ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Air Travel Advisory: એરલાઇન્સે એડવાઇઝરી જારી કરી

Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'OperationSindoor' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો...
01:10 AM May 09, 2025 IST | Hiren Dave
Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'OperationSindoor' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો...

Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'OperationSindoor' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે ફ્લાઈટોને અસર પહોંચી છે. એર ઈન્ડિયા, સ્પાઇસજેટ, ઈન્ડિગો, આકાસા એરે એક એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને સચિત કર્યા છે કે, જો તેમની ફ્લાઈટનું શેડ્યુલ છે તો તેઓ સમયના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જાય.

એર ઇન્ડિયાએ કહ્યું- ઉડાનના 75 મિનિટ પહેલા ચેક-ઈન બંધ કરી દેવાશે

એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવાના આદેશને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતમાં મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નિર્ધારિત ઉડાનના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા પોતપોતાના એરપોર્ટ પર પહોંચી જાય જેથી ચેક-ઇન અને બોર્ડિંગ સુગમ રહે. ઉડાનના 75 મિનિટ પહેલા ચેક-ઇન બંધ કરવામાં આવશે."

સ્પાઇસજેટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

સ્પાઇસજેટે એરલાઇને ટ્વીટ કર્યું છે કે, "તમામ એરપોર્ટ પર સુરક્ષાના પગલાં વધારવાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફ્લાઇટ ઉડાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચે જેથી ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયા સરળ બને.

અકાસા એરે કહ્યું- 3 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચો

અકાસા એર ટ્રાવેલ એડવાઇઝરી જારી કરે છે. X પર લખ્યું છે કે, "ભારતભરના તમામ એરપોર્ટ પર સુરક્ષાના પગલાં વધારવાને કારણે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે ઉડાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચો, જેથી ચેક-ઇન અને બોર્ડિંગનો અનુભવ સરળ બને. કૃપા કરીને ખાતરી કરો કે તમે એરપોર્ટ પર પ્રવેશ માટે માન્ય સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખ દસ્તાવેજો સાથે રાખો છો. તમારા ચેક-ઇન સામાન ઉપરાંત, 7 કિલો વજનની માત્ર એક હેન્ડબેગને મંજૂરી આપવામાં આવશે. નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર, બધા મુસાફરોને બોર્ડિંગ પહેલાં ગૌણ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે..."

ઇન્ડિગોએ કહ્યું- બધા એરપોર્ટ પર સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા

ઇન્ડિગોએ એરલાઇન્સે ટ્વીટ કર્યું છે કે, "આ મુશ્કેલ સમયમાં બધા એરપોર્ટ પર સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા તપાસ અને ઔપચારિકતાઓને સમાયોજિત કરવા માટે તમારી મુસાફરી માટે થોડો વધારાનો સમય આપો. અમે તમારી સમજણ અને સહકારની પ્રશંસા કરીએ છીએ."

Tags :
Air India travel advisoryAir-Indiaakasa airAkasa Air travel advisoryIndia-PakistanIndian air linesIndigoIndigo travel advisoryTravel advisory
Next Article