Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના આગામી CJI, વર્તમાન CJI ગવઇએ કરી ભલામણ

વર્તમાન CJI જસ્ટિસ બીઆર ગવઇ 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી છે, જેઓ સુપ્રીમ કોર્ટમાં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. હરિયાણાના હિસ્સારથી આવતા જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બર, 2025ના રોજ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તેઓ અગાઉ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના CJ રહી ચૂક્યા છે.
જસ્ટિસ સૂર્યકાંત બનશે ભારતના આગામી cji  વર્તમાન cji ગવઇએ કરી ભલામણ
Advertisement
  • જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના આગામી CJI (Justice Surya Kant CJI )
  • CJI ગવઈએ કાયદા મંત્રાલયને કરી ભલામણ
  • આગામી CJI તરીકે નિમણૂકની ભલામણ કરી
  • હાલ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ છે સૂર્યકાંત
  • 23 નવેમ્બરે CJI બીઆર ગવઈ થશે નિવૃત્ત

Justice Surya Kant CJI : 24 નવેમ્બર 2025ના રોજ જસ્ટિસ સૂર્યકાંત લેશે શપથ. તેઓ હરિયાણાના એડવોકેટ જનરલ અને હિમાચલ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. દેશના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઇ (CJI BR Gavai) 23 નવેમ્બરના રોજ તેમના પદ પરથી નિવૃત્ત (CJI Retirement) થવા જઈ રહ્યા છે.  આ સંદર્ભે, કેન્દ્ર સરકારે (Central Government) દ્વારા હવે આગામી CJI (Next CJI)ની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ – Supreme Court Senior Judge

નિયમ અનુસાર, સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મુખ્ય ન્યાયાધીશ પછીના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને આ પદ મળે છે, જેની ભલામણ વર્તમાન CJI કરે છે. હવે CJI બીઆર ગવઇએ પણ જાહેરાત કરી દીધી છે કે તેમના પછી સુપ્રીમ કોર્ટમાં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત (Justice Surya Kant) ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. CJI બીઆર ગવઇ સોમવારે કેન્દ્ર સરકારને આગામી CJI તરીકે જસ્ટિસ સૂર્યકાંત (Justice Surya Kant Next CJI)ના નામની ભલામણ કરવાના છે.

Advertisement

આગામી CJI જસ્ટિસ સૂર્યકાંત – Next Chief Justice of India

ભૂટાનના પ્રવાસે ગયેલા CJI ગવઇએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને કેન્દ્ર સરકાર તરફથી આગામી CJI માટે ભલામણ માંગતો સંદેશ (CJI Recommendation) મળ્યો છે. તેમણે કહ્યું: "હું મારા ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરીશ."

Advertisement

જસ્ટિસ સૂર્યકાંતનો પશ્ચાદભૂ – Justice Surya Kant Background

હાલમાં જસ્ટિસ સૂર્યકાંત CJI ગવઇ પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ (Senior Most Judge) છે. તેમનો જન્મ હરિયાણાના હિસ્સારના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો અને તેમનું બાળપણ સંયુક્ત પરિવારમાં વીત્યું હતું. તેમના પિતા શિક્ષક હતા. તેમણે ગામની સરકારી અને હાઇસ્કૂલમાં ધોરણ 10 (મેટ્રિક) સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું.

કાયદાનું શિક્ષણ: તેમણે 1981માં સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, હિસ્સારથી સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ 1984માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતક (Maharshi Dayanand University)માંથી કાયદાની ડિગ્રી મેળવી.

અનુભવ: ન્યાયાધીશ તરીકે બઢતી મેળવતા પહેલાં, સૂર્યકાંત એક વરિષ્ઠ વકીલ હતા અને તેમણે હરિયાણાના એડવોકેટ જનરલ (Advocate General Haryana) તરીકે પણ સેવા આપી હતી.

અન્ય પદ: તેઓ રાંચીમાં રાષ્ટ્રીય કાયદા અભ્યાસ અને સંશોધન યુનિવર્સિટીના વિઝિટર તેમજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA)ના પૂર્વ-અધિકારી (પદેન) કાર્યકારી અધ્યક્ષ પણ છે.

અગાઉનો કાર્યકાળ: તેઓ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice Himachal Pradesh High Court) પણ રહી ચૂક્યા છે.

જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બર, 2025ના રોજ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : છત્તીસગઢ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો,'દીકરીઓને પિતાની મિલકતમાં હિસ્સો નહીં મળે...' જાણો કેમ!

Tags :
Advertisement

.

×