Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh News: પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું

ભવનાથ મંદિરના સરકારનું શાસન લાગુ થયું છે તેમાં મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી
junagadh news  પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું
Advertisement
  • મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે
  • પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટદારની નિમણૂક
  • વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક

Junagadh News: જુનાગઢમાં પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું છે. જેમાં ભવનાથ મંદિરના સરકારનું શાસન લાગુ થયું છે. તેમાં મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે. તેમજ મંહત હરીગીરીની મુદત આજે પુર્ણ થતા તંત્રએ નિર્ણય લીધો છે. ભવનાથના મંહતની નિમણૂક કલેકટર કરે છે. જેમાં મંહત હરીગીરી સામે મહેશગીરીએ અનેક આક્ષેપો કર્યો હતા.

પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટદારની નિમણૂક

હરીગીરીએ સાધુ સંતો અને કલેકટરોને મંહત બનવા કરોડો રૂપિયા દીધાના કાગળો જાહેર થયા હતા. તથા ભવનાથ મંદિરના પ્રેમગીરી અતિથિ ભવન નામનું પાચ માળનું બિલ્ડિંગ મનપાની મંજૂરી વગર બનાવી નાખ્યું છે અને તેનો ટ્રસ્ટના હિસાબોમાં ઉલ્લેખ ન કર્યો આવા અનેક વિવાદો વચ્ચે પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટદારની નિમણૂક કરાઇ છે. જેમાં જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર ચાર્જ સંભાળી લેશે. જુનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકના મામલે મહંત રિપીટ થશે કે વહીવટદારની નિમણૂક થશે તેની અટકળનો અંત આવી ગયો છે.

Advertisement

Advertisement

વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક

ભવનાથ મંદિરમાં પ્રથમવાર વહીવટદાર શાસન છે. જેમાં વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે. ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર ચાર્જ સંભાળી લેશે. મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થતાં તંત્રએ નિર્ણય કર્યો છે. ભારે વિવાદો વચ્ચે મંદિરમાં પ્રથમ વખત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 31 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×