Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લેહ હિંસા : એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં લઈ જવાયા

જાણીતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ. જોધપુર જેલમાં કરાયા શિફ્ટ. શું છે હિંસાનું કારણ અને તેમની માંગણીઓ? જાણો સંપૂર્ણ વિગત.
લેહ હિંસા   એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની nsa હેઠળ ધરપકડ  જોધપુર જેલમાં લઈ જવાયા
Advertisement
  • લેહમાં હિંસાના મુદ્દે એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ (Sonam Wangchuk Arrest )
  • સોનમ વાંગચુકને લેહથી જોધપુરની જેલમાં મોકલી અપાયા
  • લેહમાં તાત્કાલિક અસરથી ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ

Sonam Wangchuk Arrest  : લેહમાં થયેલી વ્યાપક હિંસાના ત્રણ દિવસ બાદ, પોલીસે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરી છે. તેમની સામે હિંસા ભડકાવવાનો આરોપ છે. પોલીસે તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયત કરીને રાજસ્થાનની જોધપુર જેલમાં મોકલી આપ્યા છે. તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેહમાં ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

લેહ એરપોર્ટ પર તમામ કાયદેસરની કાર્યવાહી બાદ સોનમ વાંગચુકને વિશેષ વિમાન દ્વારા જોધપુર લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને કડક સુરક્ષા કાફલા સાથે જેલના હાઇ-સિક્યોરિટી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ 24 કલાક સીસીટીવીની નિગરાની હેઠળ રહેશે.

Advertisement

હિંસા અને અનશનની પૃષ્ઠભૂમિ (Sonam Wangchuk Arrest )

લેહ પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે (24 સપ્ટેમ્બર, 2025) દેખાવકારોને હિંસા કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં વાંગચુક વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

10 સપ્ટેમ્બરના રોજ પોતાનું અનશન શરૂ કર્યું (Sonam Wangchuk Arrest )

સોનમ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ પોતાનું અનશન શરૂ કર્યું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં લદ્દાખ વિસ્તારને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવો, રાજ્યનો દરજ્જો આપવો અને આ વિસ્તારના સંવેદનશીલ પર્યાવરણની સુરક્ષા સામેલ હતી. જોકે, લેહ શહેરમાં મોટા પાયે હિંસા ફાટી નીકળ્યા બાદ તેમણે બુધવારે (24 સપ્ટેમ્બર) પોતાનું અનશન તોડી નાખ્યું હતું.

હિંસક અથડામણ અને જાનહાનિ

24 સપ્ટેમ્બરના રોજ સ્થિતિ બેકાબૂ બની હતી. અનિયંત્રિત ટોળાએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો, સીઆરપીએફના વાહનને આગ લગાવી હતી, તેમજ ભાજપ કાર્યાલય અને લેહની સર્વોચ્ચ સંસ્થાની ઓફિસમાં પણ આગચંપી કરી હતી. પ્રદર્શનકારીઓએ લદ્દાખના ડીજીપીના વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો, જેમાં ચાર પ્રદર્શનકારીઓનાં મોત થયાં અને લગભગ 70 લોકો ઘાયલ થયા.

કર્ફ્યુ અને અન્ય કાર્યવાહીઓ

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે તરત જ લેહ શહેરમાં કર્ફ્યુ લાદી દીધો હતો. ગુરુવારે (25 સપ્ટેમ્બર) સાંજે કારગિલ શહેરમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

FCRA નોંધણી પ્રમાણપત્ર રદ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સંસ્થા 'સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)'નું FCRA નોંધણી પ્રમાણપત્ર રદ કરી દીધું છે. મંત્રાલયે FCRA અધિનિયમનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કર્યો છે.બીજી તરફ, 2018માં રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર વાંગચુકે પોતાના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે તેમની બિન-લાભકારી સંસ્થાએ વિદેશી દાન લીધું નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર, સ્વિસ અને ઇટાલિયન સંગઠનો સાથે માત્ર વ્યાવસાયિક લેવડ-દેવડ કરી છે અને તમામ કર ચૂકવ્યા છે.

આટલી મોટી હિંસા કેવી રીતે થઈ?

સરકારનું માનવું છે કે લદ્દાખના શાંતિપૂર્ણ સરહદી વિસ્તારમાં આટલા મોટા પાયે હિંસા આપમેળે થઈ નથી, પરંતુ બહારની તાકતોએ પ્રદેશમાં અશાંતિ ફેલાવવા માટે લોકોને ઉશ્કેર્યા છે. પોલીસે આ હિંસામાં સામેલ કેટલાક નેપાળી નાગરિકો અને જમ્મુ વિસ્તારના ડોડા શહેરના લોકો સામે પણ એફઆઈઆર નોંધી છે. ઉલ્લેખનીય છે કે, 2019માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો ત્યારે વાંગચુક આ નિર્ણયને આવકારનારાઓમાં મોખરે હતા, પરંતુ બાદમાં તેઓ જ તેમની મુખ્ય માંગણીઓ માટે વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :  સુપ્રીમ કોર્ટે સલમાન રશ્દીની પુસ્તક 'The Satanic Verses' પર પ્રતિબંધની અરજી ફગાવી

Tags :
Advertisement

.

×