H3N2 વાયરસને સામાન્ય તાવ સમજવાની ભૂલ ના કરતા, દિલ્હીમાં તેજી પકડી
- દિલ્હીમાં નવા વાયરસે તેજી પકડતા લોકોમાં ભયનો માહોલ
- તાવ સહિતના લક્ષણો ધરાવતા વાયરસને હળવામાં લેવું જોઇએ નહિં
- નિષ્ણાંત દ્વારા સૂચિત લક્ષણો દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો
H3N2 Virus Spread In Delhi : કોરોના વાયરસનો (Corona Virus) ડર હજુ લોકોના દિલમાંથી સંપૂર્ણપણે ગયો નથી, અને દિલ્હીમાં વધુ એક નવો વાયરસ ઝડપથી ફેલાઈ ગયો છે. આજકાલ દિલ્હીમાં H3N2 વાયરસથી (H3N2 Virus Spread In Delhi) પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ચિંતાની વાત એ છે કે, આ વાયરસના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા દેખાય છે, પરંતુ તે સામાન્ય ફ્લૂથી અલગ છે, અને પેરાસીટામોલ જેવી સામાન્ય તાવની દવાથી પણ તેનો ઈલાજ થતો નથી. આ વાયરસ મોટે ભાગે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પોતાનો શિકાર બનાવે છે. જો તમે દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં રહો છો, તો તમારા માટે H3N2 વાયરસના લક્ષણો, કારણો અને નિવારણના પગલાં જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
H3N2 વાયરસ શું છે ?
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (H3N2 Virus Spread In Delhi) એક પ્રકારનો ફ્લૂ પેદા કરતો ઈન્ફલ્યુએન્ઝા A વાયરસ છે, જે મનુષ્યો અને પ્રાણીઓ બંનેને અસર કરી શકે છે. H3N2 ફ્લૂને સામાન્ય ભાષામાં મોસમી ફ્લૂનું ગંભીર સ્વરૂપ કહી શકાય. આ વાયરસના 'H' નો અર્થ હેમાગ્લુટીનિન અને 'N' નો અર્થ ન્યુરામિનિડેઝ છે. આ બંને વાયરસની સપાટી પર પ્રોટીન છે. આ પ્રોટીનના આધારે H3N2 ઓળખાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ICMR ના અહેવાલ મુજબ, H3N2 ફ્લૂ સામાન્ય ફ્લૂ કરતા ઝડપથી ફેલાઈ શકે છે, અને ગંભીર લક્ષણો પેદા કરી શકે છે.
દિલ્હીમાં H3N2 ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે ?
દિલ્હીમાં વધતું પ્રદૂષણ બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. આ સ્થિતિમાં, દિલ્હી શહેરની ભીડ અને નબળી રોગપ્રતિકારક શક્તિ આ વાયરસને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાવામાં મદદ કરે છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા (H3N2 Virus Spread In Delhi) વાયરસના લક્ષણો
- સતત તાવ
- સતત સૂકી ઉધરસ
- ગળામાં દુખાવો
- ક્યારેક તે ફેફસાના ચેપ અથવા ન્યુમોનિયા તરફ દોરી શકે છે
- માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો
- શ્વાસ લેવામાં તકલીફ
- નાક વહેતું કે બંધ થઈ જવું
- ગંભીર થાક અને નબળાઈ
- ભૂખ ન લાગવી
- છાતીમાં દુખાવો અથવા ભારેપણું
- ઉલટી
- પેટ ખરાબ થવું
- અનિદ્રા
- બેચેની અનુભવવી
H3N2 ફ્લૂથી (H3N2 Virus Spread In Delhi) બચવા
- માસ્કનો નિયમિત ઉપયોગ
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો
- વારંવાર હાથ ધોવા
- સંતુલિત અને પૌષ્ટિક આહાર લો
- પૂરતી ઊંઘ લો
- પુષ્કળ પાણી પીવો
- જો તાવ 2 દિવસથી વધુ સમય સુધી રહે, શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા છાતીમાં દુખાવો હોય, તો તરત જ ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવો અને સમયસર પરીક્ષણ કરાવો.
આ પણ વાંચો ------ વોશરૂમમાં લાંબો સમય બેસવું ખતરાની નિશાની, આટલી આદતો સુધારો


