Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Telangana માં BRSમાંથી કે.કવિથા સસ્પેન્ડ, પિતાએ જ પાર્ટીમાંથી પાણિચું પકડાવ્યું

તેલંગાણાના રાજકારણને આવ્યા મોટા સમાચાર (Telangana Politics) BRS નાં સભ્ય કે.કવિતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પાર્ટી વિરોધી ટિપ્પણીઓને લઈ સસ્પેન્ડ કરાયા Telangana Politics : તેલંગાણાના રાજકારણ (Telangana Politics) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) વિધાન...
telangana માં brsમાંથી કે કવિથા સસ્પેન્ડ  પિતાએ જ પાર્ટીમાંથી પાણિચું પકડાવ્યું
Advertisement
  • તેલંગાણાના રાજકારણને આવ્યા મોટા સમાચાર (Telangana Politics)
  • BRS નાં સભ્ય કે.કવિતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા
  • પાર્ટી વિરોધી ટિપ્પણીઓને લઈ સસ્પેન્ડ કરાયા

Telangana Politics : તેલંગાણાના રાજકારણ (Telangana Politics) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) વિધાન પરિષદના સભ્ય (MLC) કે.કવિતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે BRS પાર્ટીના વડા કે.કવિતાના પિતા કે.ચંદ્રશેખર રાવ (KCR) છે. કે. કવિતાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય KCR દ્વારા લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ.કે.કવિતાને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પાર્ટીએ નોટિસ આપી?

BRS દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ BRS પાર્ટી માટે હાનિકારક છે. પાર્ટી નેતૃત્વ આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. પાર્ટી પ્રમુખ કે. ચંદ્રશેખર રાવે કે. કવિતાને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Gurugram Traffic Jam : ગુરુગ્રામમાં વરસાદ બાદ ભયંકર ટ્રાફિક જામ, 7 કિમી સુધી ગાડીઓ ફસાઈ

આ જ કારણ છે કે કવિતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

કવિતાની તાજેતરની ટિપ્પણીઓ અને પાર્ટીના મુખ્ય નેતાઓ સામેના આરોપોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ગઈકાલે, એક પત્રકાર પરિષદમાં કવિતાએ આરોપ લગાવ્યો હતો કે KCR ના ભત્રીજા હરીશ રાવ (ભૂતપૂર્વ આર્થિક મંત્રી) અને અન્ય ભત્રીજા સંતોષ કુમાર અને મેઘા કૃષ્ણ રાવ કાલેશ્વરમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા પાછળ છે. તેઓએ હેરાફેરી કરીને KCR નું નામ તેમાં ઘુસાડ્યું. પાર્ટી લાઇન પાર કરવા બદલ કવિતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -Supreme Court : TET પાસ કરો નહીંતર નોકરી છોડો ,શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

કાલેશ્વરમ પ્રોજેક્ટ પર વિવાદ શું છે?

તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે કાલેશ્વરમ બેરેજના બાંધકામ સંબંધિત નાણાકીય ગેરરીતિઓની તપાસ CBIને સોંપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે જસ્ટિસ પીસી ઘોષ કમિશનના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટમાં ઘણી ભૂલો અને અનિયમિતતાઓ હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ત્રણેય બેરેજ કોઈપણ યોગ્ય આયોજન વિના બનાવવામાં આવ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કાલેશ્વરમ પ્રોજેક્ટને કારણે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો બગાડ થયો.

Tags :
Advertisement

.

×