Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, સંસ્કૃતિ-શ્રદ્ધા-ઉત્સાહનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું

Navratri : માં આદ્યશક્તિની આરાધનાનો પાવન પર્વ એટલે નવરાત્રિ. આ નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, પણ ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે.
ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી  સંસ્કૃતિ શ્રદ્ધા ઉત્સાહનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું
Advertisement

Navratri : માં આદ્યશક્તિની આરાધનાનો પાવન પર્વ એટલે નવરાત્રિ. આ નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, પણ ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. આ જ પરંપરાને જીવંત રાખતા ગોકુલધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિ પર્વ (Navratri festival) ની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણ સાથે કરવામાં આવી, જેણે શાળાના પરિસરમાં એક અદ્ભુત રંગ જમાવ્યો.

Ma Ambe

Advertisement

શણગાર અને પોશાકમાં ગુજરાતની ઝલક

નવરાત્રી (Navratri) ની ઉજવણીનો મુખ્ય આકર્ષણ તેનો શણગાર અને પહેરવેશ હોય છે. સ્કૂલનું આખું પરિસર રંગબેરંગી રોશની અને સુશોભનથી ઝળહળી ઉઠ્યું હતું, જેણે ઉત્સવના માહોલને વધુ આકર્ષક બનાવ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા પરંપરાગત નવરાત્રિ પોશાક પહેર્યા હતા. જ્યા વિદ્યાર્થીનીઓ સુંદર ચણિયા ચોળીમાં સજ્જ હતી, જે તેમના ચહેરા પરના ખુશનુમા ભાવ સાથે મળીને ઉત્સવને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. તો વિદ્યાર્થીઓ રંગબેરંગી કેડિયા અને અન્ય વંશીય પોશાકમાં સજ્જ હતા, જેણે વાતાવરણમાં એક ઉત્સાહપૂર્ણ ઊર્જા ભરી દીધી હતી. આ પોશાકો માત્ર વસ્ત્રો નહોતા, પણ ગુજરાતની પરંપરા અને હસ્તકલાની સુંદરતાનું પ્રદર્શન હતા.

Advertisement

Cultural festival in school

Navratri નું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

ઉજવણીની શરૂઆત કરતાં પહેલાં, વિદ્યાર્થીનીઓએ નવરાત્રિના મહત્વ વિશે સંક્ષિપ્ત અને અસરકારક પ્રસ્તાવના આપી. તેમણે સમજાવ્યું કે નવરાત્રિ એ દેવી દુર્ગાને સમર્પિત નવરાત્રિઓનો તહેવાર છે. નવરાત્રિ (Navratri) ના મુખ્ય સંદેશાઓની વાત કરીએ તો, નવરાત્રિ એ દર્શાવે છે કે આખરે સત્ય અને સકારાત્મકતાનો જ વિજય થાય છે. તે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. શિક્ષકોએ ભારપૂર્વક જણાવ્યું કે, આ તહેવાર કેવી રીતે સમુદાયમાં એકતા, શિસ્ત અને ભક્તિના મૂલ્યોનું સિંચન કરે છે. એકસાથે ગરબા લેવાથી સામાજિક સદભાવના મજબૂત બને છે. આ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જે શક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. આ પ્રસ્તાવનાએ માત્ર ઉત્સવની શરૂઆત કરી નહોતી, પણ યુવા પેઢીને તેમની સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો સમજાવ્યા હતા.

School Navratri event

મુખ્ય આકર્ષણ

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગરબા રહ્યું હતું. ગુજરાતના આ લોકનૃત્ય વિના નવરાત્રિ (Navratri) ની કલ્પના કરવી અશક્ય છે. વિદ્યાર્થીઓએ પરંપરાગત તાલ અને સંગીત પર પોતાના ગરબાની કલાનું પ્રદર્શન કર્યું. તેમના નૃત્યમાં રહેલી ઊર્જા, તાલમેલ અને ઉત્સાહ જોવા જેવો હતો. સૌથી મોટી વાત એ હતી કે, આ ખુશીના માહોલમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે ગરબામાં જોડાયા હતા, જેનાથી ઉજવણી વધુ જીવંત અને યાદગાર બની. આ દ્રશ્ય શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સુંદર બંધનને પણ દર્શાવતું હતું. આ ઉત્સાહને બિરદાવવા માટે, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેણે અન્ય વિદ્યાર્થીઓમાં પણ સારું પ્રદર્શન કરવાની ભાવના જગાડી હતી.

School festival highlights

સંતોના આશીર્વાદ

કોઈપણ શુભ કાર્ય સંસ્થાના વડાઓના આશીર્વાદ વિના પૂર્ણ થતું નથી. આ પાવન પ્રસંગે સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ. શુક્રદેવપ્રસાદ દાસજી સ્વામી, પ.પૂ. હરિકેશવદાસજી સ્વામી તથા, પ.પૂ. હરિકૃષ્ણદાસજી સ્વામીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને તેમના અમૂલ્ય આશીર્વાદ પાઠવ્યા હતા. તેમના આશીર્વચનોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારની ભાવનાને વધુ મજબૂત બનાવી.

આ પણ વાંચો :   Abu Dhabi Mandir : "તેને પૂર્ણ થતું જોવું તે અદ્ભુત છે": સુલતાન અહેમદ બિન સુલતામ

Tags :
Advertisement

.

×