Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીના આરોપોને ચૂંટણી પંચે ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું - વોટ ઓનલાઇન ડિલિટ ન થઇ શકે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પ્રક્રિયામાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને સીધા નિશાન બનાવ્યા હતા.
રાહુલ ગાંધીના આરોપોને ચૂંટણી પંચે ગણાવ્યા પાયાવિહોણા  કહ્યું   વોટ ઓનલાઇન ડિલિટ ન થઇ શકે
Advertisement
  • Rahul Gandhi ના વોટ ચોરીના આરોપો પર EC નો કડક જવાબ
  • CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા
  • લોકસભા ચૂંટણીમાં ગોટાળાના દાવા ખોટા: ECI 
  • રાહુલ ગાંધીના આરોપો નિરાધાર: ચૂંટણી પંચની સ્પષ્ટતા
  • વોટ ચોરીના આરોપો પર રાજકારણ ગરમાયું, પંચે આપી સફાઈ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પ્રક્રિયામાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને સીધા નિશાન બનાવ્યા હતા. આ આરોપોએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે, હવે ભારતીય ચૂંટણી પંચ (ECI)એ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધા છે.

ચૂંટણી પંચનો જવાબ

રાહુલ ગાંધીના આરોપોના જવાબમાં, ચૂંટણી પંચે એક વિસ્તૃત નિવેદન જારી કર્યું. પંચે સ્પષ્ટપણે જણાવ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો, ખાસ કરીને CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના, તથ્યની દ્રષ્ટિએ ખોટા અને પાયાવિહોણા છે. પંચે એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર સ્પષ્ટતા કરી: "કોઈપણ મત ઓનલાઈન કાઢી શકાતો નથી."

Advertisement

Advertisement

અલંદ કેસ : EC એ પોતે FIR દાખલ કરી હતી

ચૂંટણી પંચે અલંદ વિધાનસભા મતવિસ્તારના કેસ પર પણ સ્પષ્ટતા કરી. પંચે જણાવ્યું કે અલંદમાં 2023માં મત કાઢી નાખવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા, અને આ મામલે ચૂંટણી પંચે પોતે FIR દાખલ કરી હતી. આ બાબત દર્શાવે છે કે જ્યારે પણ આવી કોઈ ગેરરીતિ થાય છે, ત્યારે પંચ તેના પર નજર રાખે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. પંચના રેકોર્ડ મુજબ, 2018માં અલંદ બેઠક ભાજપના સુભાષ ગુટ્ટેદાર અને 2023માં કોંગ્રેસના બીઆર પાટીલે જીતી હતી.

Rahul Gandhi ના આરોપો

રાહુલ ગાંધીએ પોતાની પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે વોટ ચોરી થઈ હતી. તેમણે કર્ણાટકના મહાદેવપુરા અને મહારાષ્ટ્રના રાજુરા જેવા વિધાનસભા મતવિસ્તારોના ઉદાહરણો આપ્યા અને જણાવ્યું કે ત્યાં હજારો મતોમાં ગોટાળા કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આ કામ કોઈ વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ એક સુનિયોજિત રીતે અને સોફ્ટવેર દ્વારા થઈ રહ્યું છે, જે સિસ્ટમ સ્તરે કામ કરે છે. તેમના આ નિવેદનોએ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

આ પણ વાંચો :   Rahul Gandhi Press Conference : રાહુલ ગાંધીનું ચોંકાવાનારું નિવેદન - આ મારું કામ નથી..!

Tags :
Advertisement

.

×