Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IAS ઓફિસર બનવા માંગતી હતી 13 વર્ષની યુવતી , સાધ્વી બનવા મહાકુંભમાં ત્યાગ્યો સંસાર!

IAS ઓફિસર બનવાનું સપનું જોતી આગ્રાની 13 વર્ષની યુવતીએ મહાકુંભ મેળામાં 'સાધ્વી' બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ias ઓફિસર બનવા માંગતી હતી 13 વર્ષની યુવતી   સાધ્વી બનવા મહાકુંભમાં ત્યાગ્યો સંસાર
Advertisement
  • આગ્રાની 13 વર્ષની યુવતીએ મહાકુંભ મેળામાં 'સાધ્વી' બનવાની ઈચ્છા વ્યક્ત કરી
  • તેના માતા-પિતાએ તેને જુના અખાડાને સોંપી દીધી
  • પરિવારે સ્વેચ્છાએ આશ્રમમાં તેમની પુત્રીનું દાન કર્યું છે

IAS ઓફિસર બનવાનું સપનું જોતી આગ્રાની 13 વર્ષની યુવતીએ મહાકુંભ મેળામાં 'સાધ્વી' બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેની ઈચ્છાને ભગવાનની ઈચ્છા માનીને તેના માતા-પિતાએ તેને જુના અખાડાને સોંપી દીધી.

13 વર્ષની યુવતીએ 'સાધ્વી' બનવાની ઈચ્છા વ્યક્ત કરી

IAS ઓફિસર બનવાનું સપનું જોતી આગ્રાની 13 વર્ષની યુવતીએ મહાકુંભ મેળામાં 'સાધ્વી' બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તેની ઈચ્છાને ભગવાનની ઈચ્છા માનીને તેના માતા-પિતાએ તેને જુના અખાડાને સોંપી દીધી. યુવતીની માતા રીમા સિંહે જણાવ્યું કે, મહાકુંભ દરમિયાન તેને સાંસારિક જીવનથી અળગા રહેવાનો અનુભવ થયો હતો.

Advertisement

જુના અખાડામાં જોડાયા

જુના અખાડાના કેમ્પમાં રહેતી રીમાએ કહ્યું, 'જૂના અખાડાના મહંત કૌશલ ગિરી મહારાજ છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગામમાં ભાગવત કથા સત્રનું આયોજન કરવા માટે આવે છે. આવા જ એક સત્ર દરમિયાન, મારી પુત્રી રાખીએ ગુરુ દીક્ષા લીધી. રીમાએ વધુમાં જણાવ્યું કે, કૌશલ ગિરી મહારાજે ગયા મહિને તેમને, તેમના પતિ સંદીપ સિંહ અને તેમની બે દીકરીઓને મહાકુંભ શિબિરમાં સેવા આપવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, 'એક દિવસ રાખીએ સાધ્વી બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તેને ભગવાનની ઇચ્છા માનીને, અમે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. આગ્રામાં રહેતા પરિવારે તેમની દીકરીઓ રાખી અને 8 વર્ષની નિકીના ભણતર માટે શહેરમાં ભાડે મકાન લીધું હતું. સંદીપ સિંહ કન્ફેક્શનરીનો બિઝનેસ કરે છે.

Advertisement

આ પણ વાંચો : 'સરકારો પાસે મફત યોજનાઓ માટે અઢળક પૈસા, પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નથી': સુપ્રીમ કોર્ટ

'ગૌરી ગિરી તરીકે ઓળખાશે'

રીમાએ કહ્યું, 'રાખીનું સપનું IAS ઓફિસર બનવાનું હતું, પરંતુ મહાકુંભ દરમિયાન તેને સાંસારિક જીવનથી અલિપ્તતાનો અનુભવ થયો.' મહંત કૌશલ ગિરીએ જણાવ્યું કે, પરિવારે સ્વેચ્છાએ આશ્રમમાં તેમની પુત્રીનું દાન કર્યું છે. તેમણે કહ્યું, 'આ નિર્ણય કોઈપણ દબાણ વગર લેવામાં આવ્યો છે. આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી અમારી સાથે જોડાયેલો છે અને તેમની વિનંતી પર રાખીને આશ્રમમાં સ્વીકારવામાં આવી છે. હવે તે ગૌરી ગિરી તરીકે ઓળખાશે.

પિંડદાન 19મી જાન્યુઆરીએ યોજાશે

જ્યારે રીમાને તેની પુત્રી વિશેની ચિંતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'એક માતા તરીકે મને હંમેશા ચિંતા રહેશે કે તે ક્યાં અને કેવી છે. સંબંધીઓ વારંવાર પ્રશ્ન કરે છે કે, અમે અમારી દીકરીને આશ્રમમાં કેમ સોંપી? અમારો જવાબ એ છે કે તે ભગવાનની ઇચ્છા હતી. અખાડાના એક સંતે કહ્યું કે, ગૌરીનું 'પિંડદાન' (ત્યાગ માટેની વિધિ) અને અન્ય ધાર્મિક વિધિઓ 19 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ તેણીને ઔપચારિક રીતે ગુરુના પરિવારનો એક ભાગ માનવામાં આવશે.

આ પણ વાંચો :  દિલ્હીમાં આદર્શ આચાર સંહિતા લાગુ, જાણો કઈ-કઈ બાબતો પર લાગશે પ્રતિબંધો

Tags :
Advertisement

.

×