Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CJI પર જૂતું ફેંકનારા વકીલની પ્રથમ પ્રતિક્રિયા - મને કોઈ અફસોસ નથી

Rakesh Kishore who threw shoe at CJI : એક એવી ઘટના કે જેણે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં એક અસામાન્ય અને ચિંતાજનક વળાંક આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને આ કૃત્ય કરનાર વકીલની પ્રથમ પ્રતિક્રિયાઓ અને તેના પાછળના કારણો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
cji પર જૂતું ફેંકનારા વકીલની પ્રથમ પ્રતિક્રિયા   મને કોઈ અફસોસ નથી
Advertisement
  • CJI પર જૂતું ફેંકનારા વકીલની પ્રથમ પ્રતિક્રિયા
  • આરોપી રાકેશ કિશોરે કહ્યું, 'કોઈ અફસોસ નથી'
  • મેં જે કર્યુ તે એક્શનનું રિએક્શન હતુંઃ રાકેશ કિશોર
  • 16 સપ્ટેમ્બરના નિર્ણયથી દુ:ખી હતોઃ રાકેશ કિશોર
  • સનાતન ધર્મના મુદ્દાઓ પર ભેદભાવઃ રાકેશ કિશોર
  • આવું કેમ થયું તેનું દેશ ચિંતન કરેઃ રાકેશ કિશોર

Rakesh Kishore who threw shoe at CJI : એક એવી ઘટના કે જેણે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં એક અસામાન્ય અને ચિંતાજનક વળાંક આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને આ કૃત્ય કરનાર વકીલની પ્રથમ પ્રતિક્રિયાઓ અને તેના પાછળના કારણો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. શું કહેવામાં આવ્યું છે આવો જાણીએ આ આર્ટિકલમાં.

CJI પર જૂતું ફેંકવાની ઘટના

ભારતીય ન્યાયતંત્રનું સર્વોચ્ચ સ્થાન ગણાતી સર્વોચ્ચ અદાલતમાં સોમવારે એક શરમજનક ઘટના બની. 72 વર્ષીય વરિષ્ઠ વકીલ રાકેશ કિશોરે, મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે સુરક્ષાકર્મીઓની તત્પરતાને કારણે આ પ્રયાસ સફળ થયો નહીં અને વકીલને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા. આ ઘટના ન્યાયિક સંસ્થાઓની સુરક્ષા અને પવિત્રતા પર સવાલ ઉઠાવે છે, પરંતુ તેનાથી વધુ ચિંતાજનક છે, આ કૃત્ય કરનાર વકીલની પ્રતિક્રિયા.

Advertisement

આરોપી વકીલની પ્રથમ પ્રતિક્રિયા (After throwing a shoe at the CJI)

અટકાયત બાદ વકીલ રાકેશ કિશોરે જે નિવેદનો આપ્યા, તે ચોંકાવનારા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમને પોતાના કૃત્યો બદલ જરાય પસ્તાવો નથી. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તે માફી માંગશે નહીં. તેમણે કહ્યું કે, "મને બિલકુલ પસ્તાવો નથી. ના... ના... હું માફી માંગવાનો નથી... મેં કંઈ કર્યું નથી. મેં ભગવાને મને જે કરાવ્યું તે કર્યું. હું ફક્ત સાક્ષી છું. તેમની ઇચ્છા પૂરી થવા દો." તેમણે વધુમાં કહ્યું કે, "મેં જે કર્યું તે એક્શનનું રિએક્શન હતું." આ નિવેદન તેમની ક્રિયાને તર્કસંગત ઠેરવવાનો પ્રયાસ કરે છે, જ્યાં તેમણે ન્યાયતંત્રના અમુક નિર્ણયો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

Advertisement

રાકેશ કિશોરે પોતાની નારાજગીના મુખ્યત્વે બે કારણો આપ્યા:

સનાતન ધર્મ પર ભેદભાવ - વકીલ રાકેશ કિશોરે ખાસ કરીને 'ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સંબંધિત અરજી' પર CJI ની ટિપ્પણીને પોતાની નારાજગીનું મુખ્ય કારણ ગણાવ્યું. કોર્ટમાં જૂતું ફેંકતી વખતે પણ તેમણે બૂમ પાડી હતી કે, "હિન્દુસ્તાન સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં." આ ઘટના સનાતન ધર્મના મુદ્દાઓ પર ભેદભાવના તેમના આક્ષેપ સાથે સીધી રીતે જોડાયેલી છે. તેમના મતે, 16 સપ્ટેમ્બરના નિર્ણયથી તેઓ દુઃખી હતા અને આ કૃત્ય તેનું પરિણામ હતું.

ન્યાયતંત્રની ધીમી ગતિ - ધાર્મિક મુદ્દાઓ ઉપરાંત, કિશોરે ભારતીય ન્યાયતંત્રમાં લાખો-કરોડો કેસો પેન્ડિંગ હોવા બદલ પણ ગહન નારાજગી વ્યક્ત કરી. તેમણે પ્રશ્ન કર્યો કે, "લાખો અને કરોડો કેસ કેમ પેન્ડિંગ છે?" તેમણે એક મિત્રનું ઉદાહરણ પણ આપ્યું જેનો નાનો કેસ 4 વર્ષથી પેન્ડિંગ છે. તેમના મતે, ન્યાયાધીશોએ પણ તેમની સંવેદનશીલતા વધારવી જોઈએ, અને આ પ્રકારના વિરોધ વધે તો તેનો અર્થ એ છે કે ન્યાયતંત્રમાં સુધારાની તાતી જરૂર છે.

કાયદાકીય અને નૈતિક પ્રશ્નો

ઘટના બાદ દિલ્હી પોલીસે વકીલ રાકેશ કિશોરની અટકાયત કરી અને પૂછપરછ બાદ તેમને છોડી દીધા. જોકે, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. આ ઘટના માત્ર એક વકીલના રોષની નહીં, પરંતુ 2 મોટા અને અગત્યના પ્રશ્નો ઊભા કરે છે. જેમા એક છે, ભલે કોઈપણ વ્યક્તિને ન્યાયિક નિર્ણયથી અસંતોષ હોય, પરંતુ શું સર્વોચ્ચ ન્યાયાધીશ પર શારીરિક હુમલાનો પ્રયાસ કરવો એ યોગ્ય માર્ગ છે? આ કૃત્ય ન્યાયતંત્રની ગરિમા અને આદરને ગંભીર રીતે ઠેસ પહોંચાડે છે. બીજો, લોકશાહીમાં વિરોધનો અધિકાર છે, પરંતુ તે ક્યાં સમાપ્ત થાય છે અને હિંસા કે અરાજકતા ક્યાંથી શરૂ થાય છે? વકીલે દેશને "આવું કેમ થયું તેનું ચિંતન કરવા" કહ્યું છે, જે એક રીતે સમગ્ર દેશને ન્યાયતંત્રમાં સુધારાની જરૂરિયાત પર વિચાર કરવા માટે પડકાર ફેંકે છે.

ભારતીય ન્યાયતંત્ર માટે લાલબત્તી સમાન ઘટના

ભલે આ વકીલે પસ્તાવો ન દર્શાવ્યો હોય અને તેને 'ભગવાનની ઈચ્છા' ગણાવી હોય, પરંતુ આ ઘટના ભારતીય ન્યાયતંત્ર માટે એક લાલબત્તી સમાન છે. ન્યાયમાં વિલંબ અને ધાર્મિક સંવેદનશીલતા પરના નિર્ણયોને લઈને ઉદ્ભવતા અસંતોષને ગંભીરતાથી લેવો પડશે. રાકેશ કિશોર ભલે એક અસાધારણ વ્યક્તિ હોય, પરંતુ તેમના કૃત્યો પાછળના કારણોને નજરઅંદાજ કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, આ એક જટિલ મુદ્દો છે, જે ન્યાયતંત્રની ગરિમા, ધાર્મિક સંવેદનશીલતા અને ન્યાયમાં વિલંબ જેવા અનેક પાસાઓ પર પ્રકાશ પાડે છે. દેશ આ ઘટના પર શું ચિંતન કરે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો :   સુપ્રીમ કોર્ટમાં વકીલે CJI તરફ બૂટ ઉછાળવાનો પ્રયાસ કર્યો, 'સનાતનનું અપમાન નહીં સહીએ'ના નારા લગાવ્યા

Tags :
Advertisement

.

×