Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જયપુરના Amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી, અનેક પ્રવાસીઓનો આબાદ બચાવ

શનિવારે પ્રખ્યાત Amer fort ની દિલ-એ-આરામ બાગની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી,200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થતાં પ્રચંડ અવાજ થયો જેને લઇને લોકો ડરી ગયા હતા
જયપુરના amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી  અનેક પ્રવાસીઓનો આબાદ બચાવ
Advertisement

  • જયપુરના Amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી
  • Amer fort ની દિલ-એ-આરામ બાગની દિવાલ ધરાશાયી થઇ
  • ભારે વરસાદના લીધે દિવાલ ધરાશાયી થઇ

રાજસ્થાનમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,જેના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સતત અવિરત વરસાદ પડતા શનિવારે પ્રખ્યાત ઓમેર પેલેસના દિલ-એ-આરામ બાગની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી, 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થતાં પ્રચંડ અવાજ થયો જેને લઇને લોકો ડરી ગયા હતા.આ દિવાલ ઘરાશાયી થતા અનેક પ્રવાસીઓનો આબાદ બચાવ થયો સદનસીબે દિવાલ ધરાશાયી થઇ તો કોઇ પ્રવાસી ત્યાં હાજર ન હતું નહીંતર મોટી દુર્ઘટના સર્જાત.

Amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી

નોંધનીય છે કે જયપુરમાં સતત વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. શનિવારે વરસાદ વચ્ચે આમેર મહેલ ના દિલ-એ-આરામ બાગની દિવાલ ધરાશાયી થઈ ગઈ. 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થવા સાથે જોરદાર વિસ્ફોટ થયો, આ દિવાલ પાસે કોઈ પ્રવાસી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. . જોકે, અવાજ સાંભળીને આમેર કિલ્લામાં હાજર પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આમેર કિલ્લાની મુલાકાત લેવા આવતા હોય છે.

Advertisement

Amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી મામલે અધિક્ષકે આપ્યું નિવેદન

આમેર મહેલના અધિક્ષક ડૉ. રાકેશ છોલકે જણાવ્યું હતું કે આ અકસ્માત આમેરમાં ભારે વરસાદને કારણે થયો હતો. હાથી સ્ટેન્ડથી આમેર મહેલ જતા માર્ગ પર સ્થિત જ્વાલા માતા મંદિરની સામે દિલ-એ-આરામ બાગની દિવાલ શનિવારે ભારે વરસાદને કારણે તૂટી પડી હતી. દિવાલ ધરાશાયી થવાને કારણે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. હાથીઓ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, આગળના આદેશ સુધી આમેર મહેલમાં હાથીની સવારી બંધ કરવામાં આવી છે.

Advertisement

Amer fort નો ઇતિહાસ

આમેર કિલ્લાનું બાંધકામ 11મી સદીમાં શરૂ થયું હતું અને 1592માં રાજા માન સિંહ દ્વારા પૂર્ણ થયું હતું. રાજા માન સિંહના વંશજ જય સિંહ પ્રથમ અને અન્ય રાજાઓ દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ મહેલ કછવાહા વંશનો કહાણી બયાન કરે છે અને તેની સુંદર સ્થાપત્ય માટે જાણીતો છે, જે ભારતીય અને મુઘલ શૈલીનો પ્રભાવ દર્શાવે છે. તે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક નાની ટેકરી પર બનેલ છે.

આ પણ વાંચો:    Rajasthan માં ગમખ્વાર અકસ્માત,જીપ અને બસ અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત,4 ગંભીર ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×