Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gau Rakshak : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની Bihar Election માં એન્ટ્રી!

Bihar Assembly Election 2025 Gau Rakshak Candidates : બિહારની આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના મેદાનમાં એક અણધાર્યો અને ગહન ધાર્મિક મુદ્દો પ્રવેશ્યો છે.
gau rakshak   શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની bihar election માં એન્ટ્રી
Advertisement
  • બિહાર ચૂંટણીમાં 243 બેઠકો પર Gau Rakshak ઉમેદવારો
  • શંકરાચાર્યની મોટી જાહેરાત! દરેક બેઠક પર ગૌ રક્ષક
  • ગૌ રક્ષાને કેન્દ્રમાં લાવવા શંકરાચાર્યની જાહેરાત
  • 243 બેઠકો પર ગૌ રક્ષક ઉમેદવારોની એન્ટ્રી
  • ગૌ રક્ષા માટે બિહારની ચૂંટણીમાં સીધી અપીલ

Bihar Assembly Election 2025 Gau Rakshak Candidates : બિહારની આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના મેદાનમાં એક અણધાર્યો અને ગહન ધાર્મિક મુદ્દો પ્રવેશ્યો છે. પોતાના તીક્ષ્ણ રાજકીય નિવેદનો માટે જાણીતા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જાહેરાત કરી છે કે તેઓ બિહારની તમામ 243 વિધાનસભા બેઠકો પર 'ગૌ રક્ષક' (Gau Rakshak) ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. તેમનું આ પગલું રાજકીય વિરોધના એક અનોખા સ્વરૂપ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ગૌ રક્ષા પ્રાથમિકતા

બિહારના ચૂંટણી રાજ્યના પ્રવાસ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સ્પષ્ટ કર્યું કે તેમની મુખ્ય પ્રાથમિકતા ગૌ રક્ષા છે, જેને તેઓ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો આત્મા ગણાવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે બિહારમાં ગાયોની શુદ્ધ સ્વદેશી જાતિઓ જોખમમાં મુકાઈ રહી છે. આ કટોકટીનો સામનો કરવા અને રાજકીય નેતાઓનું ધ્યાન દોરવા માટે, તેમણે ગૌ રક્ષક ઉમેદવારોને નામાંકિત કરવાની આ અનોખી વ્યૂહરચના જાહેર કરી છે. સ્વામીજીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, "અમે એક પછી એક પક્ષને સત્તામાં લાવ્યા, પરંતુ કોઈ નેતાએ અમારી ગાયોની સમસ્યા હલ કરી નથી. ગાય પર અત્યાચાર વધી રહ્યા છે. હવે, અમે સીધી અપીલ મતદારોને કરીશું."

Advertisement

શંકરાચાર્યની સ્પષ્ટતા (Gau Rakshak)

શંકરાચાર્યએ જાહેરાત કરી છે કે તેમનો ઉદ્દેશ્ય હાલમાં રાજકીય પક્ષ બનાવવાનો કે કોઈ પક્ષ સાથે જોડાણ કરવાનો નથી. આ પગલું વિરોધના એક સ્વરૂપ તરીકે છે, જેના દ્વારા તેઓ મતદારોને જાગૃત કરવા માંગે છે. તેમણે કહ્યું, "અમે 243 બેઠકો પર ગૌ રક્ષક (Gau Rakshak) ઉમેદવારો ઉભા રાખીશું. અમારા પૂર્વજોએ ઘણી પદ્ધતિઓ અજમાવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. હવે, મતદારોએ આગળ આવીને ગાયોના રક્ષણ માટે મતદાન કરવું જોઈએ." સ્વામીજીની યોજના મુજબ, તેઓ બધી 243 બેઠકો પર એવા સ્વતંત્ર ઉમેદવારોની ઓળખ કરશે જેઓ ગૌ રક્ષણ માટે સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવશે. આ ઉમેદવારોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમને સમર્થન આપવામાં આવશે.

Advertisement

મતદારોને સીધી અપીલ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મતદારોને ભાવનાત્મક અપીલ કરી છે કે તેઓ હવે ફક્ત એવા ઉમેદવારોને જ મત આપે જેઓ:

  • ગૌહત્યાને પાપ માને છે.
  • હિન્દુઓની વ્યાપક ભાવનાઓ અનુસાર ગૌ રક્ષણ માટે કામ કરે છે.

તેમનો દાવો છે કે હિન્દુઓની આ વ્યાપક ભાવના હોવા છતાં, રાજકીય પક્ષો આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યા છે. આ પહેલ દ્વારા, તેઓ આ મુદ્દાને બિહારની ચૂંટણીના કેન્દ્રમાં લાવવા માંગે છે.

ચૂંટણીનું રાજકીય ચિત્ર અને સંભવિત અસર

બિહારમાં હાલમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની બાકી છે, પરંતુ ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ 6 ઓક્ટોબર સુધીમાં જાહેરાત કરે તેવી અપેક્ષા છે. હાલનું રાજકીય ચિત્ર મુખ્યત્વે NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) અને મહાગઠબંધન વચ્ચેની સ્પર્ધા દર્શાવે છે. શંકરાચાર્યનો આ દાવ ધાર્મિક સમુદાયના મતો પર અસર કરી શકે છે. જો તેમના આહ્વાનથી ગૌ રક્ષક (Gau Rakshak) ઉમેદવારોને નોંધપાત્ર સંખ્યામાં મતો મળે, તો તે બંને મુખ્ય ગઠબંધનોના મતોમાં ભાગલા પાડી શકે છે, જેના કારણે ઘણા મતવિસ્તારોમાં પરિણામો પલટાઈ શકે છે. આ ગૌ રક્ષાનું આંદોલન હવે બિહારની ચૂંટણીમાં એક નવું અને અનિશ્ચિત પરિબળ બની ગયું છે.

આ પણ વાંચો :   Bihar ચૂંટણીને લઈ BJP ની મોટી જાહેરાત, સી.આર.પાટીલને અપાઈ મહત્વની જવાબદારી

Tags :
Advertisement

.

×