Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Monsoon Session: 'જેલમાં જશો, તો ખુરશી પણ જશે...,' લોકસભામાં અમિત શાહે રજૂ કર્યું બિલ

કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા (Monsoon Session) કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ કર્યો હોબાળો હની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી Monsoon Session : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બુધવારે લોકસભામાં (Monsoon Session)ત્રણ બિલ રજૂ કર્યા હતા, જેનો કોંગ્રેસ...
monsoon session   જેલમાં જશો  તો ખુરશી પણ જશે      લોકસભામાં અમિત શાહે રજૂ કર્યું બિલ
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા (Monsoon Session)
  • કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ કર્યો હોબાળો
  • હની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી

Monsoon Session : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બુધવારે લોકસભામાં (Monsoon Session)ત્રણ બિલ રજૂ કર્યા હતા, જેનો કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ ત્રણ બિલમાં બંધારણ (130મો સુધારો) બિલ, 2025, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) બિલ, 2025,જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ છે.

ત્રણેય બિલમાં કડક જોગવાઈ કરાઇ (Monsoon Session)

સરકારના ત્રણેય બિલમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. બિલમાં એવું પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, જો કોઈ મુખ્યમંત્રી, વડા પ્રધાન કે મંત્રી સામે ગંભીર આરોપો હોય અને તેમની ધરપકડ કરવામાં આવે, તો 30 દિવસ જેલમાં રહ્યા પછી, તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે અથવા તેમને બરતરફ કરવામાં આવશે.

Advertisement

Advertisement

વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો (Monsoon Session )

અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કર્યા બાદ, વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો, જેના પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, આરોપી મુખ્યમંત્રી-પીએમ અને મંત્રીઓને દૂર કરવાના બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને વિચારણા માટે મોકલવામાં આવશે..

આ પણ  વાંચો -શ્વાનના ચાટવાથી બાળકનું મોત! લાળ દ્વારા શરીરમાં ખતરનાક વાયરસ પ્રવેશ્યો, ડોક્ટરે આપી આ ચેતવણી

ન્યાયાધીશ અને જલ્લાદ બનવાની ખુલી છૂટ આપે

બિલનો વિરોધ કરતા, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "હું જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) બિલ 2025 અને બંધારણ (130મો સુધારો) બિલ 2025 રજૂ કરવાનો વિરોધ કરું છું. તે સરકાર પસંદ કરવાના અધિકારને નબળો પાડે છે. તે કારોબારી એજન્સીઓને નજીવા આરોપો અને શંકાઓના આધારે ન્યાયાધીશ અને જલ્લાદ બનવાની ખુલી છૂટ આપે છે. આ ચૂંટાયેલી સરકાર માટે મૃત્યુદંડ સમાન હશે. આ દેશને પોલીસ રાજ્યમાં ફેરવવા માટે ભારતના બંધારણમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

આ પણ  વાંચો -સીપી રાધાકૃષ્ણે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM Modi પ્રથમ પ્રસ્તાવક બન્યા

વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી કે, 'મોદી સરકાર જનતાના આક્રોશ અને રાજકીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની પ્રતિબદ્ધતા હેઠળ બંધારણીય સંશોધન કરી રહી છે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં રહીને વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી તરીકે શાસન ચલાવી શકશે નહીં.'તેમણે ભારપૂર્વક કહ્યું કે, બંધારણના નિર્માણ સમયે બંધારણ નિર્માતાઓએ એવી કલ્પના પણ કરી ન હતી કે એવા રાજકીય વ્યક્તિઓ આવશે જેઓ ધરપકડ પછી નૈતિક મૂલ્યોના ધોરણે પણ પદ નહીં છોડે. તાજેતરના વર્ષોમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે મુખ્યમંત્રી કે મંત્રી જેલમાંથી અનૈતિક રીતે સરકાર ચલાવતા રહ્યા. વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આરોપી નેતાએ ધરપકડના 30 દિવસની અંદર કોર્ટમાંથી જામીન મેળવવા પડશે. જો આમ ન થાય તો 31મા દિવસે કેન્દ્રમાં વડાપ્રધાન અથવા રાજ્યોમાં મુખ્યમંત્રીએ તેમને પદ પરથી હટાવવા પડશે, નહીં તો તેઓ કાયદેસર રીતે કાર્ય કરવા માટે સ્વાભાવિક પણે અયોગ્ય થઈ જશે. જામીન મળ્યા બાદ તેઓ ફરીથી પોતાના પદ પર આવી શકશે.'

