ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu-Kashmir : ખરાબ હવામાન અને ભારે વરસાદને લીધે અમરનાથ યાત્રા અટકાવાઈ, બાલતાલ અને પહેલગામ રૂટ બંધ

આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને રોકવામાં આવી છે. યાત્રાના 2 અગત્યના બાલતાલ અને પહેલગામ રુટ બંધ કરાયા છે. વાંચો વિગતવાર.
11:52 AM Jul 17, 2025 IST | Hardik Prajapati
આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને રોકવામાં આવી છે. યાત્રાના 2 અગત્યના બાલતાલ અને પહેલગામ રુટ બંધ કરાયા છે. વાંચો વિગતવાર.
Amarnath Yatra 2025 Gujarat First

Jammu-Kashmir : પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે પહેલગામ (Pahalgam) અને બાલતાલ (Baltal) થી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ખરાબ છે. ભારે વરસાદના કારણે નદી નાળા ઓવરફ્લો થયા છે. યાત્રાના પવિત્ર રુટ પર માર્ગ વાહન વ્યવહાર ખોરવાઈ જતાં અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.

ભૂસ્ખલનના લીધે 1નું મોત

છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરમાં વધુ વરસાદની ચેતવણી આપી છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ બંનેમાંથી યાત્રા સ્થગિત કરવામાં આવી છે કારણ કે માર્ગોનું સમારકામ ચાલી રહ્યું છે. બાલતાલ રૂટ પર ભૂસ્ખલન (Landslide) માં એક યાત્રાળુનું મોત થયું હતું. જેમાં ગાંદરબલ જિલ્લામાં યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મૃત્યુ અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચોઃ  ધર્માંતરણ કેસમાં ED નો સકંજો! છાંગુર બાબા સાથે જોડાયેલા 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

પંજતામી કેમ્પના યાત્રીઓને સુરક્ષા પૂરી પડાઈ

કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર ભિદુરી (Vijay Kumar Bhiduri) એ જણાવ્યું હતું કે, પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શ્રી અમરનાથજી યાત્રા 17 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદને કારણે, બંને રૂટ પરના ટ્રેક પર સમારકામનું કામ હાથ ધરવું જરૂરી બન્યું છે. જોકે ગઈકાલે રાત્રે પંજતામી કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) અને પર્વત બચાવ ટીમોની પૂરતી તૈનાતી સાથે બાલતાલ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હવામાન પરિસ્થિતિઓના આધારે યાત્રા આવતીકાલે ફરી શરૂ થવાની સંભાવના છે.

4 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈએ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.47 લાખ યાત્રાળુઓ 3,880 મીટરની ઊંચાઈ પર આવેલા આ મંદિરના દર્શન કરી ચૂક્યા છે. 2 જુલાઈએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Manoj Sinha) દ્વારા પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપવામાં આવી ત્યારથી કુલ 1,01,553 યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી ખીણ માટે રવાના થયા છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે, 5.10 લાખથી વધુ યાત્રાળુઓએ આ અમરનાથ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ Odisha Bandh: વિદ્યાર્થિનીના આત્મવિલોપન મુદ્દે ઓડિશા બંધ, પરિવારે સામૂહિક આપઘાત કરવાની આપી ચીમકી

Tags :
Amarnath Pilgrimage HaltedAmarnath Yatra 2025BaltalGUJARAT FIRST NEWSheavy rainJammu and KashmirKashmir Weather July 2025 Gujarat FirstlandslideMeteorological DepartmentPahalgamRoute ClosedSuspendedweather update
Next Article