Operation Sindoor 2.0 : કરાચી પર ભારતીય નેવીનો સૌથી મોટો હુમલો, કરાંચી બંદરને કર્યું તબાહ
- ઓપરેશન સિંદૂર બાદ એલર્ટ પર ભારતીય સેના
- પાકિસ્તાનની નાપાક હરકતનો જવાબ આપતા ભારતીય સેના તૈયાર
- દેશના તમામ બોર્ડર વિસ્તારો હાઇએલર્ટ પર
- કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જવાનો તૈનાત
- બોર્ડર વિસ્તારોમાં એલર્ટ સિસ્ટમ એક્ટીવ કરી દેવામાં આવી
- હાલ ગભરાઇ ગયેલું પાકિસ્તાન મારી રહ્યુ છે હવાતિયા
- જો પાકિસ્તાન કોઇ સળી કરી, તો ગયું સમજો
- હવે ભારત પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી
- આકાશથી લઇ જમીન સુધી ખૂણે-ખૂણા પર નજર
Salute to Indian Forces : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં 26 નાગરિકો, જેમાં મોટાભાગે પર્યટકો હતા, તેમણે જીવ ગુમાવ્યો હતો. આ હુમલાના જવાબમાં, ભારતે 7 મે, 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' નામથી હવાઈ અને મિસાઈલ અટેક શરૂ કરી, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલો ભારત દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓને ઠાર કરવા માટે કરવામાં આવ્યું હતો.
અમને દેશની સેના પર ગર્વ છે: અખિલેશ યાદવ
May 9, 2025 12:22 am
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું, "અમને આપણા દેશની બહાદુર સેના પર ગર્વ છે. આપણે બધા દેશની સાથે છીએ! કટોકટીનો સમય વધુ સમજણ માંગી લે છે. બધા દેશવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ અપ્રમાણિત સમાચાર અને માહિતી પર વિશ્વાસ ન કરે, અને તેનો વધુ પ્રચાર ન કરે. આવા સમાચાર દેશના દુશ્મનો દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણા પણ હોઈ શકે છે, એટલે કે તે દુશ્મનની યુક્તિ અથવા કાવતરું પણ હોઈ શકે છે, તેથી ગેરમાર્ગે દોરશો નહીં કે ઉશ્કેરશો નહીં. તમારા પોતાના સ્તરે જવાબદારીપૂર્વક વર્તન કરો. પોતે શાંત રહો અને અન્યોને શાંત રહેવા માટે પ્રેરણા આપો. આપત્તિના સમયમાં એકતા બતાવો."
हमें अपने देश की बहादुर सेना पर गर्व है। हम सब देश के साथ हैं!
— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2025
सकंट का समय समझदारी की और भी अधिक माँग करता है। सभी देशवासियों से अपील है कि किसी भी अपुष्ट समाचार और सूचना पर न तो विश्वास करें, न ही आगे प्रचारित और प्रसारित करें। ऐसे समाचार देश के दुश्मनों के द्वारा फैलाये गये…
ચંદીગઢમાં પણ બ્લેકઆઉટ
May 8, 2025 9:53 pm
જેસલમેર, શ્રીગંગાનગર અને ચંદીગઢમાં પણ બ્લેકઆઉટ. આ ઉપરાંત શ્રીગંગાનગરના અનુપનગરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે. ચંદીગઢમાં પણ બ્લેકઆઉટ થયું છે.
#WATCH | A complete blackout has been enforced in Jalandhar, Punjab pic.twitter.com/VbQFHB4en6
— ANI (@ANI) May 8, 2025
પાકિસ્તાનની 8 મિસાઈલને તોડી પાડી ભારતે
May 8, 2025 9:20 pm
પાકિસ્તાનના હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાનની 8 મિસાઈલને ભારતે તોડી પાડ્યા છે. ભારતે પાક.ના f-16 જેટ અને બે JF-17 જેટને તોડ્યા છે. S-400 મિસાઈલ દ્વારા પાક.ના હુમલા નિષ્ફળ કર્યા. સરહદ પર ઢાલની જેમ અડગ છે ભારતીય સેના.
