ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ગુમ થયા હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા

Junagadh: આજે 2 નવેમ્બર સવારે ત્રણ વાગે ગુમ થયા બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સુસાઈડ નોટમાં કેટલીક અંગત ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો Junagadh: જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા રદ થયા બાદ પણ જુનાગઢમાં ભક્તોની ભારે ભીડ...
01:13 PM Nov 02, 2025 IST | SANJAY
Junagadh: આજે 2 નવેમ્બર સવારે ત્રણ વાગે ગુમ થયા બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સુસાઈડ નોટમાં કેટલીક અંગત ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો Junagadh: જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા રદ થયા બાદ પણ જુનાગઢમાં ભક્તોની ભારે ભીડ...
Junagadh, Mahamandaleshwar, Mahadev Bharati Bapu, Girnar, Gujarat

Junagadh: જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા રદ થયા બાદ પણ જુનાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુ ગુમ થયા હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભવનાથ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીજી સ્યુસાઇડ નોટ લખી ગુમ થઇ ગયા છે.

આજે 2 નવેમ્બર સવારે ત્રણ વાગે ગુમ થયા

ઉલ્લેખનીય છે કે આજે 2 નવેમ્બર સવારે ત્રણ વાગે ગુમ થયા છે. જેમાં ભવનાથ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. તથા ભવનાથ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ સ્થળોએ શોધખોળ કરવામાં આવી રહી છે. સ્યુસાઇડ નોટમાં અંગત કોઈ મનદુઃખ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. જેમાં ફરી એક વખત ભારતી આશ્રમ વિવાદમાં આવ્યો છે. ક્યાં કારણસર ગુમ થયા એ અંગે હજુ કારણ અકબંધ છે.

Junagadh: સુસાઈડ નોટમાં કેટલીક અંગત ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો

ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના મુખ્ય પૂજારી મહાદેવ ભારતી આજે સવારે આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા, તેમણે ત્રણ પાનાથી વધુની સુસાઈડ નોટ લખી હતી. આશ્રમના અધિકારીઓએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે ભવનાથ પોલીસે જણાવ્યું હતું કે આશ્રમના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી કે મહાદેવ ભારતી આજે વહેલી સવારે સુસાઈડ નોટ લખીને આશ્રમ છોડી ગયા હતા. તેમણે નોટમાં કેટલીક અંગત ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

વધુમાં, સુસાઈડ નોટમાં ઉલ્લેખિત નામો વિશે પૂછવામાં આવતા, ભવનાથ પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. હાલમાં, પોલીસે મહાદેવ ભારતીની શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં મહાદેવ ભારતીબાપુએ અંગત મનદુખ હોવાને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે, ત્યારે મહાદેવ ભારતીબાપુ ગુમ થતા આશ્રમના સેવકો ચિંતાતૂર બન્યા છે. સુસાઇડ નોટમાં કોના નામ લખવામાં આવ્યા છે તે મામલે પૂછતા ભવનાથ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. હાલ મહાદેવભારતી બાપુની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુસાઈડ નોટમાં કોના નામ લખાયા તે હજી ખુલાસો થયો નથી, પરંતુ એકાએક મહાદેવભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Gujarat Farmer: માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર, સોશિયલ મીડિયા મારફતે CMએ વ્યક્ત કર્યો નિર્ધાર

Tags :
GirnarGujaratJunagadhMahadev Bharati BapuMahamandaleshwar
Next Article