Emergency Landing : એર ઈન્ડિયાની દિલ્હી જતી ફ્લાઈટ ચેન્નાઈમાં ડાયવર્ટ કરાઈ, કેસી વેણુગોપાલ સહિત સાંસદો હતા સવાર
- Air India ની ફ્લાઈટ AI2455 નું ચેન્નાઈમાં Emergency Landing કરાયું
- તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 100 મુસાફરો હતા
- આ મુસાફરોમાં કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ પણ હતા
- Air India એ આ ઘટના અંગે મુસાફરોની માફી માંગી હતી
Emergency Landing : એર ઈન્ડિયાની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના છાશવારે બનતી જાય છે. ગતરોજ આવી જ એક ઘટના તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 સાથે બની હતી. આ ફ્લાઈટ દિલ્હી જઈ રહી હતી ત્યારે ટેકનિકલ ખામીઓ અને હવામાનની સ્થિતિને કારણે સાવચેતીના પગલા તરીકે ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદો મુસાફરી કરી રહ્યા હતા.
Air India ના વિમાનનું Chennai માં ઈમરજન્સી લેન્ડિંગ
કોંગ્રેસ નેતા K. C. Venugopal સહિત 100 યાત્રી હતા સવાર
તિરૂવનંતપુરમથી દિલ્હી જતી હતી એર ઈન્ડિયા ફ્લાઈટ
બે કલાક સુધી હવામાં ચક્કર માર્યા બાદ થયું ઉતરાણ
Air Indiaના વિમાનમાં અનેક સાંસદો હતા સવાર | Gujarat First#Chennai #AirIndia… pic.twitter.com/CK5Za1F42L— Gujarat First (@GujaratFirst) August 11, 2025
એર ઈન્ડિયાએ માફી માંગી
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહી હતી. આ મુસાફરી દરમિયાન ટેકનિકલ ખામીઓ અને હવામાનની સ્થિતિને કારણે સાવચેતીના પગલા તરીકે ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી. ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) સફળ રહ્યું હતું. આ વિમાનમાં કુલ 100 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. મુસાફરોને સહી સલામત વિમાનમાંથી ઉતારી લેવાયા હતા. જો કે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે મુસાફરોની માફી માંગી હતી.
Thiruvananthapuram–Delhi Air India flight makes emergency landing at Chennai; five MPs onboard
· An Air India flight travelling from Thiruvananthapuram towards Delhi, carrying several senior political leaders, was forced to make an emergency landing at Chennai airport late on… pic.twitter.com/YXYgcW3Avg
— IANS (@ians_india) August 10, 2025
આ પણ વાંચોઃ ‘શિક્ષણ અને સારવાર સામાન્ય લોકોની પહોંચથી દૂર’, મોહન ભાગવતે વ્યક્ત કરી ચિંતા
કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદો હતા સવાર
તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 નું ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ (KC Venugopal) પણ હતા. તેમના સિવાય અન્ય સાંસદો સહિત કુલ 100 લોકો દિલ્હીનો પ્રવાસ કરી રહ્યા હતા. ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ સફળ રહેતા એર ઈન્ડિયા, મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈમરજન્સી લેન્ડિંગ બાદ સત્વરે વિમાનના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ તમામ મુસાફરોની માફી માંગી હતી અને તેમના પ્રવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી હતી.
Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા Anand Sharma એ પાર્ટીના વિદેશ વિભાગમાંથી આપ્યું રાજીનામું