કાયદાની જોગવાઈઓ

130મા બંધારણીય સુધારામાં કલમ 75(5A) ઉમેરવાની પ્રસ્તાવના છે. તેમાં કહેવામાં આવે છે કે, 30 દિવસ સુધી ધરપકડમાં રહેતા કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રપતિની સલાહ પર પદ છોડવું પડશે. જો કોઈ મંત્રી 31મા દિવસે પણ રાજીનામુ ન આપે, તો આ મંત્રી આપમેળે પદ પરથી દૂર થઈ જશે. વડા પ્રધાન માટે વિશેષ જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે, જો પીએમ 30 દિવસ ધરપકડમાં રહે છે, તો 31મા દિવસે તેણે રાજીનામું આપવું ફરજિયાત છે. જો તે રાજીનામું નહીં આપે તો તે દિવસે પછી તે આપમેળે પદ પરથી દૂર થઈ જશે. આ સાથે, રાજ્યના મુખ્ય મંત્રી માટે અનુચ્છેદ 164(4A) અને દિલ્હી માટે 239AA(5A) ઉમેરવાનું સૂચવાયું છે, જેમાં રાજ્યના રાજ્યપાલ કે રાષ્ટ્રપતિનો અધિકાર લાગશે. જણાવી દઈએ કે, સંવિધાન અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમમાં હાલમાં એવી કોઈ જોગવાઈ નથી કે, જેમાં માત્ર ધરપકડને આધારે વડા પ્રધાન કે મુખ્ય મંત્રીને પદ પરથી દૂર કરી શકાય. અત્યારે માત્ર દોષીત ઠરાવા પર જ સભ્યપદ ખતમ થાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ 1975ની કટોકટી યાદ આપવી

કેન્દ્રીય ગૃહમંત્રીએ યાદ અપાવ્યું કે, '1975ની કટોકટી પછી તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 39મા બંધારણીય સુધારા દ્વારા વડાપ્રધાનને એવો વિશેષાધિકાર આપ્યો હતો કે તેમની વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી શક્ય નહોતી. કોંગ્રેસની કાર્ય સંસ્કૃતિ એ રહી છે કે વડાપ્રધાનને કાયદાથી ઉપર રાખવામાં આવે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની નીતિ એ છે કે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ કાયદાના દાયરામાં આવે.'

સરકારનો દાવો

બિલના નિવેદન અનુસાર, ચૂંટાયેલાં પ્રતિનિધિઓ લોકોની આશા અને અપેક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પાત્રતામાં કોઈ શંકા ન હોવી જોઈએ. સરકારનું કહેવું છે કે, એક મંત્રી જયારે ગંભીર ગુનામાં આરોપસર પકડાય અને જેલમાં રહે છે, ત્યારે તે સાર્વજનિક વિશ્વાસ અને સારા શાસન પ્રત્યે અડચણરૂપ બની શકે છે. જો, નેતાને, જ્યારે ગંભીર ગુનામાં સતત 30 દિવસની કસ્ટડીમાં રાખવામાં આવે છે, ત્યારે તેઓ પદ પર રહી ન શકે. બિલમાં એવી જોગવાઈ પણ છે કે, ધરપકડમાંથી છૂટ્યા પછી તેઓ ફરીથી પોતાનું પદ મેળવી શકે છે.

Tags :
Advertisement

.

×