Manipur ફરી સળગ્યું, બિહારના બે મજૂરોની ગોળી મારીને હત્યા
- Manipur માં ફરી હિંસા ભડકી
- બિહારના બે મજૂરોની ગોળી મારીને હત્યા
- કામ પરથી પરત ઘરે ફરી રહ્યા હતા મજૂરો
મણિપુર (Manipur)માંથી ફરી એકવાર હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. રાજ્યમાં બદમાશોએ બિહારના બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યાની આ ઘટના કાકચિંગ જિલ્લામાંથી જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બંને પરપ્રાંતિય મજૂરો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. જીવ લેનાર હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મણિપુર (Manipur) પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે સાંજે લગભગ 5.20 વાગ્યે બની હતી.
બિહારના બે મજૂરોની હત્યા...
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને મજૂરો કાકચિંગ જિલ્લાના કેરકમાં બાંધકામનું કામ કરીને પરત ફરી રહ્યા હતા. આ અંગે કાકચિંગ પોલીસે જણાવ્યું કે, આ ઘટના પંચાયત ઓફિસની નજીક બની હતી અને બંને મૃતકોની ઓળખ મોહન સાનીના પુત્ર સુનાલાલ કુમાર (18) અને દશરથ કુમાર (17) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને મજૂરો બિહારના ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે, જે યાદવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.
આ પણ વાંચો : Delhi-NCR માં ઠંડીના ઝપેટમાં, જાણો ક્યાં છે કોલ્ડવેવનું એલર્ટ...
હત્યા પાછળનો હેતુ જાણી શકાયો નથી...
પોલીસના જણાવ્યા અનુસાર, બંને મજૂરો સાયકલ પર તેમના ભાડાના મકાનમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક બંદૂકધારીઓએ બંનેને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં બંને પડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને સ્થાનિક જીવન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ડૉક્ટરોએ બંને મજૂરોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો : અંબાણી-અદાણી ક્યાં કરે છે રોકાણ? તમે પણ રોકાણ કરીને બની શકો છો કરોડપતિ
Manipur હિંસાની આગમાં સળગી રહ્યું છે...
તમને જણાવી દઈએ કે, મણિપુર (Manipur)માં ગયા વર્ષે 3 મેથી હિંસક ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓ ત્યારે શરૂ થઈ જ્યારે કુકી સમુદાય દ્વારા 'આદિવાસી એકતા માર્ચ' કાઢવામાં આવી રહી હતી. મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને લઈને માર્ચ કાઢવામાં આવી રહી હતી અને તે દરમિયાન કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે હિંસા અને તણાવ શરૂ થયો હતો જે હજુ પણ રાજ્યમાં ચાલુ છે.
આ પણ વાંચો : પત્નીના ત્રાસથી કંટાળી હવે પોલીસ અધિકારીએ કરી આત્મહત્યા, લગાવ્યા ગંભીર આક્ષેપ


