Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Brahmaputra પર ચીનના ડેમની યોજના, ભારતે રક્ષણના પગલાં માટે ઉચ્ચ એલર્ટ જાહેર કર્યું

Brahmaputra પર ચીનના ડેમને લઈને ભારતનું મોટું નિવેદન ચીનના બ્રહ્મપુત્રા ડેમ પર રાજનાથ સિંહનો પ્રહાર 'હિતને નુકસાન નહીં થવા દઈએ' - રાજનાથ સિંહ ભારતનો પાડોશી દેશ ચીન તિબેટ ક્ષેત્રમાં બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર એક વિશાળ ડેમ બનાવવા જઈ રહ્યું...
brahmaputra પર ચીનના ડેમની યોજના  ભારતે રક્ષણના પગલાં માટે ઉચ્ચ એલર્ટ જાહેર કર્યું
Advertisement
  • Brahmaputra પર ચીનના ડેમને લઈને ભારતનું મોટું નિવેદન
  • ચીનના બ્રહ્મપુત્રા ડેમ પર રાજનાથ સિંહનો પ્રહાર
  • 'હિતને નુકસાન નહીં થવા દઈએ' - રાજનાથ સિંહ

ભારતનો પાડોશી દેશ ચીન તિબેટ ક્ષેત્રમાં બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર એક વિશાળ ડેમ બનાવવા જઈ રહ્યું છે. ચીનની આ યોજનાને લઈને ભારત પણ સંપૂર્ણપણે સતર્ક છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે આ નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ચીને જાહેરાત કરી છે કે તે બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પણ મહત્વની છે કારણ કે આ નદી તિબેટમાંથી નીકળે છે અને ભારત થઈને બાંગ્લાદેશ જાય છે. તે વિશ્વની 15 મી સૌથી લાંબી નદી છે.

ભારતે શું કહ્યું?

ચીને બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર બંધ બાંધવાની જાહેરાત કર્યા બાદ ભારત તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે. ભારતે કહ્યું છે કે, તે આ મામલાની દેખરેખ રાખવાનું ચાલુ રાખશે અને તેના હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે. માહિતી અનુસાર, ભારતે ચીનને વિનંતી કરી છે કે તે સુનિશ્ચિત કરે કે બ્રહ્મપુત્રા (Brahmaputra)ના ઉપરના વિસ્તારોમાં ગતિવિધિઓ ડાઉનસ્ટ્રીમ વિસ્તારોના હિતોને નુકસાન ન પહોંચાડે.

Advertisement

આ પણ વાંચો : IAS ઓફિસર બનવા માંગતી હતી 13 વર્ષની યુવતી , સાધ્વી બનવા મહાકુંભમાં ત્યાગ્યો સંસાર!

Advertisement

રાજનાથ સિંહે શું કહ્યું?

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે એક કાર્યક્રમમાં હાજરી આપતાં કહ્યું કે ભારત સરકાર આ મામલે સતર્ક છે. રાજનાથ સિંહે આગળ કહ્યું- "પહેલાં જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર બોલતું હતું, ત્યારે લોકો તેને ગંભીરતાથી લેતા ન હતા, પરંતુ હવે જ્યારે ભારત બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. "

આ પણ વાંચો : 'સરકારો પાસે મફત યોજનાઓ માટે અઢળક પૈસા, પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નથી': સુપ્રીમ કોર્ટ

ચીને શું કહ્યું?

બીજી તરફ બ્રહ્મપુત્રા નદી પર બંધના મામલે ચીનનું કહેવું છે કે ડેમનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ સઘન વૈજ્ઞાનિક ચકાસણીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. નદીના વહેણની નીચેની પહોંચમાં આવેલા ભારત અને બાંગ્લાદેશ પર આની કોઈ નકારાત્મક અસર નહીં પડે. તમને જણાવી દઈએ કે બ્રહ્મપુત્રા નદી પરના આ ડેમનું નામ 'યારલુંગ ઝંગબો' થવા જઈ રહ્યું છે. આ બંધનો ખર્ચ US$137 બિલિયનથી વધુ થઈ શકે છે.

આ પણ વાંચો : દિલ્હીમાં આદર્શ આચાર સંહિતા લાગુ, જાણો કઈ-કઈ બાબતો પર લાગશે પ્રતિબંધો

Tags :
Advertisement

.

×