દિવાળી અને છઠ્ઠમાં બિહાર-યૂપી જવા માટે સ્પેશ્યિલ ટ્રેન, આ તારીખથી રિઝર્વેશન શરૂ થશે
- દિવાળી અને છઠ્ઠ પુજાના તહેવારમાં ટિકિટ બુકિંગની તારીખો જાહેર (Chhath train ticket booking)
- ભારતી રેલવે દ્વારા ફેસ્ટિવલ ટ્રેન ટિકિટ બુકિંગની તારીખો કરાઈ જાહેર
- 9 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી ટ્રેન ટિકિટનું બુકિંગ કરાવી શકાશે
- 30થી 40 દિવસમાં ટ્રેનની ટિકિટ હાઉસફુલ થઈ જાય છે
Diwali Chhath train ticket booking : નજીક આવતા તહેવારોના માહોલ વચ્ચે લાખો લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાસ કરીને દિવાળી અને છઠ જેવા મોટા તહેવારોમાં પોતાના વતન પાછા ફરતા મુસાફરો માટે રેલવેએ ટિકિટ બુકિંગની તારીખો જાહેર કરી દીધી છે. આજથી એટલે કે 9 સપ્ટેમ્બર, 2025થી મુસાફરો 8 નવેમ્બર, 2025 (શુક્રવાર) સુધીની ટ્રેન ટિકિટનું બુકિંગ કરાવી શકશે. આ નિર્ણયથી બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના રહેવાસીઓને મોટી રાહત મળશે, જેઓ દેશના અન્ય ભાગોમાં કામ કરી રહ્યા છે.
દિવાળી અને છઠ 2025ની તારીખો
આ વર્ષે દિવાળીનો તહેવાર 21 ઓક્ટોબર, 2025 (મંગળવાર) ના રોજ ઉજવાશે. તેના થોડા દિવસો બાદ જ બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશનો મહાન લોકપર્વ છઠ શરૂ થશે. છઠ મહાપર્વની શરૂઆત 25 ઓક્ટોબર, 2025 (રવિવાર) ના રોજ 'નહાય-ખાય' સાથે થશે અને તેનું સમાપન 28 ઓક્ટોબર, 2025 (બુધવાર) ના રોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને થશે. આ તારીખોની આસપાસ જ ટ્રેનોમાં સૌથી વધુ ભીડ જોવા મળે છે અને ટિકિટની માંગ આસમાને પહોંચી જાય છે.
IRCTC Diwali ticket
લાખો પ્રવાસીઓ માટે મોટી રાહત (Chhath train ticket booking)
દિવાળી અને છઠ દરમિયાન દિલ્હી, મુંબઈ, પૂણે, બેંગલુરુ અને આપણા અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી લાખો લોકો બિહાર અને પૂર્વ યુપીના પોતાના ઘરો તરફ પ્રયાણ કરે છે. આ દરમિયાન પટના, આરા, બક્સર, દાનાપુર, ગયા, મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર, સીવાન, છપરા અને સમસ્તીપુર જેવા મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ ઉમટે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા નિયમિત ટ્રેનોમાં વધારાના ડબ્બા જોડવાની અને ઘણી 'ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો' ચલાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વાપસીની ટિકિટ બુક કરવાનો પણ મોકો ( Chhath train ticket booking)
તહેવારોના સમયે સૌથી મોટી મુશ્કેલી વતનથી પાછા ફરવાની ટિકિટ મેળવવાની હોય છે. મુસાફરો જવાની ટિકિટ તો સમયસર બુક કરાવી લે છે, પરંતુ છઠ પૂજા પછી પરત ફરવામાં ભારે મુશ્કેલી પડે છે. આ વખતે રેલવેએ આ ચિંતાને પણ દૂર કરી દીધી છે. હવે લોકો 29 ઓક્ટોબર પછીની વાપસી યાત્રા માટે પણ ટિકિટ પહેલાથી જ બુક કરાવી શકશે, જેના કારણે તેઓ અંતિમ સમયની અફરાતફરી અને મોંઘા ભાવથી બચી શકશે.
Ahmedabad to Bihar train
વેઈટિંગ લિસ્ટ 500થી ઉપર પહોંચી જાય છે
છેલ્લા વર્ષોના અનુભવ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં 30-40 દિવસ પહેલા જ ટ્રેનોની વેઈટિંગ લિસ્ટ 500થી પણ ઉપર પહોંચી જાય છે. સમયસર બુકિંગ કરવાથી મુસાફરી આરામદાયક બની રહેશે. રેલવેની સાથે સાથે એરલાઈન્સ કંપનીઓ પણ આ સમયગાળામાં વધારાની ફ્લાઈટ્સ ચલાવવાની યોજના બનાવી રહી છે, પરંતુ સસ્તામાં મુસાફરી કરવા માટે વહેલું બુકિંગ કરાવવું એ જ એકમાત્ર ઉપાય છે.
આ પણ વાંચો : Arunachal Pradesh ને CM પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ ચલાવે છે’: સુપ્રીમ કોર્ટમાં વકીલની દલીલ