Pakistan launched 8 missiles at Satwari, Samba, RS Pura and Arnia sector, All intercepted by Indian Air Defence units: Defence Sources pic.twitter.com/Tkc6wGazIp
— ANI (@ANI) May 8, 2025
જમ્મુના અનેક વિસ્તારોમાં ડ્રોન દેખાયા
May 8, 2025 8:47 pm
જમ્મુના અનેક વિસ્તારોમાં ડ્રોન દેખાયા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ જમ્મુ એરપોર્ટ પર રોકેટ ફાયર કરવામાં આવ્યું હતું. સમગ્ર જમ્મુમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. જમ્મુમાં વીજળી બંધ કરવામાં આવી છે. તેમજ સાયરન વગાડવામાં આવ્યા છે. સમગ્ર જમ્મુમાં મોબાઈલ સેવા બંધ કરવામાં આવી છે.
#WATCH | Sirens being heard in Akhnoor, Jammu and Kashmir
— ANI (@ANI) May 8, 2025
More details awaited. pic.twitter.com/eiGdyj14Tq
પાકિસ્તાનમાં ભારતની કાર્યવાહીથી વિશ્વમાં હડકંપ
May 8, 2025 7:16 pm
ભારતના પલટવાર બાદ પાકિસ્તાનમાં મોટો હડકંપ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારતની કાર્યવાહીથી વિશ્વમાં હડકંપ મચ્યો છે. વિશ્વના 9 દેશોએ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમજ પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાની સૂચના આપી દીધી છે. અમેરિકા, બ્રિટન, ચીન, સિંગાપોરના નાગરિકોને સૂચના આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, રશિયા, આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. લાહોરમાં ભારતના હાર્પી ડ્રોને તબાહી મચાવી દીધી છે. ભારત પર હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ મોટો પલટવાર થયો છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં મોટાપાયે હુમલો કર્યો છે.
પાકિસ્તાન પ્રચાર ફેલાવી રહ્યું છે, દરેક ધર્મના લોકોએ પાકિસ્તાનની નિંદા કરી: વિદેશ સચિવ
May 8, 2025 6:15 pm
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતની કાર્યવાહી આતંકવાદી માળખાને નષ્ટ કરવા સુધી મર્યાદિત હતી; અમે નાગરિકો કે લશ્કરી મથકો પર હુમલો કર્યો નથી, પરંતુ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના માહિતી મંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન કે અહીં કોઈ આતંકવાદી નથી તે સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક છે. પાકિસ્તાન હજુ પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન ત્યાં મળી આવ્યો હતો અને પાકિસ્તાને તેને 'શહીદ' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા "સંયુક્ત તપાસ" ની ઓફર ફરી એકવાર સમય બચાવવા અને પોતાને બચાવવાની રણનીતિ છે. ભારતે 26/11 અને પઠાણકોટ જેવા હુમલાઓની તપાસમાં સહકાર આપ્યો હતો, પરંતુ પાકિસ્તાને કેસોને પડદા પર મૂકી દીધા હતા. મુંબઈ હુમલા અંગે વિગતવાર પુરાવા આપ્યા છતાં, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. પઠાણકોટ કેસમાં, પાકિસ્તાની ટીમને ડીએનએ વિશ્લેષણ અને આતંકવાદી સંગઠનોના અધિકારીઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી, પરંતુ હજુ પણ કોઈ પ્રગતિ થઈ નથી.
પાકિસ્તાન પ્રચાર ફેલાવી રહ્યું છે, દરેક ધર્મના લોકોએ પાકિસ્તાનની નિંદા કરી: વિદેશ સચિવ
May 8, 2025 6:13 pm
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતની કાર્યવાહી આતંકવાદી માળખાને નષ્ટ કરવા સુધી મર્યાદિત હતી; અમે નાગરિકો કે લશ્કરી મથકો પર હુમલો કર્યો નથી, પરંતુ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના માહિતી મંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન કે અહીં કોઈ આતંકવાદી નથી તે સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક છે. પાકિસ્તાન હજુ પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન ત્યાં મળી આવ્યો હતો અને પાકિસ્તાને તેને 'શહીદ' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા "સંયુક્ત તપાસ" ની ઓફર ફરી એકવાર સમય બચાવવા અને પોતાને બચાવવાની રણનીતિ છે.
પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને રક્ષણ આપે છે: વિક્રમ મિસરી
May 8, 2025 6:06 pm
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે સરહદ પારથી આપણા વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ ગઈકાલે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ગ્રુપ લશ્કર-એ-તૈયબાનું એક જાણીતું મોરચો છે. અમે પહેલગામ હુમલાની જવાબદારી લેનાર વ્યક્તિ વિશેની તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને આપી રહ્યા છીએ. TRF વિશે સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે. વિક્રમ મિશ્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે જ્યારે UNSC ના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત આવી ત્યારે ફક્ત પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો અને નામ હટાવી દીધું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી જૂથોને રક્ષણ અને સમર્થન આપી રહ્યું છે.
ગુલમર્ગમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
May 8, 2025 5:59 pm
ઓપરેશન સિંદૂર પછી નિયંત્રણ રેખા પર સતત ગોળીબારને ધ્યાનમાં રાખીને, ગુલમર્ગમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુલમર્ગમાં પ્રશાસને ગોંડોલા રાઈડ પણ બંધ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે આ વિસ્તારમાં હાજર તમામ પ્રવાસીઓને ખાલી કરાવવામાં આવ્યા હતા. જ્યારે આ વિસ્તારમાં આવતા તમામ પ્રવાસીઓને તંગમાર ચેકપોસ્ટથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે.
ચીને પાકિસ્તાનની મદદને ટાળી દીધી
May 8, 2025 5:59 pm
પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. દરમિયાન, ચીને પાકિસ્તાનને મદદ કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે શું ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ચીની જેટ સામેલ હતા, ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ બાબતથી વાકેફ નથી. રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન બેઇજિંગમાં એક મીડિયા બ્રીફિંગમાં બોલી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગઈકાલે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાને રાષ્ટ્રીય સભામાં કહ્યું હતું કે તેમણે પોતે ચીની ટીમને જણાવ્યું હતું કે કેવી રીતે ચીન પાસેથી પાકિસ્તાનને મળેલા જેટની મદદથી ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
શાહબાઝ શરીફે ઇમરજન્સી બેઠક બોલાવી
May 8, 2025 5:56 pm
ભારતના વળતા હુમલાથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઉતાવળે કટોકટી બેઠક બોલાવી છે.
મોદી સરકારનું ધ્યાન ગુણવત્તા અને જથ્થા પર છે: રાજનાથ સિંહ
May 8, 2025 5:56 pm
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય ગુણવત્તા સંમેલનમાં જણાવ્યું હતું કે મોદી સરકારે ગુણવત્તા અને માત્રા બંને પર ભાર મૂક્યો છે. આ દિશામાં ઘણા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઓર્ડનન્સ ફેક્ટરીનું કોર્પોરેટાઇઝેશન એ સૌથી મહત્વપૂર્ણ પગલાં પૈકીનું એક છે જે અમે ટૂંકા ગાળામાં સંરક્ષણ ઉત્પાદનમાં વ્યાપક સુધારો સુનિશ્ચિત કરવા માટે લીધા છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઘણી વિદેશી એરલાઇન્સે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી
May 8, 2025 5:55 pm
ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કરવામાં આવ્યા બાદ યુએસ સ્થિત યુનાઇટેડ એરલાઇન્સ અને કોરિયન એર સહિત અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સ ડાયવર્ટ અથવા રદ કરવામાં આવી છે. જ્યારે ભારતમાં એક ડઝન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સની છબીઓમાં હુમલા પછી ઓમાન, યુએઈ અને કુવૈત પર ઉડતી એરલાઇન્સની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે હવાઈ ક્ષેત્રમાં ભીડ થવાની શક્યતા વધી ગઈ હતી.
અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા: કર્નલ સોફિયા કુરેશી
May 8, 2025 5:54 pm
MEA એ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ યોજી. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે અમે લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા નથી. અમે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડ્યું
May 8, 2025 4:36 pm
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડ્યું છે. પાકિસ્તાનના એરપોર્ટ પર રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાને 9 મે સુધી NOTAM જાહેર કર્યુ
પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ભારતે કરી તબાહ
May 8, 2025 4:15 pm
ભારતના ઓપરેશન સિદૂર વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ભારતે તબાહ કરી છે. પાકિસ્તાનમાં રહેલી HQ-9 એર ડિફેન્સ સિસ્મટ ધ્વસ્ત થઈ છે. ચીને પાકિસ્તાનને આપી હતી HQ-9 એર ડિફેન્સ સિસ્મટ. HQ-9 ની મારક ક્ષમતા 120-150 કિમી હોવાનો ચીનનો દાવો છે.
પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ભારતે કરી તબાહ
May 8, 2025 4:15 pm
ભારતના ઓપરેશન સિદૂર વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ભારતે તબાહ કરી છે. પાકિસ્તાનમાં રહેલી HQ-9 એર ડિફેન્સ સિસ્મટ ધ્વસ્ત થઈ છે. ચીને પાકિસ્તાનને આપી હતી HQ-9 એર ડિફેન્સ સિસ્મટ. HQ-9 ની મારક ક્ષમતા 120-150 કિમી હોવાનો ચીનનો દાવો છે.
ભારત-પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈ US ની એડવાઈઝરી
May 8, 2025 4:15 pm
ભારત-પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈ યુએસની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનમાં રહેલા યુએસના નાગરિકોને યુએસ પરત આવવા માટે સૂચના. અથવા પાકિસ્તાનમાં નાગરિકો પોતાનો બચાવ કરે. લાહોર છોડી સુરક્ષિત સ્થળે પહોંચી જવા સૂચના આપવામાં આવી છે.
પાકિસ્તાનના અનેક શહેરોમાં બ્લાસ્ટ પર બ્લાસ્ટ
May 8, 2025 4:07 pm
પાકિસ્તાનના અનેક શહેરોમાં બ્લાસ્ટ પર બ્લાસ્ટ થઈ રહ્યા છે. પાકિસ્તાનનાં લાહોર એરપોર્ટ પાસે પ્રચંડ વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં પણ મોટો બ્લાસ્ટ થયો છે. પાકિસ્તાનના અનેક એરપોર્ટ બંધ કરાયા છે.
ભારત-ઈરાનની સંયુક્ત બેઠકમાં વિદેશ મંત્રીનું મોટું નિવેદન
May 8, 2025 4:03 pm
ભારત-ઈરાનની સંયુક્ત બેઠકમાં વિદેશમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, જમ્મુમાં હુમલાનો જવાબ આપીએ છીએ. અમારો ઈરાદો સ્થિતિને ખરાબ કરવાનો નથી. 7 મે એ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા છે.
ભારતના 15 શહેરો પર પાક.ના હુમલાનો નિષ્ફળ પ્રયાસ
May 8, 2025 3:39 pm
આતંકીસ્તાનનો નાપાક હુમલો ભારતે નિષ્ફળ બનાવ્યો છે. આતંકીસ્તાન પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતના 15 શહેરો પર પાક. ના હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભારતમાં 15 સ્થળે હુમલાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાને છોડેલા મિસાઈલ, ડ્રોનને ભારતે તોડી પડાયા છે. ભારતમાં 15 સ્થળે હુમલાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ છે. S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટનમી કાર્યવાહી, ભારતે પહેલીવાર 4-S-400 સિસ્ટમને કર્યો પ્રયોગ. અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટમાં હુમલાનો પ્રયાસ કર્યો છે. અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણામાં હુમલાનો પ્રયાસ કર્યો છે. આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદીમાં હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતને ઉશ્કેરશો તો ભારત છોડશે નહીં. લાહોર ખાતે હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરવામાં આવી. LOC પર પાક.ના ફાયરિંગમાં 16 નિર્દોષ લોકોના મોત થયા. મૃતકોમાં 3 મહિલાઓ અને 5 બાળકોનો પણ સમાવેશ.
