ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બંધારણ દિવસે શરૂ થશે કોંગ્રેસનું "ભારત જોડો સંવિધાન અભિયાન"

કોંગ્રેસ પાર્ટીએ 26મી નવેમ્બરે બંધારણ દિવસના અવસરે 'ભારત જોડો સંવિધાન અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ બંધારણના મૂલ્યોની જાળવણી, એકતા અને સામાજિક ન્યાયનો સંદેશ ફેલાવવાનો છે. આ અભિયાન 26 જાન્યુઆરી, 2025 સુધી ચાલશે અને તેમાં દેશભરમાં રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. આ અભિયાન 'એક સંવિધાન-સમાનતાનો અધિકાર', બંધારણની ગેરંટી, ભેદભાવથી મુક્તિ અને બંધારણની રક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
09:44 AM Nov 26, 2024 IST | Hardik Shah
કોંગ્રેસ પાર્ટીએ 26મી નવેમ્બરે બંધારણ દિવસના અવસરે 'ભારત જોડો સંવિધાન અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ બંધારણના મૂલ્યોની જાળવણી, એકતા અને સામાજિક ન્યાયનો સંદેશ ફેલાવવાનો છે. આ અભિયાન 26 જાન્યુઆરી, 2025 સુધી ચાલશે અને તેમાં દેશભરમાં રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. આ અભિયાન 'એક સંવિધાન-સમાનતાનો અધિકાર', બંધારણની ગેરંટી, ભેદભાવથી મુક્તિ અને બંધારણની રક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Bharat Jodo Samvidhan Campaign

Bharat Jodo Samvidhan Campaign : 26મી નવેમ્બરે બંધારણ દિવસના અવસરે કૉંગ્રેસ પાર્ટીએ 'ભારત જોડો સંવિધાન અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન સમગ્ર દેશમાં સંચાલિત કરવામાં આવશે અને 26 જાન્યુઆરી, 2025 સુધી ચાલશે. અભિયાનના માધ્યમથી બંધારણના મૂલ્યોની જાળવણી, એકતા અને સામાજિક ન્યાયના સંદેશને વેગ આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર દ્વારા લોકો સુધી જવાની યોજનાઓ બનાવવામાં આવી છે.

અભિયાનનો અંત નવી દિલ્હીમાં ભવ્ય રેલી સાથે

અભિયાનમાં ખાસ ધ્યાન 'એક સંવિધાન-સમાનતાનો અધિકાર', બંધારણની ગેરંટી, ભેદભાવથી મુક્તિ અને બંધારણની રક્ષા જેવા મુદ્દાઓ પર રાખવામાં આવ્યું છે. આ ઝુંબેશ 26 જાન્યુઆરીએ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે એક વિશાળ રેલી સાથે પૂર્ણ થશે. આ રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજરી આપશે. આ ઝુંબેશની તૈયારી માટે કૉંગ્રેસના વિવિધ રાજ્યોના નેતાઓએ બેઠક કરી છે. હરિયાણા, પંજાબ અને ચંદીગઢ માટે કેપ્ટન અજય યાદવે ખાસ તકેદારી રાખી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને બંધારણના મૂલ્યો અને તેના અમલના 75 વર્ષના ઉત્સવ વિશે માહિતગાર કરવાનો છે.

જાતિ પર આધારિત વસ્તી ગણતરીની માંગ

કૉંગ્રેસના નેશનલ OBC વિભાગના અધ્યક્ષ અજય યાદવે જણાવ્યું કે, આગામી દિવસોમાં તેઓ દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરશે. તેમની દ્રષ્ટિએ, આ પ્રકારની ગણતરી દેશના રાજકીય, સામાજિક અને આર્થિક પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થશે. ભાજપ સરકાર પર આક્ષેપ કરતા, તેમણે કહ્યું કે હાલની સરકાર દેશની મોટાભાગની સંપત્તિ અને આવક થોડા વિશિષ્ટ લોકોના હાથે સોંપી રહી છે.

બંધારણના મૂલ્યો જાળવવા કૉંગ્રેસની જવાબદારી

કૉંગ્રેસે 'ભારત જોડો સંવિધાન અભિયાન'ને માત્ર એક ઝુંબેશ નહીં, પરંતુ બંધારણના મૂળભૂત મૂલ્યો જાળવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવા માટેના પ્રયાસ તરીકે દર્શાવ્યું છે. રેલીઓ, પ્રચાર ઝુંબેશો અને સંવાદો દ્વારા તે સમાનતા અને ન્યાયના તત્ત્વો પર ભાર મૂકશે. આ અભિયાન દેશના લોકો સાથે સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ વધુ મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:  Constitution Day 2024 : આજે બંધારણ દિવસની કરાશે ઉજવણી, જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ

Tags :
bharat jodobharat jodo abhiyanbharat jodo andolanBharat Jodo Nyay YatraBharat Jodo Samvidhan CampaignCaste Census DemandCongressCongress Constitution CampaignCongress Door-to-Door CampaignCongress Equality Rights MovementCongress LeaderCongress leader Rahul GandhiCongress Social Justice DriveConstitution Day 2024Constitution Preservation DriveConstitutional Values AwarenessGujarat FirstHardik ShahIndia Unity Campaign by CongressMallikarjun Kharge Constitution RallyNational OBC Division InitiativeRahul Gandhi Campaign 2024rahul-gandhiSamvidhan Abhiyan CongressTal Katora Stadium Rally
Next Article