સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી સફળતા, DRDOએ કર્યુ સ્ટ્રેટોસ્ફેરિક એરશીપનું સફળ પરીક્ષણ
- સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી સફળતા
- સ્ટ્રેટોસ્ફેરિક એરશીપનું સફળ પરીક્ષણ
- ભારતની ISR ક્ષમતાઓમાં વધારો
Successful testing of DRDO: સંરક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે વધુ એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 3 મેના રોજ મધ્યપ્રદેશના શિયોપુર ટેસ્ટ સાઇટ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું. આ પ્લેટફોર્મ આગ્રા સ્થિત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે નિવેદન આપ્યુ
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે DRDO એ શ્યોપુર પરીક્ષણ સ્થળથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. આ એરશીપ ખાસ પેલોડ સાથે લગભગ 17 કિલોમીટરની ઉંચાઈએ પહોંચ્યું હતું અને તેની ઉડાનનો સમયગાળો લગભગ 62 મિનિટનો હતો. આ સમયગાળા દરમિયાન મેળવેલા ડેટાનો ઉપયોગ ભવિષ્યના ઉચ્ચ હવાઈ જહાજ મિશન માટે ઉચ્ચ ગુણવત્તાના સિમ્યુલેશન મોડલ્સ વિકસાવવા માટે કરવામાં આવશે.
આ પણ વાંચો : સેનાને દારૂગોળો પૂરો પાડતી ઓર્ડનન્સ ફેક્ટરી ફેક્ટરીના કર્મચારીઓની રજાઓ કરાઈ રદ, તાત્કાલિક કામ પર પાછા ફરવાનો આદેશ
DRDO એ 'X' પર લખ્યું
DRDO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે આ 'હવા કરતાં હળવી' સિસ્ટમ ભારતની પૃથ્વી નિરીક્ષણ, ગુપ્તચર માહિતી, દેખરેખ અને જાસૂસી (ISR) ક્ષમતાઓને વધારશે, જેનાથી ભારત આ સ્વદેશી ટેકનોલોજી ધરાવતા દેશોમાંનો એક બનશે. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO ને અભિનંદન આપતા કહ્યું કે આ સિસ્ટમ ભારતની ISR ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે અને તે દેશને સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકી સ્વ-નિર્ભરતા તરફ આગળ લઈ જશે.
DRDO successfully conducts maiden flight trial of Stratospheric Airship with instrumental payload to an altitude of around 17 kms. This lighter than air system will enhance India’s earth observation and Intelligence, Surveillance & Reconnaissance capabilities, making the country… pic.twitter.com/HXeSl59DyH
— DRDO (@DRDO_India) May 3, 2025
ડૉ. સમીર વી. કામત, ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સચિવ અને DRDOના અધ્યક્ષે પણ સિસ્ટમની ડિઝાઇન, વિકાસ અને પરીક્ષણ પાછળની ટીમની પ્રશંસા કરી. તેમણે પ્રોટોટાઇપ ઉડાનને હવા કરતાં હળવી, ઊંચાઈવાળા પ્લેટફોર્મના વિકાસમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું જે લાંબા સમય સુધી ઊર્ધ્વમંડળમાં રહી શકે. આ એરશીપ ભારતને સર્વેલન્સ, કોમ્યુનિકેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં ભવિષ્યમાં વ્યૂહાત્મક રીતે આગળ વધારી શકે છે.
આ પણ વાંચો : Pakistan એ સતત 10મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, સેનાએ આપ્યો વળતો જવાબ


