Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu-Kashmir : ઘૂસણખોરી કરતા 2 આતંકી ઠાર, કુપવાડામાં LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરની LoC પર ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના માછિલ અને ડુડનિયાલ સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા આ સંયુક્ત ઓપરેશનથી એક મોટી આતંકવાદી યોજના નિષ્ફળ બનાવી દેવામાં આવી છે, જ્યારે વિસ્તારમાં હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
jammu kashmir   ઘૂસણખોરી કરતા 2 આતંકી ઠાર  કુપવાડામાં loc પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
Advertisement
  • Jammu-Kashmir માં ઘૂસણખોરી કરતા 2 આતંકી ઠાર
  • કુપવાડામાં LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
  • માછિલ અને ડુડનિયાલમાં સુરક્ષાદળોની કાર્યવાહી
  • શંકાસ્પદ હિલચાલ બાદ હાથ ધરાયું હતું ઓપરેશન
  • સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન

જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) માં સરહદ પારથી થતી આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં સુરક્ષાદળોને વધુ એક મોટી સફળતા મળી છે. ખાસ કરીને નિયંત્રણ રેખા (Line of Control - LoC) પર સતત ચાંપતી નજર રાખતા ભારતીય સેના (Indian Army) અને જમ્મુ અને કાશ્મીર પોલીસે (J&K Police) કુપવાડા જિલ્લાના માછિલ (Machil) અને ડુડનિયાલ (Dudniyal) સેક્ટરમાં ઘૂસણખોરીના એક ગંભીર પ્રયાસને ધૂળ ચટાડી દીધી છે.

શંકાસ્પદ હિલચાલ પર ત્વરિત કાર્યવાહી

પ્રાપ્ત માહિતી અનુસાર, Jammu-Kashmir માં સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે આપણા સૈનિકો દેશની સરહદોની સુરક્ષા માટે કેટલા સજાગ અને તત્પર છે. સુરક્ષા એજન્સીઓને ગુપ્તચર માધ્યમોથી ચોક્કસ માહિતી મળી હતી કે કેટલાક સશસ્ત્ર આતંકવાદીઓ સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાનો હતો. આ માહિતીના આધારે, તરત જ સેના, BSF (Boarder Security Force) અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ માછિલ અને ડુડનિયાલ સેક્ટરના સંવેદનશીલ વિસ્તારોમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યું.

Advertisement

Advertisement

એન્કાઉન્ટરમાં 2 આતંકીઓના મોત

શંકાસ્પદ હિલચાલ દેખાતા જ સુરક્ષાદળોએ સાવધાનીપૂર્વક આતંકવાદીઓને પડકાર ફેંક્યો. આતંકવાદીઓ તરફથી ગોળીબાર શરૂ થતાં જ સુરક્ષાદળોએ પણ વળતો પ્રહાર કર્યો. લાંબી ચાલેલી અથડામણમાં સુરક્ષાદળોની સજ્જતા સામે આતંકવાદીઓ ટકી શક્યા નહીં. IGP કાશ્મીર દ્વારા પણ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 2 આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ સફળ ઓપરેશન દ્વારા એક મોટી આતંકવાદી યોજનાને શરૂઆતમાં જ ખતમ કરી દેવામાં આવી છે.

સર્ચ ઓપરેશન ચાલુ

એન્કાઉન્ટર પૂર્ણ થયા પછી પણ સુરક્ષાદળો કોઈ જોખમ લેવા તૈયાર નથી. સમગ્ર વિસ્તારમાં અન્ય કોઈ આતંકવાદી છુપાયેલો નથી તેની ખાતરી કરવા માટે મોટું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોએ તકેદારીના ભાગરૂપે ઘટનાસ્થળની આસપાસના સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશનને વધુ અસરકારક બનાવવા માટે ડ્રોન (Drones) અને સ્નિફર ડોગ્સ (Sniffer Dogs) ની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને જંગલ વિસ્તાર અને પહાડી ભૂપ્રદેશમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે છુપાયેલા હથિયારો છૂટી ન જાય તે માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :   Jammu-Kashmir : હજૂ 2 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે કુદરતી કહેરનો ભય

Tags :
Advertisement

.

×