ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચૂંટણી પહેલા બિહારમાં સક્રિય થશે કન્હૈયા કુમાર, 16 માર્ચથી શરૂ કરશે 'નોકરી આપો, પલાયન રોકો' યાત્રા

કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર હવે બિહારમાં સક્રિય થશે. વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ 16 માર્ચે બિહારના પ્રવાસે જશે. તેમની યાત્રાનું નામ 'નોકરી આપો, પલાયન (સ્થળાંતર) રોકો' હશે.
05:50 PM Mar 10, 2025 IST | MIHIR PARMAR
કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર હવે બિહારમાં સક્રિય થશે. વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ 16 માર્ચે બિહારના પ્રવાસે જશે. તેમની યાત્રાનું નામ 'નોકરી આપો, પલાયન (સ્થળાંતર) રોકો' હશે.
KANHAIYA KUMAR YATRA BIHAR

Kanhaiya Kumar will be active in Bihar : કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર હવે બિહારમાં સક્રિય થશે. વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ 16 માર્ચે બિહારના પ્રવાસે જશે. તેમની યાત્રાનું નામ 'નોકરી આપો, પલાયન (સ્થળાંતર) રોકો' હશે. યાત્રાની શરૂઆત પહેલા એવી પણ જોરદાર ચર્ચા છે કે રાજ્યમાં કન્હૈયા કુમારના સક્રિય થવાને કારણે લાલુ પરિવાર અને ગાંધી પરિવાર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.

કન્હૈયા કુમાર બિહારમાં સક્રિય થશે

દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડનાર કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર હવે બિહારમાં સક્રિય થશે. વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ 16 માર્ચે બિહાર પ્રવાસ માટે રવાના થશે. તેમની યાત્રાનું નામ હશે ‘નોકરી આપો, પલાયન રોકો’. તેઓ ચંપારણના ભીતિહરવા ગાંધી આશ્રમથી તેની શરૂઆત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે યાત્રાની અંતિમ મંજૂરી માટે કન્હૈયા 12 માર્ચે દિલ્હીમાં રાહુલ ગાંધીને પણ મળી શકે છે.

આ પણ વાંચો :  Air India: ફ્લાઇટમાં બોમ્બ છે.....ન્યૂયોર્ક જતુ પ્લેન મુંબઇ પરત આવ્યું

તે જ દિવસે દિલ્હીમાં ચૂંટણીની તૈયારીઓ માટે રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બિહાર કોંગ્રેસના નેતાઓની બેઠક પણ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કન્હૈયા કુમાર રાજ્યમાં સક્રિય થવાને કારણે લાલુ પરિવાર અને ગાંધી પરિવાર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે તેજસ્વી યાદવ નથી ઇચ્છતા કે કન્હૈયા બિહારમાં સક્રિય રહે.

કન્હૈયા બિહારમાં સક્રિય થવા માંગે છે

બીજી તરફ કન્હૈયા કુમારના નજીકના લોકોનું માનવું છે કે તે બિહારમાં સક્રિય થવા માંગે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાનો સમય આ માટે એકદમ યોગ્ય છે. તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર બિહારનો રહેવાસી છે. તેનો જન્મ 1987માં બિહારના બેગુસરાય જિલ્લાના તેઘરા વિધાનસભા ક્ષેત્રમાં એક નાનકડા ગામમાં થયો હતો.

આ પણ વાંચો :  Madhya Pradesh : ભોપાલમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, એકા એક સ્ટેજ તુટી પડતા 7 નેતાઓ ઘાયલ

કન્હૈયાની રાજકીય સફરની શરૂઆત

કન્હૈયાએ પોતાનો શાળાકીય અભ્યાસ બરૌનીની આરકેસી હાઇસ્કૂલમાંથી પૂર્ણ કર્યો. શાળાના દિવસો દરમિયાન જ તેને અભિનયમાં રસ હતો. તેઓ 2002માં ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના સભ્ય પણ હતા, તેમણે પટનાની કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું હતું. તેમની રાજકીય સફર પણ અહીંથી જ શરૂ થઈ. તેઓ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનના સભ્ય બન્યા હતા.

2021માં કોંગ્રેસનો હાથ પકડ્યો

આ પછી તેઓ દિલ્હી ગયા અને જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાંથી PhD કર્યું. 2015માં અહીં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીત્યા અને પ્રમુખ બન્યા. વર્ષ 2019માં કન્હૈયા કુમારે બેગુસરાય લોકસભા સીટ પરથી CPIની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે, તેઓ ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહ સામે હારી ગયા હતા. આ પછી, તેઓ વર્ષ 2021 માં કોંગ્રેસમાં જોડાયા. કન્હૈયા પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો :  Liquid Diet : સ્લિમ બનવા માટે ઓનલાઈન ડાયેટ ફોલો કરતા 18 વર્ષની છોકરીનું થયું મૃત્યુ

Tags :
BiharElections2025BiharPoliticsBiharYatraCongressInBiharGiveJobsStopMigrationGujaratFirstJobsForYouthKanhaiyaInBiharKanhaiyaKumarKanhaiyaKumarYatraMihirParmarStopMigration
Next Article