Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ભારત હુમલો કરશે કે સિંધુ નદીનું પાણી રોકશે તો અમે પરમાણુ હથિયારોથી જવાબ આપીશું', પાકિસ્તાનની ફરી એક ધમકી

ખાલિદ જમાલીએ દાવો કર્યો હતો કે કેટલાક લીક થયેલા દસ્તાવેજોમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલો કરવાની યોજના છે.
 ભારત હુમલો કરશે કે સિંધુ નદીનું પાણી રોકશે તો અમે પરમાણુ હથિયારોથી જવાબ આપીશું   પાકિસ્તાનની ફરી એક ધમકી
Advertisement
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સતત વણસી રહી છે
  • પાકિસ્તાને ફરી એક વખત પરમાણુ હુમલાની ધમકી આપી
  • ભારત હુમલો કરશે તો પાક. પરમાણુ હથિયારથી જવાબ આપશે

Nuclear Threat: પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે અમારી પાસે ભારતની લશ્કરી કાર્યવાહીની યોજનાઓ વિશે મજબૂત સંકેતો છે. ખાલિદ જમાલીએ દાવો કર્યો હતો કે કેટલાક લીક થયેલા દસ્તાવેજોમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલો કરવાની યોજના છે. આનાથી અમને લાગે છે કે હુમલો નજીક છે અને કોઈપણ સમયે થઈ શકે છે.

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સતત વણસી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એક વખત પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ચેતવણી આપી કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે કે સિંધુ નદીના પાણીને રોકશે તો પાકિસ્તાન માત્ર પરંપરાગત જ નહીં પરંતુ પરમાણુ હથિયારોથી પણ જવાબ આપશે.

Advertisement

પાકિસ્તાન કોઈપણ હુમલાનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે

જમીલે કહ્યું કે પાકિસ્તાન કોઈપણ હુમલાનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે, જેમાં પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના હથિયારોનો સમાવેશ થાય છે. સિંધુ જળ સંધિ અટકાવવાના ભારતના નિર્ણય અંગે જમાલીએ કહ્યું કે જો ભારત નીચે તરફના પાણીને રોકે છે અથવા વાળે છે, તો તે પાકિસ્તાન સામે યુદ્ધ માનવામાં આવશે. અને તેનો જવાબ સંપૂર્ણ તાકાતથી આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, KV સુબ્રમણ્યને IMFમાંથી પાછા બોલાવ્યા; કાર્યકાળના 6 મહિના પહેલા સેવા ખતમ કરી

તણાવ ઓછો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે

જમાલીએ એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ છે, તેથી તણાવ ઓછો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કાશ્મીર હુમલાની તટસ્થ અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય તપાસની માંગનો પુનરોચ્ચાર કર્યો અને તેમાં ચીન અને રશિયાની ભાગીદારીની આશા વ્યક્ત કરી.

ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં

જમીલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી અને લશ્કરી તણાવ વધી ગયો છે. તે જ સમયે, ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. PM મોદીએ ત્રણેય દળોને આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે છૂટ આપી છે. એટલું જ નહીં, PM મોદીએ આતંકવાદીઓના સમર્થકોને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો : India-Pakistan Border: ભારત-પાકિસ્તાન સરહદ પર પકડાયો Pak રેન્જર , BSFએ તેને કસ્ટડીમાં લીધો

Tags :
Advertisement

.

×