J&K Cloud Burst : કિશ્તવાડમાં આભ ફાટતાં ભારે વિનાશ,10થી વધુના મોત
- કિશ્તવાડ જિલ્લામાં આભ ફાટતાં વિનાશ (J&K Cloud Burst)
- આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું
- પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ
- 10થી વધુ લોકોના મોતની આશંકા
J&K Cloud Burst :જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર( (J&K Cloud Burst) સબ ડિવિઝન વિસ્તારમાંઆભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
ઘટનાની જાણકારી મળતાં મંત્રી જિતેન્દ્ર સિંહ એક્ટિવ થયા
હાલમાં ઘટનાસ્થળે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરના રાજૌરી અને મેંઢરમાં પણ આભ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં મંત્રી જિતેન્દ્ર સિંહ પણ એક્ટિવ થયા હતા. તેમણે આ મામલે કહ્યું કે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. દરેક સંભવ મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.
Just now spoke to DC Kishtwar Sh Pankaj Kumar Sharma after receiving an urgent message from LoP #JammuAndKashmir and local MLA Sh Sunil Kumar Sharma.
Massive cloud burst in Chositi area, which could result in substantial casualty. Administration has immediately swung into…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 14, 2025
ઉપરાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું (J&K Cloud Burst)
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં લખ્યું કે ચિશોતી કિશ્તવાડમાં આભ ફાટતાં વ્યથિત છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સિવિલ, સેના, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓને બચાવ તથા રાહત અભિયાનને ઝડપી કરવા અને દરેક અસરગ્રસ્તોને સંભવ સહાય કરવા નિર્દેશ આપું છું.
Cloudburst hits Chositi, #Kishtwar. Administration swings into action; rescue team heads to site. Union Minister @DrJitendraSingh speaks to DC Pankaj Kumar Sharma & LoP @Sunil_SharmaBJP , says damage assessment, rescue & medical aid underway; all help to be provided.@dckishtwar pic.twitter.com/v7ajZyzWyG
— Akashvani News Jammu (@radionews_jammu) August 14, 2025
આ પણ વાંચો -SC : જમ્મુ-કાશ્મીરને રાજ્યના દરજ્જા અંગે સુપ્રીમે શું કહ્યું?
પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું
જે વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું ત્યાં પાર્કિંગની જગ્યા હતી. માચૈલ જનારાઓ માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. માતાના દર્શન કરવા માટે કાર દ્વારા જતા લોકો માટે આ છેલ્લો સ્ટોપ છે. અહીંથી ગાડીઓ આગળ જતી નથી. ગાડી અહીં પાર્ક કરવી પડે છે અને બાકીની મુસાફરી પગપાળા કરવી પડે છે. આ કારણોસર, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વાદળ ફાટવાના સમયે ત્યાં ઘણી ભીડ હતી.ઘણા ગામોમાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. વહીવટી ટીમો ગામડે ગામડે જઈને લોકોને નદીઓ અને નાળાઓથી અંતર રાખવા અપીલ કરી છે.
STORY | Massive cloudburst in J-K's Kishtwar, casualties feared
READ: https://t.co/qfhMbeeq7V
VIDEO: #Kishtwar #JammuAndKashmir
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/TFBxbzpa9h
— Press Trust of India (@PTI_News) August 14, 2025
યાત્રા માર્ગ
- જમ્મુથી, યાત્રાળુઓ રોડ માર્ગે કિશ્તવાડ જાય છે, જે લગભગ 306 કિમી દૂર છે.
- કિશ્તવાડથી, યાત્રાળુઓ રોડ માર્ગે ગુલાબગઢ જાય છે.
- ગુલાબગઢથી, યાત્રાળુઓ 30 કિમી ટ્રેકિંગ કરીને માચૈલ માતા મંદિર પહોંચે છે.
આ પણ વાંચો -Stray Dogs Case માં ધારદાર દલીલો થઈ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
લેફ્ટનન્ટ ગવર્નરે શોક વ્યક્ત કર્યો
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું- કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટવાની ઘટનાથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. સિવિલ, પોલીસ, સેના, NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના અધિકારીઓને બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા અને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા સૂચના આપી.


