ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu & Kashmir : ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના 2 જવાન ઘાયલ

Jammu & Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ (Terrorists) સાથેની અથડામણમાં સેનાના 2 જવાન (Two Army jawans) ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર (Encounter) કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં સવારે...
09:26 AM Jul 18, 2024 IST | Hardik Shah
Jammu & Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ (Terrorists) સાથેની અથડામણમાં સેનાના 2 જવાન (Two Army jawans) ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર (Encounter) કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં સવારે...
Encounter in Jammu & Kashmir

Jammu & Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ (Terrorists) સાથેની અથડામણમાં સેનાના 2 જવાન (Two Army jawans) ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર (Encounter) કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં સવારે લગભગ 2 વાગ્યે થયું હતું જ્યારે આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે એક સરકારી શાળામાં સ્થાપિત અસ્થાયી સુરક્ષા કેમ્પ (Temporary Security Camp) પર ગોળીબાર (Firing) કર્યો.

સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બંને પક્ષો વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના 2 જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે, આતંકવાદીઓને ખતમ કરવાના પ્રયાસો ચાલુ છે. સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે આતંકવાદીઓ દ્વારા એક કેપ્ટન સહિત ચાર સૈન્યના જવાનોની હત્યા કરવામાં આવી હતી, જેના પછી દેસા અને આસપાસના જંગલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનનો ગુરુવારે ચોથો દિવસ છે.

ડોડા જિલ્લામાં સતત હુમલા

અગાઉ, મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ, ડીસાના જંગલોમાં બે સ્થળોએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ટૂંકી ગોળીબાર થઈ હતી. 2005માં આતંકવાદથી મુક્ત બનેલો ડોડા જિલ્લો 12 જૂનથી શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓનો સાક્ષી બની રહ્યો છે, જ્યારે છત્તરગલા પાસ પર આતંકવાદી હુમલામાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. બીજા દિવસે ગંડોહમાં ગોળીબારમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.

જમ્મુમાં ઓપરેશન દરમિયાન 27 લોકોના મોત

ત્યારબાદ 26 જૂને જિલ્લાના ગંડોહ વિસ્તારમાં એક દિવસ ચાલેલા ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે 9 જુલાઈના રોજ ગાધી ભગવા જંગલમાં વધુ એક એન્કાઉન્ટર થયું હતું. આ વર્ષની શરૂઆતથી જમ્મુ પ્રાંતના છ જિલ્લામાં થયેલા લગભગ 12 આતંકવાદી હુમલાઓમાં 11 સુરક્ષા કર્મચારીઓ, એક ગ્રામ્ય સંરક્ષણ રક્ષક અને પાંચ આતંકવાદીઓ સહિત કુલ 27 લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો - Maharashtra ના ગઢચિરોલીમાં મોટું એન્કાઉન્ટર, 12 નક્સલીઓ ઠાર…

આ પણ વાંચો - દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ

Tags :
ArmyEncounterGujarat FirstHardik ShahJammujammu kashmir newsJammu-KashmirKashmirKashmir PoliceSrinagarterrorists
Next Article