Delhi-NCRની હવા ફરી ઝેરી બની, દિવાળીના બીજા દિવસે AQI 999 નોંધાયો
દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં ફટાકડાથી ફરી પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. AQI જે દિવાળીની સાંજ સુધી 218 હતો, તે દિવાળીના બીજા દિવસે વધીને 999 થયો છે. ઈન્ડિયા ગેટની હાલત સૌથી ખરાબ છે. આ સિવાય દિલ્હીના આનંદ વિહાર, જહાંગીરપુરી, આરકે પુરમ, ઓખલા, શ્રીનિવાસપુરી, વજીરપુર, બવાના અને રોહિણી પણ પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે.
ફટાકડાના કારણે AQI સ્તરમાં વધારો
એક તરફ ફટાકડાના કારણે AQI સ્તરમાં વધારો થયો છે તો બીજી તરફ વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈન્ડિયા ગેટની આસપાસની સ્થિતિ એટલી ખરાબ છે કે 100 મીટરના અંતરે પણ તેને સ્પષ્ટ રીતે જોવું મુશ્કેલ બની ગયું છે. દિવાળી પહેલા પણ દિલ્હી-NCRનું AQI લેવલ વધીને 999 થઈ ગયું હતું, પરંતુ તેના પછીના વરસાદે સમગ્ર હવામાન સાફ કરી દીધું હતું.
છેલ્લા 8 વર્ષનો સ્વચ્છ હવાનો રેકોર્ડ તૂટી ગયો
દિવાળીની સાંજ સુધીમાં છેલ્લા 8 વર્ષનો સ્વચ્છ હવાનો રેકોર્ડ તૂટી ગયો હતો. વર્ષો પછી દિવાળીના દિવસે દિલ્હીના લોકોએ સ્વચ્છ આકાશ જોયું હતું. દિવાળી પહેલા જ પ્રદૂષણને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા અને ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરીને દિલ્હી-NCRના લોકોએ ફટાકડા ફોડ્યા હતા.
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણે અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા
આ વર્ષે દિવાળી પછી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણે અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ 2016માં AQI 431 નોંધાયો હતો. તે પછી 2020 માં 414 તેમજ 2021 માં 382 નોંધાયા હતા. અગાઉ 2019 માં 337, 2017 માં 319 અને 2018 માં 281 નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે પ્રદૂષણના માપદંડ મુજબ 0 થી 50 ની વચ્ચે AQI સારો છે. 51 થી 100 ની વચ્ચે ‘સંતોષકારક’ છે, 101 થી 200 ની વચ્ચે ‘મધ્યમ’ છે. 201 થી 300 ની વચ્ચે ‘ખરાબ’ છે. 400 ‘ખૂબ ખરાબ’ છે. 401 અને 500 ની વચ્ચેનો AQI ‘નબળો’ અને ‘ગંભીર’ ગણાય છે.
દિવાળીની રાત્રે વધીને 2 હજાર PPM થઈ ગયું
દિવાળી પછી પ્રદૂષણનું સ્તર કેટલું વધ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિવાળી પહેલા PM 2.5નું સ્તર 56 PPM (પાર્ટ પર મિલિયન)ની મર્યાદામાં હતું, જે દિવાળીની રાત્રે વધીને 2 હજાર PPM થઈ ગયું હતું. પાર કરી હતી. જો કે, હવે તે એક હજારથી વધુ પીપીએમ છે. તમને જણાવી દઈએ કે PM 2.5 નો આદર્શ સ્કેલ 60 PPM છે. જો તેની અંદર PM 2.5 હોય તો તે મનુષ્ય માટે સુરક્ષિત માનવામાં આવે છે.
આ પણ વાંચો - UTTARAKHAND: ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડતાં 40 મજૂરોને બચાવવાની કામગીરી યથાવત્
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


