jammu-kashmir : દક્ષિણ કાશ્મીરમાં પોલીસે સ્લીપર સેલનો પર્દાફાશ કર્યો
- દક્ષિણ કાશ્મીરમાં પોલીસે માટી સફળતા
- કાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા
- સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ કર્યો
jammu kashmir : જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે ઝુંબેશ વધુ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન, રાજ્ય તપાસ એજન્સી પોલીસને એક મોટી સફળતા મળી છે.પોલીસે દક્ષિણ કાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડીને સ્લીપર સેલ (sleeper cell)મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન મોટી માત્રામાં વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. કેટલાક શંકાસ્પદોની (module busted,)અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મેસેજિંગ એપ્સમાંથી મોકલાતી ગુપ્ત માહિતી
રાજ્ય તપાસ એજન્સી (SIA) એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સહયોગીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) પર નજર રાખી રહી હતી. ટેકનિકલ ગુપ્ત માહિતીમાંથી જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં ઘણા સ્લીપર સેલ પાકિસ્તાનમાં બેઠેલા તેમના માસ્ટર સાથે સીધા સંપર્કમાં હતા. વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ વગેરે મેસેજિંગ એપ્સ દ્વારા સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થાપનો વિશે સંવેદનશીલ અને વ્યૂહાત્મક માહિતી પહોંચાડવામાં સામેલ હતા. આ આતંકવાદીના સહયોગીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કમાન્ડરોના ઇશારે ઓનલાઈન પ્રચારમાં સામેલ હતા, જે રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા માટે જોખમી હતા.
આ પણ વાંચો -Opratione Sindoor : ભારતીય સેનાએ LoC પર પાકના 40 જવાનોને ઠાર કર્યા
20 સ્થળોએ દરોડા વાંધાજનક સામગ્રી જપ્ત
SIA એ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના દરેક જિલ્લાઓમાં લગભગ 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મોટી માત્રામાં વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.અને શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પહેલા તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ સંસ્થાઓ આતંકવાદી કાવતરામાં સક્રિય રીતે સામેલ છે. અને ભારત વિરોધી પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે જેનો ઉદ્દેશ્ય માત્ર ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવાનો જ નહીં પરંતુ અસંતોષ જાહેર અવ્યવસ્થા અને સાંપ્રદાયિક દ્વેષને ઉશ્કેરવાનો પણ છે.
આ પણ વાંચો -Opratione Sindoor : ભારતીય સેનાએ LoC પર પાકના 40 જવાનોને ઠાર કર્યા
ભારતે પહલગામ હુમલાનો બદલો લીધો
22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓના આ કૃત્યથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. બધા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. આ પછી, ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું અને ઓપરેશન સિંદિર હેઠળ, પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.


