Breaking News:'તેમણે મને ફોન કર્યો, તેથી હું ગયો,CM યોગીને મળવા પર બ્રિજભૂષણ સિંહ બોલ્યા..!
- સીએમ યોગી સાથે બ્રિજભૂષણ સિંહની મુલાકાત કરી
- બ્રિજભૂષણ શરણ સિંહે પોતાનું મૌન તોડ્યું
- બંને લગભગ અડધા કલાક સુધી મળ્યા
Uttar Pradesh : ઉત્તર પ્રદેશના કૈસરગંજના ભૂતપૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે (Brij Bhushan sharan Singh)સોમવારે બપોરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ( CM Yogi )તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. લાંબા સમય પછી થયેલી આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં અટકળોને વેગ આપ્યો હતો.
CM યોગીએ પોતે તેમને ફોન કર્યો હતો
સીએમ યોગી સાથે બ્રિજભૂષણ સિંહની મુલાકાત અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. સીએમ યોગી સાથેની મુલાકાત અંગે બ્રિજભૂષણ શરણ સિંહે પોતે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, સીએમ યોગી આદિત્યનાથે તેમને મળવા માટે બોલાવ્યા હતા. એટલા માટે તેઓ ગયા હતા.
આ પણ વાંચો -DELHI GOVT :દિલ્હી સરકારનો મોટો નિર્ણય, ઓલમ્પિકમાં જીતનાર ખેલાડીઓને મળશે અધધ..રૂપિયા
કોઈ રાજકીય વાત નહોતી
આજે, બ્રિજભૂષણ શરણ સિંહે ગોંડામાં કહ્યું, ‘તેઓ 31 મહિના પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા પરંતુ કોઈ રાજકીય વાતચીત થઈ નહીં. બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે યોગી આદિત્યનાથ સાથે તેમનો સંબંધ 56 વર્ષ જૂનો છે.
આ પણ વાંચો -Mig-21: 62 વર્ષ બાદ થશે રિટાયર,ભારતીય વાયુસેના માટે એક યુગનો આવશે અંત
બંને લગભગ અડધા કલાક સુધી મળ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ લગભગ 31 મહિના પછી લખનૌમાં મળ્યા હતા. આ મુલાકાત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, 5 કાલિદાસ માર્ગ ખાતે થઈ હતી. આ મુલાકાત લગભગ 30 મિનિટ ચાલી હતી. ભૂતકાળમાં બંને નેતાઓ વચ્ચે તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. બ્રિજભૂષણે સરકારની નીતિઓ પર ઘણી વખત સવાલ ઉઠાવ્યા હતા અને ટીકાત્મક નિવેદનો આપ્યા હતા.
રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ
હવે, બ્રિજભૂષણ સિંહે આ મુલાકાતને સૌજન્ય મુલાકાત અને વ્યક્તિગત અને ભાવનાત્મક ગણાવી છે. જોકે, રાજકીય વર્તુળોમાં તેનાથી ઘણા ઊંડા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.


