Kedarnath Ropeway: 9 કલાની મુસાફરી હવે 36 મિનિટમાં પૂર્ણ થશે,રોપ-વે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી
- કેન્દ્ર સરકારની કેબિનેટનો મહત્વનો નિર્ણય
- કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી મળી
- પરિયોજના હેઠળ રોપ વે પ્રોજેક્ટને મંજૂરી
Kedarnath Ropeway: કેન્દ્ર સરકારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને (Kedarnath Ropeway Project )મંજૂરી આપી છે. કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી મળી છે.પર્વતમાળા પરિયોજના હેઠળ રોપ વે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી હતી. હેમકુંડ સાહિબ રોપવે 230 કરોડના ખર્ચે બનશે.
અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
દિલ્ન્ મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ - પર્વતમાલા પરિયોજના હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "આનો મોટો ફાયદો એ થશે કે હાલમાં 8-9 કલાક લેતી આ મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે... તેમાં 36 લોકોની ક્ષમતા હશે.
આ પણ વાંચો - Punjab: ચંદીગઢ બોર્ડર અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ, ખેડૂતોને 'નો એન્ટ્રી'નો માન સરકારનો ઓર્ડર
ગૌરીકુંડથી 16 કિમીની પડકારજનક ચઢાણ છે
કેદારનાથ મંદિર સુધીની યાત્રા ગૌરીકુંડથી 16 કિમીની પડકારજનક ચઢાણ છે અને હાલમાં તે પગપાળા અથવા ટટ્ટુ, પાલખી અને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવે છે. પ્રસ્તાવિત રોપવે મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓને સુવિધા પૂરી પાડવા અને સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો - UP મોકલી દો, બરાબર ઇલાજ કરી દઇશું...ઔરંગઝેબના ગુણગાન કરનારા પર ભડક્યા CM યોગી
કપરા ચઢાણથી મળશે મુક્તિ
કેબિનેટ બેઠકમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ જી સુધીના 12.4 કિલોમીટરના રોપવે પ્રોજેક્ટના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.2730 .13 કરોડ થશે. હાલમાં હેમકુંડ સાહિબજીની યાત્રા ગોવિંદઘાટથી 21 કિલોમીટરની પડકારજનક ચઢાણ છે. આ રોપવે પ્રોજેક્ટ ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબ જી વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.
લાખોની સંખ્યામાં આવે છે મુસાફરો
તે પ્રતિ કલાક પ્રતિ દિશા (PPHPD) 1100 મુસાફરોની ક્ષમતા ધરાવતું અને દરરોજ 11000 મુસાફરોને વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે. હેમકુંડ સાહિબ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં 15000 ફૂટની ઊંચાઈ પર સ્થિત એક તીર્થસ્થળ છે. આ પવિત્ર સ્થળ પર સ્થાપિત ગુરુદ્વારા મે થી સપ્ટેમ્બર દરમિયાન વર્ષમાં લગભગ 5 મહિના ખુલ્લું રહે છે અને દર વર્ષે લગભગ 1.5 થી 2 લાખ યાત્રાળુઓ અહીં આવે છે.