Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal pradesh માં વાદળ ફાટ્યું,ખાનિયારામાં 5 મૃતદેહ મળી આવ્યા

હિમાચલ પ્રદેશમાં આકાશે તબાહી મચાવી ખાનિયારામાં 5 મૃતદેહ મળી આવ્યા SDRF ટીમનું રેસ્ક્યૂ ઓપરેશ યથાવત   Himachal pradesh: હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ(Himachal weather)વચ્ચે બુધવારે હિમાચલ પ્રદેશમાં આકાશે (cloud burst) તબાહી મચાવી હતી. ગુરુવારે હવામાન સાફ થતાં થોડી રાહત મળી...
himachal pradesh માં વાદળ ફાટ્યું ખાનિયારામાં 5 મૃતદેહ મળી આવ્યા
Advertisement
  • હિમાચલ પ્રદેશમાં આકાશે તબાહી મચાવી
  • ખાનિયારામાં 5 મૃતદેહ મળી આવ્યા
  • SDRF ટીમનું રેસ્ક્યૂ ઓપરેશ યથાવત

Himachal pradesh: હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ(Himachal weather)વચ્ચે બુધવારે હિમાચલ પ્રદેશમાં આકાશે (cloud burst) તબાહી મચાવી હતી. ગુરુવારે હવામાન સાફ થતાં થોડી રાહત મળી હતી.ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી હતી.ગઈકાલે બે મૃતદેહ મળી આવ્યા હતા.આજે સવારે છ વાગ્યાથી બચાવ કામગીરી ચાલી રહી છે.બચાવ કામગીરી દરમિયાન વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે.જોકે ક્યારેક વરસાદને કારણે અવરોધો સર્જાતા જોવા મળ્યા હતા,તેમ છતાં NDRF, SDRF અને પોલીસ ટીમો શોધખોળ કામગીરીમાં રોકાયેલી છે

Advertisement

હિમાચલ પ્રદેશમાં આકાશે તબાહી મચાવી

પોતાનો જીવ બચાવવા જંગલ તરફ દોડી ગયેલા લવલીને SDRF ટીમે સલામત સ્થળે લઈ જવામાં આવ્યો છે. લવલીએ જણાવ્યું કે તે ચંબા જિલ્લાનો છે. લવલીએ જણાવ્યું કે અમે બધા કેમ્પમાં હાજર હતા, પછી અચાનક પાણી આવ્યું અને હું મારો જીવ બચાવવા જંગલ તરફ દોડી ગયો. અમે કુલ પાંચ લોકો હતા. લવલીએ જણાવ્યું કે મને જંગલમાં ખાવા માટે કંઈ મળ્યું નહીં અને હું સૂઈ ગયો. પછી સવારે SDRF ટીમે મને શોધી કાઢ્યો અને મને સલામત સ્થળે લઈ ગઈ છે. NDRF કમાન્ડન્ટ બલજિંદર સિંહે જણાવ્યું હતું કે આ એક સંયુક્ત શોધ કામગીરી છે જેમાં NDRF, SDRF અને સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રની મુલાકાત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે છ લોકો ગુમ છે. તેમણે કહ્યું કે હવામાન ખરાબ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં શોધ કામગીરીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

માનુની ખાડમાં એક મૃતદેહ મળી આવ્યો

એડીએમ કાંગડા શિલ્પી બેક્તાએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે અમને માહિતી મળી હતી કે માનુની ખાડમાં એક મૃતદેહ મળી આવ્યો છે અને ત્યારબાદ અમને માહિતી મળી કે પાવર પ્રોજેક્ટના 15 થી 20 લોકો ગુમ છે. તાત્કાલિક એસએચઓને તૈનાત કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરી ચાલુ છે. અમારી પાસે રહેલી માહિતી મુજબ ગઈકાલે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને આજે ગુરુવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. અમને કુલ પાંચ મૃતદેહ મળ્યા છે. જંગલમાં ભાગી ગયેલા યુવકને બચાવી લેવામાં આવ્યો છે અને તેને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યો છે. તેમણે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા પણ અપીલ કરી છે.

Tags :
Advertisement

.

×