વિદેશ મંત્રી જયશંકરની પાકિસ્તાનને ચેતવણી
May 8, 2025 2:22 pm
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી સારી રીતે વિચારીને અને મર્યાદિત હતી. તણાવ વધારવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ જો ભારત પર લશ્કરી હુમલો થશે તો તેનો જવાબ ખૂબ જ મજબૂત અને નિર્ણાયક હશે.
કંદહાર વિમાન અપહરણનો માસ્ટરમાઇન્ડ માર્યો ગયો
May 8, 2025 2:16 pm
'ઓપરેશન સિંદૂર' સંબંધિત એક ખૂબ જ મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ હુમલામાં આતંકવાદી રઉફ અઝહર માર્યો ગયો હતો. રઉફ અસગર IC-814 એટલે કે કંદહાર વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો.
બધા નેતાઓએ ગંભીરતાથી પોતાના વિચારો રજૂ કર્યા છે : કિરેન રિજિજુ
May 8, 2025 1:44 pm
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, 'આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક ખૂબ જ સારી રીતે યોજાઈ હતી. આ એક ગંભીર મુદ્દો હતો તેથી બધા નેતાઓએ ગંભીરતાથી પોતાના વિચારો રજૂ કર્યા છે. સૌ પ્રથમ, સંરક્ષણ મંત્રીએ તમામ નેતાઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી અને પરિસ્થિતિઓ વિશે માહિતી આપી. આ પછી બધાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને સૂચનો પણ આપ્યા. બધા નેતાઓએ પણ દળોને અભિનંદન આપ્યા. બધાએ કહ્યું કે અમે એકતામાં સરકારને ટેકો આપીશું અને દરેક કાર્યવાહીમાં સેનાને ટેકો આપીશું. હું બધા નેતાઓનો આભાર માનું છું અને આ એક સકારાત્મક બેઠક હતી.
ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી : રાજનાથ સિંહ
May 8, 2025 1:43 pm
સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકમાં હાજર રહેલા નેતાઓને 'ઓપરેશન સિંદૂર' વિશે માહિતી આપી. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે.
પાકિસ્તાની સેનાનો દાવો - ભારતે 12 સ્થળોએ ડ્રોન ફાયર કર્યા
May 8, 2025 12:49 pm
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતે બદલામાં ડ્રોન છોડ્યા છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે ભારતે 12 સ્થળોએ ડ્રોન છોડ્યા છે.
સેના કરી શકે છે પ્રેસ બ્રીફિંગ
May 8, 2025 12:36 pm
'ઓપરેશન સિંદૂર' પછી દેશની સેના આજે ફરી એકવાર પ્રેસ બ્રીફિંગ કરી શકે છે. આમાં વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી શકાય છે.
રાજસ્થાન સરહદ સીલ, ફ્લાઇટ ઓપરેશન બંધ
May 8, 2025 12:28 pm
ઓપરેશન સિંદૂર પછી, રાજસ્થાનમાં 1037 કિલોમીટર લાંબી સરહદ સીલ કરી દેવામાં આવી છે. BSF અને વાયુસેના બંને એલર્ટ પર છે. પશ્ચિમ ક્ષેત્રના તમામ એરબેઝ હાઇ એલર્ટ પર છે. કોમ્બેટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. બિકાનેર, કિશનગઢ (અજમેર) અને જોધપુર એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ કામગીરી 10 મે સુધી બંધ કરી દેવામાં આવી છે.
રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ રહી છે
May 8, 2025 11:22 am
'ઓપરેશન સિંદૂર' પછી, સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ બેઠકમાં સરકાર આ ઓપરેશન સંબંધિત માહિતી શેર કરી શકે છે.
PM મોદીને મળવા પહોંચ્યા NSA
May 8, 2025 11:22 am
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે.
