વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ! NSA અજીત ડોભાલ સાથે PM મોદીની બેઠક
- વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠકોનો ધમધમાટ
- NSA અજીત ડોભાલ સાથે PM મોદીની બેઠક
- લગભગ 50 મિનિટ સુધી NSA સાથે કરી વાતચીત
- ઓપરેશન સિંદૂર, સીમા સુરક્ષા અંગે બેઠકમાં ચર્ચા
- NSA બાદ કેન્દ્રીય ગૃહ સચિવ સાથે પણ બેઠક
Ajit Doval met PM Modi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (terror attack) માં 26 નાગરિકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આના જવાબમાં, ભારતે ગઇકાલે 7 મે, 2025ના રોજ ‘Operation Sindoor’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT)ના 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો. આ કાર્યવાહીથી આઘાતમાં આવેલું પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની સરહદ પર સતત ગોળીબાર, તોપના ગોળા અને મોર્ટાર હુમલા કરી રહ્યું છે.
વડાપ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠકો
મળી રહેલી માહિતી અનુસાર, બુધવારે પૂંછ અને કુપવાડા વિસ્તારોમાં થયેલા આ હુમલાઓમાં 15 ભારતીય નાગરિકો, જેમાં એક સૈનિકનો સમાવેશ થાય છે. ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ આ આક્રમણોનો કડક જવાબ આપ્યો છે, જેનાથી પાકિસ્તાની પોસ્ટ્સને નોંધપાત્ર નુકસાન થયું છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. 8 મે, 2025ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે વડાપ્રધાન મોદી સાથે લગભગ 50 મિનિટ સુધી વિગતવાર ચર્ચા કરી. આ બેઠકમાં ઓપરેશન સિંદૂરની સફળતા, સીમા સુરક્ષા અને પાકિસ્તાનની સતત આક્રમકતાને લઈને વ્યૂહાત્મક આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ડોભાલે વડાપ્રધાન મોદીને ઓપરેશન દરમિયાનની પળે-પળની માહિતી આપી હતી, જે દર્શાવે છે કે ભારતે આ કાર્યવાહીમાં ચોક્કસ અને નોન-એસ્કેલેટરી અભિગમ અપનાવ્યો. આ બેઠક બાદ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમની સાથે ચર્ચા શરૂ કરી, જેમાં આંતરિક સુરક્ષા, સરહદી રાજ્યોમાં નાગરિક સુરક્ષા અને નાગરિક રક્ષણ માટેના મોક ડ્રિલ્સની તૈયારીઓ પર ચર્ચા થઈ.
PM મોદીને મળ્યાં NSA અજીત ડોભાલ
PM આવાસ પર NSAએ મુલાકાત કરી
'ઓપરેશન સિંદૂર' બાદની સ્થિતિ અંગે ચર્ચા
સીમા સુરક્ષા મુદ્દે બેઠકમાં વાતચીતઃ સૂત્ર@narendramodi @PMOIndia #oprationsindoor #AjitDoval #NSA #IndiaPakistanWar #airstrike #gujaratfirst pic.twitter.com/e81FhL5TJa— Gujarat First (@GujaratFirst) May 8, 2025
પાકિસ્તાનમાં ફફડાટ અને આંતરરાષ્ટ્રીય સંપર્ક
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન આઘાત અને ફફડાટમાં છે. તેની સેના લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર રાજૌરી, પૂંછ અને કુપવાડા જેવા વિસ્તારોમાં સતત ગોળીબાર અને હેવી શેલિંગ કરી રહી છે, જેમાં નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં 15 ભારતીય નાગરિકો અને એક સૈનિક શહીદ થયા, જ્યારે 43 અન્ય ઘાયલ થયા. ભારતે આનો કડક જવાબ આપ્યો, જેનાથી પાકિસ્તાની સેનાને નોંધપાત્ર નુકસાન થયું. દરમિયાન, પાકિસ્તાનના NSA અને ISI ચીફ જનરલ અસીમ મુનીરે NSA અજીત ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી, પરંતુ પાકિસ્તાન સતત ધમકીઓ આપી રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા ડોભાલે અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, બ્રિટન, ફ્રાન્સ અને જાપાનના સમકક્ષો સાથે વાતચીત કરી, ખાસ કરીને અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને ઓપરેશનની ચોક્કસ અને નોન-એસ્કેલેટરી પ્રકૃતિ અંગે જાણકારી આપી.
આ પણ વાંચો : Salute to Indian Forces : ઓપરેશન સિંદૂર બાદ રાજનાથ સિંહની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક શરૂ


