMJAY યોજના હેઠળ અંદાજે 42 લાખ રૂપિયા મંજૂર પણ કરાવી લીધા હતા. એક તરફ દર્દીઓ હોસ્પિટલ પર ભરોસો મૂકીને સારવાર કરાવતા હતા, અને બીજી તરફ હોસ્પિટલ તેમને બિનજરૂરી મેડિકલ પ્રક્રિયાઓમાંથી પસાર કરી રહી હતી. આ ઘટના સામે આવતા જે દર્દીઓએ અહીં સારવાર લીધી છે, તેમના જીવ તાળવે ચોંટ્યા છે કે તેમને ખરેખર તકલીફ હતી કે કેમ.

આરોગ્ય કમિશનરની લાલ આંખ

જ્યારે આ કૌભાંડની વિગતો રાજ્યના આરોગ્ય વિભાગના ધ્યાને આવી, ત્યારે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આરોગ્ય કમિશનર દ્વારા આ મામલે અત્યંત કડક વલણ દાખવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ હોસ્પિટલ આવું દુસ્સાહસ ન કરે. કૌભાંડની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે ઓશવાળ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજાર રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. હોસ્પિટલના જે કાર્ડિયોલોજી (હૃદય રોગ) વિભાગમાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું, તે વિભાગને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે આ હોસ્પિટલ કાર્ડિયોલોજી માટે સરકારની આ યોજનાનો લાભ નહીં લઈ શકે. ઉપરાંત આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હોસ્પિટલના ડો. શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુત્રોની માનીએ તો તેમની સામે તપાસના આદેશ અપાયા છે.

તબીબી આલમમાં ફફડાટ અને દર્દીઓમાં ડર

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એક પછી એક આવી ઘટનાઓ સામે આવતા લોકોનો વિશ્વાસ મેડિકલ વ્યવસ્થા પરથી ડગી રહ્યો છે. અગાઉ JCC હોસ્પિટલ અને હવે ઓશવાળ હોસ્પિટલના કાંડે સાબિત કર્યું છે કે અમુક તત્વો માટે દર્દીનો જીવ નહીં પણ પૈસો મહત્વનો છે.

આ પણ વાંચો :  Jamnagar : GG હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, આઉટસોર્સ કર્મચારીઓએ આચાર્યું કૌભાંડ

Tags :
Ayush Hospital ControversyCardiac Surgery ScamDoctor SuspensionFake AngioplastyGovernment PenaltyGujarat FirstGujarat health departmentHealthcare CorruptionJamnagar Hospital ScamMedical MalpracticePMJAY fraud
Next Article