Mann Ki Baat : 'જ્ઞાન ભારતમ મિશન' અંતર્ગત પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે - PM Modi
- આજે Mann Ki Baat નો 124 મો એપિસોડ પ્રસારિત થયો
- PM Narendra Modi એ ભારતની અવકાશ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ વર્ણવી
- આવનારા મહિને સ્વાતંત્ર દિવસ સંદર્ભે વડાપ્રધાને Khudiram Bose ને પણ યાદ કર્યા
- મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને UNESCO એ માન્યતા આપી - વડાપ્રધાન મોદી
- આ કિલ્લાઓ આપણા આત્મસન્માનને પ્રતિબિંબિત કરે છે - વડપ્રધાન મોદી
- Gyan Bharatam Mission માં પ્રાચીન ભારતીય હસ્તપ્રતોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે - વડાપ્રધાન મોદી
- અત્યારે દેશમાં અવકાશક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે - વડાપ્રધાન મોદી
Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રવિવારે તેમના અતિ પ્રચલિત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) ના 124મા એપિસોડમાં સૂચક સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાને પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન, અવકાશ ક્ષેત્રે ભારતે મેળવેલ સિદ્ધિ, મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને યુનેસ્કોએ આપેલ માન્યતા જેવા વિષયોને પોતાના સંબોધનમાં આવરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની આ પહેલ મન કી બાતને 22 ભારતીય અને 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવે છે.
અવકાશ ક્ષેત્રે ભારતની હરણફાળ
આજે રવિવારે વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'ના 124મા એપિસોડમાં ભારત દેશે કરેલ પ્રગતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સફળતાઓ અને સિદ્ધિઓ વિશે વાત કરીશું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઘણી બધી બાબતો બની છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Shubhaanshu Shukla) અવકાશથી પાછા ફર્યા. જ્યારે ચંદ્રયાન 3 સફળ થયું ત્યારે દેશમાં ઉત્સાહ હતો. લોકોને તેમના પર ગર્વ છે. અત્યારે દેશમાં અવકાશક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે.
124th Episode of Mann Ki Baat: PM Narendra Modi (@narendramodi) says, "We will talk about successes, achievement, in last few weeks, many things have happened in science, culture. Astronaut Shubhanshu Shukla came back from space. When Chandrayaan 3 was success, there was… pic.twitter.com/KCCfB4HcDo
— Press Trust of India (@PTI_News) July 27, 2025
ખુદીરામ બોઝને યાદ કર્યા
વડાપ્રધાન મોદીએ આવતા મહિને 15 મી ઓગષ્ટે આવનારા સ્વાતંત્ર્ય પર્વને પણ પોતાના સંબોધનમાં આવરી લીધું હતું. તેમણે કહ્યું કે, 1908 માં બિહારના મુઝફ્ફરપુરમાં એક યુવાનને ફાંસી આપવાનો હતો. તે ડરતો ન હતો તેના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તે ખુદીરામ બોઝ (Khudiram Bose) હતા. જેમણે 18 વર્ષની ઉંમરે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આવા અનેક બલિદાન પછી આપણને આઝાદી મળી. ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે. 15 મી ઓગસ્ટના રોજ આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ.
124th Episode of Mann Ki Baat: PM Narendra Modi (@narendramodi) says, "In 1908 in Muzaffarpur, a youth was to be hanged. He was not in fear, his face was full of confidence, he was Khudiram Bose, at the age of 18, he had shaken the country. After many such sacrifices, we had got… pic.twitter.com/GD88WsoH6h
— Press Trust of India (@PTI_News) July 27, 2025
આ પણ વાંચોઃ Tamilnadu : વડાપ્રધાન મોદીએ મહત્વના દક્ષિણી રાજ્યને 4900 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
મહારાષ્ટ્રના 12 કિલ્લાઓ
124 મી મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને મહારાષ્ટ્રના 12 કિલ્લાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુનેસ્કો (UNESCO) એ મહારાષ્ટ્રના 12 કિલ્લાઓને માન્યતા આપી છે. આ કિલ્લાઓ ઈતિહાસના સાક્ષી છે. હું થોડા સમય પહેલા રાયગઢ ગયો હતો તે અનુભવ કાયમ મારી સાથે રહેશે. આ કિલ્લાઓ આપણા આત્મસન્માનને પ્રતિબિંબિત કરે છે. દેશભરમાં આવા અનેક કિલ્લાઓ છે. હું જનતાને આ કિલ્લાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું.
124th Episode of Mann Ki Baat: PM Narendra Modi (@narendramodi) says, "India is moving ahead for Olympics and Olympiad. UNESCO has recognised 12 forts in Maharashtra. These are witness to the history... I had gone to Raigad sometime back, the experience will remain with me. These… pic.twitter.com/JrnPzpLkwJ
— Press Trust of India (@PTI_News) July 27, 2025
જ્ઞાન ભારતમ મિશન
વડાપ્રધાન મોદીએ પોતાના આ કાર્યક્રમમાં ભારત સરકારની નવી યોજના જ્ઞાન ભારતમ મિશન (Gyan Bharatam Mission) વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલ 'જ્ઞાન ભારતમ મિશન'ની જાહેરાત કરી છે. આ મિશન અંતર્ગત પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન કરવામાં આવશે. ત્યારબાદ એક નેશનલ ડિજિટલ સ્ટોરેજ બનાવવામાં આવશે. જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ અને સંશોધકો ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે. હું તમને બધાને પણ વિનંતી કરું છું કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા છો અથવા જોડાવા માંગતા હો તો ચોક્કસપણે MyGov અથવા સંસ્કૃતિ મંત્રાલયનો સંપર્ક કરો. આ ફક્ત હસ્તપ્રતો નથી આ ભારતના આત્માના પ્રકરણો છે જે આપણે આવનારી પેઢીઓને શીખવવાના છે.
In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "The Government of India has announced a historic initiative in this year's budget, 'Gyan Bharatam Mission'. Under this mission, ancient manuscripts will be digitised. Then a National Digital Repository will… pic.twitter.com/9M3tZQQAIA
— ANI (@ANI) July 27, 2025
આ પણ વાંચોઃ Stampede At Haridwar : હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત


