Delhi માં કેજરીવાલનું મહિલા સશક્તિકરણનું વચન, મળશે દર મહિને 2100 રૂપિયા!
- Delhi ના પૂર્વ CM અને AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની ગેરંટી
- ચૂંટણી બાદ દિલ્હીની મહિલાઓના ખાતામાં 2100 રૂપિયા આવશે
- જેલમાં જવાને કારણે યોજનાનો અમલ કરવામાં વિલંબ થયો - કેજરીવાલ
દિલ્હી (Delhi)ના પૂર્વ CM અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું દિલ્હી (Delhi)ના લોકો માટે બે મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને દિલ્હી (Delhi)ની મહિલાઓ માટે છે. મેં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. દિલ્હી કેબિનેટે તેને પાસ કરી દીધો છે. આ યોજના દિલ્હી (Delhi)માં લાગુ કરવામાં આવી છે.
ચૂંટણી પછી સરકાર 2100 રૂપિયા આપશે...
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ મહિલાઓના ખાતામાં પૈસા આવવા લાગશે. તેમણે કહ્યું કે, દિલ્હી (Delhi)ની મહિલાઓને ચૂંટણી પછી દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. આવતીકાલથી 2100 રૂપિયા પ્રતિ માસમાં રજીસ્ટ્રેશન શરૂ થશે.
#WATCH | Delhi| AAP National Convenor Arvind Kejriwal says, "...Today I have come to make two big announcements for the people of Delhi. Both the announcements are for women. I had promised that I will give Rs 1,000 to every woman. This proposal was passed in the cabinet meeting… pic.twitter.com/PXO8BElu7Z
— ANI (@ANI) December 12, 2024
મહિલાઓને 2100 રૂપિયા મળશે...
પૂર્વ CM કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે પૈસા ક્યાંથી આવશે. જ્યારે હું મફત વીજળી આપતો હતો ત્યારે પણ તેઓ આવું જ કહેતા હતા. હું જે કહું તે કરું છું. યોજના અમલમાં આવી છે પરંતુ ચૂંટણી બાદ ખાતામાં પૈસા આવશે. કેજરીવાલે કહ્યું કે આ માટે રજીસ્ટ્રેશન શુક્રવારથી શરૂ થશે. આ રજિસ્ટ્રેશન 1000 રૂપિયામાં નહીં પરંતુ 2100 રૂપિયામાં થશે. ચૂંટણી પછી તમારા ખાતામાં 1000 નહીં પરંતુ 2100 રૂપિયા આવશે. ચૂંટણી જીતીને જ્યારે અમારી સરકાર બનશે ત્યારે મહિલાઓના ખાતામાં દર મહિને 2100 રૂપિયા મોકલવામાં આવશે. ભાજપના લોકો પૂછે તો કહે કે મારો ભાઈ જાદુગર છે. લાકડી લહેરાવશે અને પૈસા લાવશે.
આ પણ વાંચો : Maharashtra માં પાવર શેરિંગ ફોર્મ્યુલા ફાઇનલ!, કેબિનેટ વિસ્તરણ આગામી બે દિવસમાં?
જેલમાં જવાને કારણે યોજનાનો અમલ કરવામાં વિલંબ થયો...
પૂર્વ CM એ કહ્યું કે, અમે માર્ચમાં આ યોજનાની જાહેરાત કરી હતી. હું વિચારતો હતો કે તેઓ એપ્રિલ-મેમાં તેનો અમલ કરશે પરંતુ તેઓએ મને જેલમાં મોકલી દીધો એટલે મોડું થયું. લોકોનું કહેવું છે કે, આ યોજનાથી દિલ્હી સરકાર પર બોજ પડશે. પરંતુ મને લાગે છે કે તે ફાયદાકારક રહેશે. તમને મહિલાઓ તરફથી આશીર્વાદ મળશે.
આ પણ વાંચો : Rajya Sabha માં અધ્યક્ષનું અપમાન? કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખુલ્લો સંઘર્ષ...
ગોપાલ રાયે આ વાત કહી...
#WATCH | On Delhi Government's 'Mahila Samman Yojana', Delhi Minister Gopal Rai says, "This is a huge announcement for women. In Delhi, this was passed in the Budget in March. But Arvind Kejriwal was jailed so that it could be stopped. Attempts were being made for a long time to… pic.twitter.com/qHHLpQ1lF9
— ANI (@ANI) December 12, 2024
દિલ્હી સરકારની 'મહિલા સન્માન યોજના' પર મંત્રી ગોપાલ રાયે કહ્યું કે મહિલાઓ માટે આ એક મોટી જાહેરાત છે. દિલ્હી (Delhi)માં માર્ચમાં બજેટમાં તેને પસાર કરવામાં આવ્યું હતું પરંતુ તેને રોકવા માટે અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આને રોકવા માટે ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આજે અમને મોટી સફળતા મળી જ્યારે કેબિનેટે આ યોજનાને દિલ્હી (Delhi)માં લાગુ કરી. ગોપાલ રાયે કહ્યું કે, 20 રાજ્યોમાં ભાજપની સરકાર છે પરંતુ તેઓ મફત વીજળી આપતા નથી, અમે કરીએ છીએ. તેઓ મફત પાણી આપતા નથી, અમે કરીએ છીએ.
આ પણ વાંચો : ગુજરાત સહિત 5 રાજ્યોમાં NIA ના દરોડા, જૈશ-એ-મોહમ્મદ સામે કડક કાર્યવાહી...


