Junagadh : મહંત સુખરામદાસ બાપુનું મોટું નિવેદન, કહ્યું- હવે દરેક ઘરમાં શસ્ત્ર..!
- Junagadh માં મેંદરડા ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુનું નિવેદન
- હવે દરેક ઘરમાં શસ્ત્ર રાખવું અનિવાર્ય : સુખરામદાસ બાપુ
- શસ્ત્ર, શાસ્ત્ર હિન્દુઓને આપશે રક્ષણઃ સુખરામદાસ બાપુ
- "વિજયાદશમી પર પોતાના ઘરે અવશ્ય શસ્ત્ર પૂજન કરો"
Junagadh : જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું (Mahant Sukhramdas Bapu) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, શસ્ત્ર અને શાસ્ત્ર હિન્દુઓને રક્ષણ આપશે. આથી, હવે દરેક ઘરમાં શસ્ત્ર રાખવું અનિવાર્ય બની ગયું છે. આ સાથે મહંત સુખરામદાસ બાપુએ વિજયાદશમીનાં (Vijayadashami) દીવસે પોતાના ઘરે અવશ્ય શસ્ત્ર પૂજન કરો તેમ પણ કહ્યું છે.
આ પણ વાંચો - Bhavnagar : યુવતીની છેડતી કરતા ઇસમને પોલીસે દબોચ્યો, હવે થયા આવા હાલ!
Junagadh માં મહંત સુખરામદાસ બાપુનું મોટું નિવેદન
જુનાગઢ જિલ્લાના (Junagadh) મેંદરડા ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુએ હિન્દુ ધર્મનાં લોકોને સલાહ આપતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હવે દરેક ઘરમાં શસ્ત્ર રાખવું અનિવાર્ય બની ગયું છે. આજના યુગમાં, જ્યાં અનિશ્ચિતતા અને જોખમ વધ્યું છે, ત્યાં શસ્ત્ર અને શાસ્ત્ર હિન્દુઓને રક્ષણ આપશે. બાપુએ આગળ કહ્યું કે, વિજયાદશમી પર પોતાના ઘરે અવશ્ય શસ્ત્ર પૂજન કરો. હિન્દુ સંગઠનોનાં (Hindu Religion) શસ્ત્ર પૂજનમાં અવશ્ય હાજરી આપો.
આ પણ વાંચો - શિક્ષણના મંદિરમાં નશો : Gujarat University વિવાદ પર કોંગ્રેસના આકરા પ્રહાર
મહિલાઓ પોતાના પર્સમાં શસ્ત્ર અને શાસ્ત્ર પણ રાખે : સુખરામદાસ બાપુ
મહંત સુખરામદાસ બાપુએ (Mahant Sukhramdas Bapu) મહિલા સુરક્ષાની વાત કરતા કહ્યું કે, મહિલાઓ, પોતાના પર્સમાં શસ્ત્ર અને શાસ્ત્ર પણ રાખો. આ બંને તમારી શક્તિ અને જ્ઞાનનાં પ્રતીક બનશે. બાપુએ કહ્યું કે, વીજયાદશમીનાં દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આથી, વિજયાદશમી પર પોતાના ઘરે અવશ્ય શસ્ત્ર પૂજન કરવું જોઈએ.
આ પણ વાંચો - Surendranagar : ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી સાથે લાફાવાળી! ઘટના CCTV માં કેદ


