Bihar lightning : 24 કલાકમાં આ રાજ્યમાં વીજળી પડવાથી 19 લોકોના જીવ ગુમાવ્યા
Bihar lightning : બિહારમાં છેલ્લા 24 કલાકમાં વિજળી પડવાને (Bihar lightning)કારણે જાનમાલને નુકસાન પહોંચ્યું છે. બિહારના 10 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં આકાશમાંથી વિજળી પડવાને કારણે 19 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પિડીત પરિવારો માટે 4-4 લાખ રુપિયાની મદદની જાહેરાત કરી છે.
કયા જિલ્લામાં કેટલાના મોત?
છેલ્લા 24 કલાકમાં આકાશમાંથી વિજળી પડવાને કારણે નાલંદામાં 5, વૈશાલીમાં 4, વાંકામાં 2, પટનામાં 2, ઓરંગાબાદમાં 1, સમસ્તીપુરમાં 1, નવાદામાં 1, જમુઈમાં 1 અને જહાનાબાદમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો -Maharashtra politics: ઉદ્ધવ-CM ફડણવીસની બંધ બારણે 20 મિનિટ સુધી મુલાકાત,જાણો શું થઇ ચર્ચા?
મુખ્યમંત્રીએ શું કહ્યું
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ આપત્તિની પરિસ્થિતિમાં તેઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. મુખ્યમંત્રીએ પિડીત પરિવારો માટે ચાર-ચાર લાખ રુપિયાની મદદની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તમામ લોકો ખરાબ વાતાવરણમાં સતર્ક રહો. ખરાબ હવામાનના કિસ્સામાં, વીજળીથી પોતાને બચાવવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવતા સૂચનોનું પાલન કરો. ખરાબ હવામાન દરમિયાન ઘરની અંદર રહો અને સુરક્ષિત રહો.
આ પણ વાંચો -Bihar Politics: બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર, ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની 'ઈલેક્શન ચોરી શાખા'
વીજળી શા માટે પડે છે?
વીજળી એ મોટા પાયે ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ છે જે વાદળો અને પૃથ્વી વચ્ચે અથવા વાદળોની અંદર થાય છે. તેની રચના અને પડવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. જ્યારે ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય છે, ત્યારે તે ઠંડી પડે છે અને નાના પાણીના ટીપાં અને બરફના કણોમાં ફેરવાય છે, જે વિશાળ તોફાની વાદળો (ક્યુમ્યુલોનિમ્બસ વાદળો) બનાવે છે. આ વાદળોની અંદર, પવનની તીવ્ર ગતિને કારણે પાણી અને બરફના કણો એકબીજા સાથે અથડાય છે. આ ઘર્ષણ એ જ રીતે સ્થિર ચાર્જ ઉત્પન્ન કરે છે જે રીતે શિયાળામાં ઊનના કપડાંમાંથી તણખા નીકળે છે.