અમે ફક્ત આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે : સંજય રાઉત
May 8, 2025 10:33 am
શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું, 'પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ભારતીય સેનાની કાર્યવાહી ગર્વની વાત છે.' તમે અમારા 26 નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા અને અમે કોઈ નાગરિક વિસ્તાર કે લશ્કરી સ્થળ પર હુમલો કર્યો નથી, અમે ફક્ત આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો છે. અમને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, અમને બદલો લેવાનો અધિકાર છે અને અમારી સેનાએ તે કર્યું છે.
#WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut says, "Indian army's action against the terrorists in Pakistan is a matter of pride. The Indian army is a professional army, and it has a reputation for not attacking anyone without a reason, like Pakistan. You have killed 26 innocent… pic.twitter.com/Ig1snLXu5M
— ANI (@ANI) May 8, 2025
ઉત્તરાખંડ પોલીસે નેપાળ સરહદ પર સુરક્ષા વધારી
May 8, 2025 10:07 am
ઉત્તરાખંડ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ વડા દીપમ સેઠે જણાવ્યું હતું કે ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર'ને કારણે તમામ પોલીસ ટીમો હાઇ એલર્ટ પર છે. ધાર્મિક સ્થળો, સંવેદનશીલ ઇમારતો અને રાજ્યની સરહદો જેવા મહત્વપૂર્ણ સ્થળોએ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ ઘણા વિસ્તારોમાં લોકોના દસ્તાવેજો અને ઓળખપત્રોની પણ તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ચારધામ યાત્રા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય પોલીસ, પીએસી, એસડીઆરએફ, એટીએસ ગુલદૌર અને કેન્દ્રીય દળોની ટીમો મહત્વપૂર્ણ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ અને SSB સંયુક્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાની સાથે કરવા સૂચના આપી છે.
BSF અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
May 8, 2025 10:05 am
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. BSF ની જવાબદારી શાંતિના સમયમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત દેખરેખ રાખવાની, ભારતીય જમીન સરહદનું રક્ષણ કરવાની અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાની છે.
લાહોરમાં વિસ્ફોટના સમાચાર
May 8, 2025 9:26 am
લાહોરના વોલ્ટન રોડ વિસ્તારમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. મળી રહેલી માહિતી અનુસાર પાકિસ્તાની સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
ઓપરેશન સિંદૂર પછી, PM મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા
May 8, 2025 9:05 am
પાકિસ્તાન અને POKમાં ઓપરેશન સિંદૂર પછી, આજે સવારે મુંબઈમાં દિવાલો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર ચોંટાડેલા જોવા મળ્યા. દાદર સ્ટેશન પરના આ પોસ્ટરોમાં લખ્યું છે કે આ નવું ભારત છે, જે દુશ્મનને તેના ઘરમાં ઘૂસીને મારી નાખે છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાન અને POK માં હવાઈ હુમલા કર્યા અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.
#WATCH | Mumbai | Shiv Sena puts up giant posters praising the Indian Army and PM Modi for #OperationSindoor, near Dadar Station in Mumbai pic.twitter.com/Qe1lTR0qOS
— ANI (@ANI) May 8, 2025
લાહોર એરપોર્ટ પર વિસ્ફોટના સમાચાર
May 8, 2025 9:02 am
પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર વિસ્ફોટના સમાચાર છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે એરપોર્ટ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. વિસ્ફોટ પછી લાહોર એરપોર્ટ પર સાયરનનો અવાજ સંભળાયો અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી
May 8, 2025 9:00 am
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર સોદા અંગે કાલે ઓવલ ઓફિસમાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પહેલા તેઓ વિવિધ દેશોના મુખ્ય પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સમાં ભારત માટે મોટી જાહેરાત કરી શકે છે, કારણ કે ટ્રમ્પે ભારતને મદદની ઓફર કરી છે. એવું કહેવાય છે કે જો તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવામાં મદદ કરી શકે છે, તો તેઓ હાજર રહેશે. ટ્રમ્પ ઇચ્છે છે કે ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન અથડામણ 'બંધ' કરે, તણાવનો અંત લાવે.
ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના 21 એરપોર્ટ 10 મે સુધી બંધ રહેશે
May 8, 2025 8:38 am
પંજાબના અમૃતસરમાં એડીસીપી-2 સિરીવેનેલાએ જણાવ્યું હતું કે, “10 મે સુધી, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના 21 એરપોર્ટ બંધ રહેશે. બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. આખું એરપોર્ટ સીલ કરવામાં આવ્યું છે; ફક્ત સુરક્ષા દળો અને ટીમને જ પ્રવેશ આપવામાં આવશે. પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી અમે કેન્દ્ર સરકારના આદેશોનું પાલન કરીશું.
#WATCH पंजाब: एडीसीपी-2 सिरिवेनेला ने कहा, "10 मई तक पूरे उत्तर और उत्तर पश्चिम में 21 एयरपोर्ट बंद रहेंगे। सभी उड़ानें बंद होंगी। पूरा एयरपोर्ट सील कर दिया है केवल सुरक्षाबल और टीम को ही प्रवेश मिलेगा। जब तक स्थिति ठीक नहीं होती तब तक हम केंद्र सरकार के आदेशों का पालन करेंगे। https://t.co/ptClfGKEf8 pic.twitter.com/MfkvBraw3D
— ANI_HindiNews (@AHindinews) May 8, 2025
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે હુમલો કરવાની ધમકી આપી
May 8, 2025 8:15 am
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે હવાઈ હુમલા પછી ઓપરેશન સિંદૂરના જવાબમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાની ધમકી આપી છે, પરંતુ લોકોને નિશાન બનાવવામાં આવશે નહીં. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતે પંજાબ પ્રાંતના ગુજરાંવાલાના ડિંગા વિસ્તારમાં ડ્રોન હુમલો કર્યો છે.
Operation Sindoor બાદ PM મોદીના ફેન થયા શશિ થરૂર
May 8, 2025 8:03 am
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ન્યાય આપવાનું વચન આપ્યું હતું. સરકારે દળોને છૂટ આપી અને 15 દિવસની અંદર ભારતીય સેનાએ હવાઈ હુમલો કર્યો. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ ભારતીય સેના અને સરકાર બંનેની પ્રશંસા કરી છે. પાકિસ્તાન અને POK માં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે તેમણે કહ્યું કે આ ખૂબ જ સારી રીતે વિચારીને અને તૈયાર કરીને કરવામાં આવેલી કાર્યવાહી હતી.
ડરપોક પાકિસ્તાને એકવાર ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન
May 8, 2025 8:03 am
પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને PoKમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 ઠેકાણાઓ પર ચોક્કસ હવાઈ હુમલા કરી 100થી વધુ આતંકીઓનો સફાયો કર્યો, જેમાં મસૂદ અઝહરના 10 સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી ફફડી ગયેલા પાકિસ્તાને કુપવાડાના કરનાહ વિસ્તારમાં મોડી રાત્રે સીઝફાયર ઉલ્લંઘન કરી ગોળીબાર શરૂ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાની પોસ્ટ્સને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું. ભારતના આ જોરદાર તમાચાથી ગભરાયેલા પાકિસ્તાને સિયાલકોટ, કસુર, બહાવલનગર અને નારોવાલ જેવા સરહદી ગામો ખાલી કરાવ્યા, જ્યારે સિયાલકોટમાં મોડી રાત સુધી સાયરન ગૂંજતા રહ્યા, જે દેશની અસ્થિર સ્થિતિ અને ભારતની નિર્ણાયક કાર્યવાહીની અસર દર્શાવે છે.
જોધપુરની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં આગામી આદેશ સુધી રજા જાહેર
May 8, 2025 7:50 am
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ગતિરોધને ધ્યાનમાં રાખીને, જોધપુર વહીવટીતંત્રે આજથી આગામી આદેશ સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. આ માહિતી જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલે આપી છે.
Rajasthan | In view of the current situation, Jodhpur administration announces a holiday in all private and government schools and Anganwadis from today till further orders: District Collector Gaurav Agarwal pic.twitter.com/7gVLfVhA7c
— ANI (@ANI) May 8, 2025
બ્રિટને આતંકવાદ સામે ભારત સાથે કામ કરવું જોઈએ - પ્રીતિ પટેલ
May 8, 2025 7:45 am
ભારતીય મૂળના સાંસદ પ્રીતિ પટેલે તેમની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે હાઉસ ઓફ કોમન્સમાં મેં પહેલગામમાં થયેલી ક્રૂરતાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરી છે. આપણે આતંકવાદથી પ્રભાવિત લોકોની સાથે ઊભા રહેવું જોઈએ. બ્રિટને આતંકવાદી જોખમોનો સામનો કરવા માટે ભારતમાં આપણા મિત્રો સાથે નજીકથી કામ કરવું જોઈએ અને તણાવ ઘટાડવા અને શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને ટેકો આપવા માટે ભારત, પાકિસ્તાન અને પ્રદેશના મુખ્ય ભાગીદારો સાથે જોડાવું જોઈએ."
Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0
— Priti Patel MP (@pritipatel) May 7, 2025
ભારતે અમારી ઓફર સ્વીકારી નહીં : શાહબાઝ શરીફે
May 8, 2025 7:42 am
પાકિસ્તાની સંસદને સંબોધિત કરતી વખતે શાહબાઝ શરીફે કહ્યું કે અમે ઘણા દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વાત કરી છે, જ્યારે અમને પહેલગામ હુમલાના સમાચાર મળ્યા ત્યારે હું પોતે તુર્કીની મુલાકાતે હતો. અમે ત્યારે સ્પષ્ટ કરી દીધું હતું કે આ હુમલા સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે કહ્યું હતું કે અમે પણ સહયોગ કરવા તૈયાર છીએ, પરંતુ ભારતે અમારી ઓફર સ્વીકારી નહીં.
બોખલાયેલા શહબાઝ શરીફે આપી ગીદડભભકી
May 8, 2025 7:41 am
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે 5 ભારતીય ફાઈટર જેટ તોડી પાડ્યા, પરંતુ ભારતે આને ખોટી માહિતી ગણાવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા છે, અને સૈન્ય વિસ્તારોમાં બ્લેકઆઉટ અમલમાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે આક્રમક નિવેદનો આપ્યા છે. બુધવારે રાત્રે પાકિસ્તાનને સંબોધિત કરતી વખતે PM શાહબાઝ શરીફે એક આકરું નિવેદન આપ્યું હતું અને ભારતને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. શાહબાઝ શરીફે કહ્યું, 'ભારતે ગઈકાલે રાત્રે કરેલી ભૂલની ભારે કિંમત ચૂકવવી પડશે.'
સરહદી વિસ્તારો થયા એલર્ટ
May 8, 2025 7:37 am
સરહદી વિસ્તારોમાં એલર્ટ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે, જેમાં નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને શાળાઓ-કોલેજો બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી, અને પૂંછ જેવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અને બારામુલ્લામાં રાત્રે 10 વાગ્યા પછી બ્લેકઆઉટ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, DGP અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી, જેમાં રાહત અને બચાવ દળોને એલર્ટ રાખવા અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી. 18 ભારતીય એરપોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે, અને 200થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.
ભારતીય સેનાની નિર્ણાયક તૈયારી
May 8, 2025 7:34 am
ઓપરેશન સિંદૂર પછી, ભારતે પાકિસ્તાનની સંભવિત પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. દેશના તમામ સરહદી વિસ્તારો, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર વધારાના જવાનો તૈનાત કર્યા છે, જ્યારે હવાઈ સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. આકાશથી લઈને જમીન સુધી, દરેક ખૂણે પાકિસ્તાનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેમાં ડ્રોન, રડાર અને સેટેલાઇટ સર્વેલન્સનો ઉપયોગ થઈ રહ્યો છે.


